Go First નાદારીના આરે, એરલાઈન પાસે રોકડ ખતમ, બે દિવસ માટે તમામ ફ્લાઈટ્સ રદ્દ


  • Published By :
  • Published Date : 2023-05-02 18:43:47

વાડિયા ગ્રુપની એરલાઈન કંપની Go First નાદારીના આરે પહોંચી ગઈ છે. કંપનીએ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. પીટીઆઈએ કંપનીના સીઈઓ કૌશિક ખોનાને ટાંકીને આ માહિતી આપી છે. ખોનાએ જણાવ્યું હતું કે એરલાઇનના 28 વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. એટલે કે તેના અડધાથી વધુ એરક્રાફ્ટ ઉડવા માટે અસમર્થ છે. તેનું કારણ એ છે કે એન્જિન બનાવનારી કંપની Pratt & Whitneyએ તેનો સપ્લાય બંધ કરી દીધો છે. આ કારણે કંપની પાસે ફંડની ભારે અછત છે.


ફ્લાઇટ્સ 3 અને 4 મેના રોજ બંધ રહેશે


એરલાઇન ગો ફર્સ્ટની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 3 અને 4 મેના રોજ બંધ રહેશે. DGCAએ આની જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર, કંપની રોકડની તંગીનો સામનો કરી રહી છે. એરલાઈન પાસે રોકડ ખતમ થઈ ગઈ છે. આ કારણે તે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના લેણાં ચૂકવવા સક્ષમ નથી. આ કંપનીઓએ તેને તેલ આપવાની ના પાડી દીધી છે. કંપનીએ ઓઈલ કંપનીઓના બાકીના લેણાં પણ ચૂકવ્યા નથી. આવી સ્થિતિમાં, જેમણે આગામી બે દિવસ માટે ફ્લાઇટ બુક કરાવી છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


એરલાઇન કેટલી મોટી છે?


GoFirst કંપનીના કાફલામાં 31 માર્ચ સુધીમાં, 30 વિમાનોને ગ્રાઉન્ડેડ હતા. જો આપણે વિમાનોના કુલ કાફલા વિશે વાત કરીએ તો તેની સંખ્યા 61 છે. તેમાંથી 56 A320 Neo અને 5 A320CEO છે. જુલાઈ 2022માં પહેલીવાર આ કંપનીએ સંકટનો સામનો કરવો પડ્યો જ્યારે તેણે એરક્રાફ્ટ કેન્સલ કરવું પડ્યું હતું. ત્યારથી તેની હાલત ખૂબ જ ખરાબ ચાલી રહી છે. એરલાઇન મે 2022માં 12.7 લાખ મુસાફરોને યાત્રા કરાવી હતી, જ્યારે ફેબ્રુઆરીમાં 9,63,000 મુસાફરોને લઈ જતી કંપની માર્કેટ શેર (બજાર હિસ્સો) 8 ટકા જેટલો ઘટી ગયો હતો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.