ગો ફર્સ્ટની ફ્લાઇટે 54 યાત્રિકો વિના જ ઉડાન ભરી, મુસાફરો રઝળી પડ્યા, એરલાઈને માંફી માગી


  • Published By :
  • Published Date : 2023-01-10 20:26:48

દેશની જાણીતી એરલાઈન કંપની ગો ફર્સ્ટની એક ફ્લાઈટ 50થી વધુ મુસાફરોને લીધા વિના જ ઉડાન ભરી હતી. જ્યારે બેંગ્લુરૂથી દિલ્હી જઈ રહેલી ગો ફર્સ્ટની ફ્લાઈટ G8116એ ઉડાનભરી ત્યારે યાત્રીકો રન વે પર બસમાં સવાર હતા. જોકે ફ્લાઈટે પેસેન્જરને લીધા વિના જ ઉડાન ભરતા એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. ફ્લાઈટ સોમવાર સવારે 6.30 વાગ્યે બેંગલુરૂ એરપોર્ટથી રવાના થઈ હતી. DGCAએ બેદરકારીને લઈ ગો ફર્સ્ટથી આ ઘટના અંગે સ્પષ્ટીકરણ માગ્યું છે. ગો ફર્સ્ટે મુસાફરોને બસમાં જ ટરમૈક પર શા માટે નોંધારા મુકી દીધા તે અંગે DGCAએ જવાબ આપવા કહ્યું છે. DGCAએ એરલાઈન કંપનીને  COOને બે સપ્તાહનો સમય આપ્યો હતો.  


એરલાઈનએ માંફી માગી


DGCAની નોટિસ બાદ એયરલાઈન કંપની ગો ફર્સ્ટે માફી માંગી છે. ગો ફર્સ્ટે સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે બેંગલુરૂથી દિલ્હી જતી  ફ્લાઈટે અજાણતા જ થયેલી ભૂલને કારણે યાત્રિકોને ભોગવવી પડેલી હાલાકી માટે અમે ઈમાનદારીથી માફી માંગીએ છીએ. યાત્રિકોને દિલ્હી અને અન્ય ગંતવ્ય સ્થળો માટે વૈકલ્પિક એરલાઈનોની વ્યવસ્થા કરવામાં આવી છે. 


યાત્રિકોને ફ્રી ટિકિટની જાહેરાત


એરલાઈને કહ્યું છે કે અમારી સાથે પેસેન્જરોને થયેલી અસુવિધા માટે અમે મુસાફરોની ધીરજની પ્રસંશા કરી છીએ. આ અસુવિધાના અવેજમાં એયરલાઈન કંપનીના તમામ પ્રભાવિત યાત્રિકોને આગામી 12 મહિનામાં કોઈ પણ ડોમેસ્ટિક વિસ્તારમાં યાત્રા માટે એક ફ્રિ ટિકિટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. 


એરલાઈને સ્ટાફની કરી હકાલપટ્ટી


એરલાઈન કંપની ગો ફર્સ્ટે ઘટનાની તપાસ કરી દીધી છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછ ચાલુ રહે ત્યાં સુધી આ ઘટના માટે જવાબદાર સમગ્ર સ્ટાફ રોસ્ટરથી બહાર કરી દેવામાં આવ્યો છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.