Go First બાદ હવે Spice Jet પણ નાદારીના આરે, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-07 13:04:02

છેલ્લા કેટલાક દિવસોથી ભારતનું એવીએશન સેક્ટર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિક મંદી અને ફ્યુઅલના ઉંચા ભાવના કારણે Go First બાદ વધુ એક એરલાઈન્સ મુશ્કેલીમાં મુકાઈ છે. હવે  દેશની બીજી મોટી એરલાઇન સ્પાઈસ જેટની સામે નાદારીની પ્રક્રિયાની સુનાવણી થવાની છે. એરલાઈન સ્પાઈસજેટની નાદારી અરજી પર સોમવાર, 8 મેના રોજ સુનાવણી થશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સોમવારે સ્પાઇસ જેટના ધિરાણકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી નાદારીની અરજી પર સુનાવણી કરશે. જોકે, સ્પાઈસજેટ એરલાઈન્સે કહ્યું કે આ સુનાવણીથી તેમની ફ્લાઈટ પર કોઈ અસર થશે નહીં.


સ્પાઇસ જેટની મુશ્કેલી વધી


સ્પાઈસ જેટ સામે નાદારીની પ્રક્રિયાની સુનાવણી પણ સોમવારે હાથ ધરવામાં આવનાર છે. સ્પાઇસ જેટની લેણદાર કંપનીએ સ્પાઇસજેટ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. NCLT સોમવારે આ અંગે સુનાવણી કરશે. એરક્રાફ્ટ લેસર એરકેસલ (આયર્લેન્ડ) લિમિટેડ, ઓછી કિંમતની એરલાઇનને ધિરાણ આપતી, એ એરલાઇન સામે NCLT સમક્ષ નાદારીની અરજી દાખલ કરી છે. કંપનીએ આ અરજી 28 એપ્રિલે જ આપી હતી, આ મામલે 8 મેના રોજ સુનાવણી થશે. અગાઉ, Go Firstની માલિકીની કંપની વાડિયા ગ્રૂપે પોતે જ નાદારી ઉકેલ પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. તે જ સમયે, સમાચાર એ પણ આવી રહ્યા છે કે વધુ બે કંપનીઓએ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે સ્પાઇસજેટ સામે અરજી દાખલ કરી છે, જેમાં વિલિસ લીઝ ફાઇનાન્સ કોર્પોરેશન અને એકર્સ બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડ છે. જ્યારે વિલિસ લીઝે 12 એપ્રિલે અરજી કરી હતી, જ્યારે અકર્સ બિલ્ડવેલ 14 ફેબ્રુઆરીએ અરજી કરી હતી. સ્પાઈસ જેટ દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.


ફ્લાઈટ્સ પર કોઈ અસર નહીં


નાદારીની આ પ્રક્રિયાને લઈને સ્પાઈસ જેટે કહ્યું છે કે તેની ફ્લાઈટ્સ પર કોઈ અસર થશે નહીં. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મુદ્દો કોર્ટની બહાર ઉકેલાઈ જશે. જો કે, અત્યાર સુધી આવું થતું જણાતું નથી. સ્પાઇસજેટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ધિરાણકર્તા પાસે હાલમાં એરલાઈનના કાફલામાં કોઈ વિમાન નથી. આવી સ્થિતિમાં, તે ઓપરેશનને અસર કરશે નહીં. તેમણે કહ્યું કે આ ફર્મના તમામ પ્લેન પરત કરી દેવામાં આવ્યા છે. એરલાઈને કહ્યું છે કે કંપનીના કાફલામાં આ પ્રકારનું કોઈ એરક્રાફ્ટ હાજર નથી. તેમણે લોકોને ખાતરી આપી છે કે આ મુદ્દે ફ્લાઇટ સેવા પર કોઈ અસર નહીં થાય. તેઓ પહેલાની જેમ જ સામાન્ય રહેશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.