Go Firstએ નાદારી જાહેર કરતા એરલાઈનના 5000 કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ


  • Published By :
  • Published Date : 2023-05-03 18:40:15

દેશની અગ્રણી એરલાઈન ગો ફર્સ્ટે નાદારી જાહેર કરતા તેના લગભગ 5000 કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ બન્યું છે. આ દરમિયાન ગો ફર્સ્ટના CEO કૌશિક ખોનાએ ખાતરી આપી છે કે એરલાઈન આ સ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે અને કર્મચારીઓને લઈ કંપની મેનેજમેન્ટ સંવેદનશીલ છે.


નાદારીની અરજી પર 4 મેએ સુનાવણી 


જો કે નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ (NCLT) ગો ફર્સ્ટની નાદારીને લગતી અરજી પર   4 મેના રોજ સુનાવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગો ફર્સ્ટે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ સાથે એરલાઈને 3થી 5 મે સુધી પોતાની ઉડાનો પણ રદ્દ કરી દીધી છે.


કંપનીના CEOએ કર્મચારીઓને શું કહ્યું?


ગો ફર્સ્ટ એરલાઈનના CEO કૌશિક ખોનાએ કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશમાં કહ્યું છે કે કંપની આ સ્થિતીએ પહોંચી તેનું મુખ્ય કારણ પ્રેટ એન્ડ વ્હિટનીનું (P&W) એન્જિન છે. આ એન્જિન વારંવાર ખરાબ થવાના કારણે એરલાઈનને ઓપરેશન ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે. તેમણે વિમાનો લીઝ પર આપતી કંપનીઓની કડક વલણ અંગે પણ કર્મચારીઓને જણાવતા તેમણે કહ્યું કે આ કંપનીઓ વિમાનો લીઝ પર આપવાનું બંધ કરવાની  વારંવાર ધમકી આપી રહી છે. કંપની પાસે વિમાનોની સંખ્યા સતત ઘટી રહી છે. આ સ્થિતીમાં કંપની લિઝની રકમની ચૂંકવણી કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. જો કે  તેમણે કર્મચારીઓને હૈયાધારણા આપતા કહ્યું કે અમે તમામ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને ખુબ જ સાવધાની અને ચિંતા સાથે પરિસ્થિતીને સંભાળવાના પ્રયાસો કરી રહ્યા છિએ.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.