ગો ફર્સ્ટની ફ્લાઇટે 54 યાત્રિકો વિના જ ઉડાન ભરી, મુસાફરો રઝળી પડ્યા, એરલાઈને માંફી માગી


  • Published By :
  • Published Date : 2023-01-10 20:26:48

દેશની જાણીતી એરલાઈન કંપની ગો ફર્સ્ટની એક ફ્લાઈટ 50થી વધુ મુસાફરોને લીધા વિના જ ઉડાન ભરી હતી. જ્યારે બેંગ્લુરૂથી દિલ્હી જઈ રહેલી ગો ફર્સ્ટની ફ્લાઈટ G8116એ ઉડાનભરી ત્યારે યાત્રીકો રન વે પર બસમાં સવાર હતા. જોકે ફ્લાઈટે પેસેન્જરને લીધા વિના જ ઉડાન ભરતા એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. ફ્લાઈટ સોમવાર સવારે 6.30 વાગ્યે બેંગલુરૂ એરપોર્ટથી રવાના થઈ હતી. DGCAએ બેદરકારીને લઈ ગો ફર્સ્ટથી આ ઘટના અંગે સ્પષ્ટીકરણ માગ્યું છે. ગો ફર્સ્ટે મુસાફરોને બસમાં જ ટરમૈક પર શા માટે નોંધારા મુકી દીધા તે અંગે DGCAએ જવાબ આપવા કહ્યું છે. DGCAએ એરલાઈન કંપનીને  COOને બે સપ્તાહનો સમય આપ્યો હતો.  


એરલાઈનએ માંફી માગી


DGCAની નોટિસ બાદ એયરલાઈન કંપની ગો ફર્સ્ટે માફી માંગી છે. ગો ફર્સ્ટે સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે બેંગલુરૂથી દિલ્હી જતી  ફ્લાઈટે અજાણતા જ થયેલી ભૂલને કારણે યાત્રિકોને ભોગવવી પડેલી હાલાકી માટે અમે ઈમાનદારીથી માફી માંગીએ છીએ. યાત્રિકોને દિલ્હી અને અન્ય ગંતવ્ય સ્થળો માટે વૈકલ્પિક એરલાઈનોની વ્યવસ્થા કરવામાં આવી છે. 


યાત્રિકોને ફ્રી ટિકિટની જાહેરાત


એરલાઈને કહ્યું છે કે અમારી સાથે પેસેન્જરોને થયેલી અસુવિધા માટે અમે મુસાફરોની ધીરજની પ્રસંશા કરી છીએ. આ અસુવિધાના અવેજમાં એયરલાઈન કંપનીના તમામ પ્રભાવિત યાત્રિકોને આગામી 12 મહિનામાં કોઈ પણ ડોમેસ્ટિક વિસ્તારમાં યાત્રા માટે એક ફ્રિ ટિકિટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. 


એરલાઈને સ્ટાફની કરી હકાલપટ્ટી


એરલાઈન કંપની ગો ફર્સ્ટે ઘટનાની તપાસ કરી દીધી છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછ ચાલુ રહે ત્યાં સુધી આ ઘટના માટે જવાબદાર સમગ્ર સ્ટાફ રોસ્ટરથી બહાર કરી દેવામાં આવ્યો છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.