Go First નાદારીના આરે, એરલાઈન પાસે રોકડ ખતમ, બે દિવસ માટે તમામ ફ્લાઈટ્સ રદ્દ


  • Published By :
  • Published Date : 2023-05-02 18:43:47

વાડિયા ગ્રુપની એરલાઈન કંપની Go First નાદારીના આરે પહોંચી ગઈ છે. કંપનીએ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. પીટીઆઈએ કંપનીના સીઈઓ કૌશિક ખોનાને ટાંકીને આ માહિતી આપી છે. ખોનાએ જણાવ્યું હતું કે એરલાઇનના 28 વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. એટલે કે તેના અડધાથી વધુ એરક્રાફ્ટ ઉડવા માટે અસમર્થ છે. તેનું કારણ એ છે કે એન્જિન બનાવનારી કંપની Pratt & Whitneyએ તેનો સપ્લાય બંધ કરી દીધો છે. આ કારણે કંપની પાસે ફંડની ભારે અછત છે.


ફ્લાઇટ્સ 3 અને 4 મેના રોજ બંધ રહેશે


એરલાઇન ગો ફર્સ્ટની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 3 અને 4 મેના રોજ બંધ રહેશે. DGCAએ આની જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર, કંપની રોકડની તંગીનો સામનો કરી રહી છે. એરલાઈન પાસે રોકડ ખતમ થઈ ગઈ છે. આ કારણે તે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના લેણાં ચૂકવવા સક્ષમ નથી. આ કંપનીઓએ તેને તેલ આપવાની ના પાડી દીધી છે. કંપનીએ ઓઈલ કંપનીઓના બાકીના લેણાં પણ ચૂકવ્યા નથી. આવી સ્થિતિમાં, જેમણે આગામી બે દિવસ માટે ફ્લાઇટ બુક કરાવી છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


એરલાઇન કેટલી મોટી છે?


GoFirst કંપનીના કાફલામાં 31 માર્ચ સુધીમાં, 30 વિમાનોને ગ્રાઉન્ડેડ હતા. જો આપણે વિમાનોના કુલ કાફલા વિશે વાત કરીએ તો તેની સંખ્યા 61 છે. તેમાંથી 56 A320 Neo અને 5 A320CEO છે. જુલાઈ 2022માં પહેલીવાર આ કંપનીએ સંકટનો સામનો કરવો પડ્યો જ્યારે તેણે એરક્રાફ્ટ કેન્સલ કરવું પડ્યું હતું. ત્યારથી તેની હાલત ખૂબ જ ખરાબ ચાલી રહી છે. એરલાઇન મે 2022માં 12.7 લાખ મુસાફરોને યાત્રા કરાવી હતી, જ્યારે ફેબ્રુઆરીમાં 9,63,000 મુસાફરોને લઈ જતી કંપની માર્કેટ શેર (બજાર હિસ્સો) 8 ટકા જેટલો ઘટી ગયો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.