"ધ કાશ્મીર ફાઇલ્સ' બાદ હવે વિવેક અગ્નિહોત્રી ગોધરા ફાઇલ્સ પર ફિલ્મ બનાવશે, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-04-25 14:28:05

"ધ કાશ્મીર ફાઇલ્સ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મથી લોકપ્રિય બનેલા જાણીતા હિન્દી ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી હવે ગોધરા કાંડ પર ફિલ્મ બનાવશે. વડોદરાની મુલાકાતે આવેલા ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ તેમના આગામી પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી.


ગોધરા ફાઇલ્સ પર પણ ફિલ્મ બનાવીશ


વડોદરાની મુલાકાતે આવેલા વિવેક અગ્નિહોત્રીએ વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, સરકારો આવતી- જતી રહે છે પણ સિસ્ટમ નથી બદલાતી. ગોધરા ફાઇલ્સ પર પણ ફિલ્મ બનાવીશ, પણ શરૂઆત ગોધરામાં ટ્રેન સળગી ત્યાંથી કરીશ. તેમને પૂછવામાં આવ્યું કે ગોધરા ફાઇલ્સ બનાવશો કે કેમ ત્યારે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચોક્કસ બનાવીશ પરંતુ તેની શરૂઆત ટ્રેન કેવી રીતે સળગી તેનાથી કરીશ અને ત્યારે કેટલા લોકો કહેશે કે આ પ્રોપેગેન્ડા છે. હાલમાં દેશમાં કોઈ કાશ્મીર પર ફિલ્મ બનાવે તો લોકોને આતંકીઓ પ્રત્યે પ્રેમ ઉભરાઈ જાય છે. ત્યારે હાલ દેશની માનસિકતા બદલવાની જરુર છે.


પોતાના અનુભવો વણવ્યા


વિવેક અગ્નિહોત્રીએ પાંચ દિવસીય વડોદરા ફિલ્મ એન્ડ ડિઝાઇન ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે વિવેક અગ્નિહોત્રી ઇન્સ્ટિટ્યૂટના યુવા ફિલ્મમેકર્સ સમક્ષ પોતાના વ્યક્તિગત જીવનની સફર વર્ણવી હતી કે જેના પરિણામે આજે તેમણે ફિલ્મ ઉદ્યોગમાં સફળતા મેળવી છે. તેમણે ઉભરતાં ફિલ્મ મેકર્સ ઇન્ડસ્ટ્રી વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. જેનાથી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની રચના કરવા માટે પ્રેરણા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ડાયરેક્ટર સાથે સાથે ફિલ્મ પ્રોડ્યુસર, સ્ક્રીન રાઇટર તથા લેખક પણ છે. તેમણે સુપરહિટ ફિલ્મ તાશ્કંદ ફાઇલ્સ માટે નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.