Go First નાદારીના આરે, એરલાઈન પાસે રોકડ ખતમ, બે દિવસ માટે તમામ ફ્લાઈટ્સ રદ્દ


  • Published By :
  • Published Date : 2023-05-02 18:43:47

વાડિયા ગ્રુપની એરલાઈન કંપની Go First નાદારીના આરે પહોંચી ગઈ છે. કંપનીએ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. પીટીઆઈએ કંપનીના સીઈઓ કૌશિક ખોનાને ટાંકીને આ માહિતી આપી છે. ખોનાએ જણાવ્યું હતું કે એરલાઇનના 28 વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. એટલે કે તેના અડધાથી વધુ એરક્રાફ્ટ ઉડવા માટે અસમર્થ છે. તેનું કારણ એ છે કે એન્જિન બનાવનારી કંપની Pratt & Whitneyએ તેનો સપ્લાય બંધ કરી દીધો છે. આ કારણે કંપની પાસે ફંડની ભારે અછત છે.


ફ્લાઇટ્સ 3 અને 4 મેના રોજ બંધ રહેશે


એરલાઇન ગો ફર્સ્ટની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 3 અને 4 મેના રોજ બંધ રહેશે. DGCAએ આની જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર, કંપની રોકડની તંગીનો સામનો કરી રહી છે. એરલાઈન પાસે રોકડ ખતમ થઈ ગઈ છે. આ કારણે તે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના લેણાં ચૂકવવા સક્ષમ નથી. આ કંપનીઓએ તેને તેલ આપવાની ના પાડી દીધી છે. કંપનીએ ઓઈલ કંપનીઓના બાકીના લેણાં પણ ચૂકવ્યા નથી. આવી સ્થિતિમાં, જેમણે આગામી બે દિવસ માટે ફ્લાઇટ બુક કરાવી છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


એરલાઇન કેટલી મોટી છે?


GoFirst કંપનીના કાફલામાં 31 માર્ચ સુધીમાં, 30 વિમાનોને ગ્રાઉન્ડેડ હતા. જો આપણે વિમાનોના કુલ કાફલા વિશે વાત કરીએ તો તેની સંખ્યા 61 છે. તેમાંથી 56 A320 Neo અને 5 A320CEO છે. જુલાઈ 2022માં પહેલીવાર આ કંપનીએ સંકટનો સામનો કરવો પડ્યો જ્યારે તેણે એરક્રાફ્ટ કેન્સલ કરવું પડ્યું હતું. ત્યારથી તેની હાલત ખૂબ જ ખરાબ ચાલી રહી છે. એરલાઇન મે 2022માં 12.7 લાખ મુસાફરોને યાત્રા કરાવી હતી, જ્યારે ફેબ્રુઆરીમાં 9,63,000 મુસાફરોને લઈ જતી કંપની માર્કેટ શેર (બજાર હિસ્સો) 8 ટકા જેટલો ઘટી ગયો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.