Go First બાદ હવે Spice Jet પણ નાદારીના આરે, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-07 13:04:02

છેલ્લા કેટલાક દિવસોથી ભારતનું એવીએશન સેક્ટર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિક મંદી અને ફ્યુઅલના ઉંચા ભાવના કારણે Go First બાદ વધુ એક એરલાઈન્સ મુશ્કેલીમાં મુકાઈ છે. હવે  દેશની બીજી મોટી એરલાઇન સ્પાઈસ જેટની સામે નાદારીની પ્રક્રિયાની સુનાવણી થવાની છે. એરલાઈન સ્પાઈસજેટની નાદારી અરજી પર સોમવાર, 8 મેના રોજ સુનાવણી થશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સોમવારે સ્પાઇસ જેટના ધિરાણકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી નાદારીની અરજી પર સુનાવણી કરશે. જોકે, સ્પાઈસજેટ એરલાઈન્સે કહ્યું કે આ સુનાવણીથી તેમની ફ્લાઈટ પર કોઈ અસર થશે નહીં.


સ્પાઇસ જેટની મુશ્કેલી વધી


સ્પાઈસ જેટ સામે નાદારીની પ્રક્રિયાની સુનાવણી પણ સોમવારે હાથ ધરવામાં આવનાર છે. સ્પાઇસ જેટની લેણદાર કંપનીએ સ્પાઇસજેટ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. NCLT સોમવારે આ અંગે સુનાવણી કરશે. એરક્રાફ્ટ લેસર એરકેસલ (આયર્લેન્ડ) લિમિટેડ, ઓછી કિંમતની એરલાઇનને ધિરાણ આપતી, એ એરલાઇન સામે NCLT સમક્ષ નાદારીની અરજી દાખલ કરી છે. કંપનીએ આ અરજી 28 એપ્રિલે જ આપી હતી, આ મામલે 8 મેના રોજ સુનાવણી થશે. અગાઉ, Go Firstની માલિકીની કંપની વાડિયા ગ્રૂપે પોતે જ નાદારી ઉકેલ પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. તે જ સમયે, સમાચાર એ પણ આવી રહ્યા છે કે વધુ બે કંપનીઓએ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે સ્પાઇસજેટ સામે અરજી દાખલ કરી છે, જેમાં વિલિસ લીઝ ફાઇનાન્સ કોર્પોરેશન અને એકર્સ બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડ છે. જ્યારે વિલિસ લીઝે 12 એપ્રિલે અરજી કરી હતી, જ્યારે અકર્સ બિલ્ડવેલ 14 ફેબ્રુઆરીએ અરજી કરી હતી. સ્પાઈસ જેટ દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.


ફ્લાઈટ્સ પર કોઈ અસર નહીં


નાદારીની આ પ્રક્રિયાને લઈને સ્પાઈસ જેટે કહ્યું છે કે તેની ફ્લાઈટ્સ પર કોઈ અસર થશે નહીં. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મુદ્દો કોર્ટની બહાર ઉકેલાઈ જશે. જો કે, અત્યાર સુધી આવું થતું જણાતું નથી. સ્પાઇસજેટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ધિરાણકર્તા પાસે હાલમાં એરલાઈનના કાફલામાં કોઈ વિમાન નથી. આવી સ્થિતિમાં, તે ઓપરેશનને અસર કરશે નહીં. તેમણે કહ્યું કે આ ફર્મના તમામ પ્લેન પરત કરી દેવામાં આવ્યા છે. એરલાઈને કહ્યું છે કે કંપનીના કાફલામાં આ પ્રકારનું કોઈ એરક્રાફ્ટ હાજર નથી. તેમણે લોકોને ખાતરી આપી છે કે આ મુદ્દે ફ્લાઇટ સેવા પર કોઈ અસર નહીં થાય. તેઓ પહેલાની જેમ જ સામાન્ય રહેશે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.