"ધ કાશ્મીર ફાઇલ્સ' બાદ હવે વિવેક અગ્નિહોત્રી ગોધરા ફાઇલ્સ પર ફિલ્મ બનાવશે, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-04-25 14:28:05

"ધ કાશ્મીર ફાઇલ્સ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મથી લોકપ્રિય બનેલા જાણીતા હિન્દી ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી હવે ગોધરા કાંડ પર ફિલ્મ બનાવશે. વડોદરાની મુલાકાતે આવેલા ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ તેમના આગામી પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી.


ગોધરા ફાઇલ્સ પર પણ ફિલ્મ બનાવીશ


વડોદરાની મુલાકાતે આવેલા વિવેક અગ્નિહોત્રીએ વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, સરકારો આવતી- જતી રહે છે પણ સિસ્ટમ નથી બદલાતી. ગોધરા ફાઇલ્સ પર પણ ફિલ્મ બનાવીશ, પણ શરૂઆત ગોધરામાં ટ્રેન સળગી ત્યાંથી કરીશ. તેમને પૂછવામાં આવ્યું કે ગોધરા ફાઇલ્સ બનાવશો કે કેમ ત્યારે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચોક્કસ બનાવીશ પરંતુ તેની શરૂઆત ટ્રેન કેવી રીતે સળગી તેનાથી કરીશ અને ત્યારે કેટલા લોકો કહેશે કે આ પ્રોપેગેન્ડા છે. હાલમાં દેશમાં કોઈ કાશ્મીર પર ફિલ્મ બનાવે તો લોકોને આતંકીઓ પ્રત્યે પ્રેમ ઉભરાઈ જાય છે. ત્યારે હાલ દેશની માનસિકતા બદલવાની જરુર છે.


પોતાના અનુભવો વણવ્યા


વિવેક અગ્નિહોત્રીએ પાંચ દિવસીય વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે વિવેક અગ્નિહોત્રી ઇન્સ્ટિટ્યૂટના યુવા ફિલ્મમેકર્સ સમક્ષ પોતાના વ્યક્તિગત જીવનની સફર વર્ણવી હતી કે જેના પરિણામે આજે તેમણે ફિલ્મ ઉદ્યોગમાં સફળતા મેળવી છે. તેમણે ઉભરતાં ફિલ્મ મેકર્સ ઇન્ડસ્ટ્રી વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. જેનાથી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની રચના કરવા માટે પ્રેરણા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ડાયરેક્ટર સાથે સાથે ફિલ્મ પ્રોડ્યુસર, સ્ક્રીન રાઇટર તથા લેખક પણ છે. તેમણે સુપરહિટ ફિલ્મ તાશ્કંદ ફાઇલ્સ માટે નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી