ગો ફર્સ્ટની ફ્લાઇટે 54 યાત્રિકો વિના જ ઉડાન ભરી, મુસાફરો રઝળી પડ્યા, એરલાઈને માંફી માગી


  • Published By :
  • Published Date : 2023-01-10 20:26:48

દેશની જાણીતી એરલાઈન કંપની ગો ફર્સ્ટની એક ફ્લાઈટ 50થી વધુ મુસાફરોને લીધા વિના જ ઉડાન ભરી હતી. જ્યારે બેંગ્લુરૂથી દિલ્હી જઈ રહેલી ગો ફર્સ્ટની ફ્લાઈટ G8116એ ઉડાનભરી ત્યારે યાત્રીકો રન વે પર બસમાં સવાર હતા. જોકે ફ્લાઈટે પેસેન્જરને લીધા વિના જ ઉડાન ભરતા એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. ફ્લાઈટ સોમવાર સવારે 6.30 વાગ્યે બેંગલુરૂ એરપોર્ટથી રવાના થઈ હતી. DGCAએ બેદરકારીને લઈ ગો ફર્સ્ટથી આ ઘટના અંગે સ્પષ્ટીકરણ માગ્યું છે. ગો ફર્સ્ટે મુસાફરોને બસમાં જ ટરમૈક પર શા માટે નોંધારા મુકી દીધા તે અંગે DGCAએ જવાબ આપવા કહ્યું છે. DGCAએ એરલાઈન કંપનીને  COOને બે સપ્તાહનો સમય આપ્યો હતો.  


એરલાઈનએ માંફી માગી


DGCAની નોટિસ બાદ એયરલાઈન કંપની ગો ફર્સ્ટે માફી માંગી છે. ગો ફર્સ્ટે સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે બેંગલુરૂથી દિલ્હી જતી  ફ્લાઈટે અજાણતા જ થયેલી ભૂલને કારણે યાત્રિકોને ભોગવવી પડેલી હાલાકી માટે અમે ઈમાનદારીથી માફી માંગીએ છીએ. યાત્રિકોને દિલ્હી અને અન્ય ગંતવ્ય સ્થળો માટે વૈકલ્પિક એરલાઈનોની વ્યવસ્થા કરવામાં આવી છે. 


યાત્રિકોને ફ્રી ટિકિટની જાહેરાત


એરલાઈને કહ્યું છે કે અમારી સાથે પેસેન્જરોને થયેલી અસુવિધા માટે અમે મુસાફરોની ધીરજની પ્રસંશા કરી છીએ. આ અસુવિધાના અવેજમાં એયરલાઈન કંપનીના તમામ પ્રભાવિત યાત્રિકોને આગામી 12 મહિનામાં કોઈ પણ ડોમેસ્ટિક વિસ્તારમાં યાત્રા માટે એક ફ્રિ ટિકિટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. 


એરલાઈને સ્ટાફની કરી હકાલપટ્ટી


એરલાઈન કંપની ગો ફર્સ્ટે ઘટનાની તપાસ કરી દીધી છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછ ચાલુ રહે ત્યાં સુધી આ ઘટના માટે જવાબદાર સમગ્ર સ્ટાફ રોસ્ટરથી બહાર કરી દેવામાં આવ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.