611 ટન સાથે ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ગોલ્ડ જ્વેલરી ગ્રાહક: WGC રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-20 14:57:37

ભારતમાં પ્રાચીન સમયથી સોના પ્રત્યે લોકોને ગજબનું આકર્ષણ રહ્યું છે. દેશમાં લગ્ન કે અન્ય સામાજીક પ્રસંગોએ સોનાના દાગીના ભેટમાં આપવાનો રિવાજ રહ્યો છે. ભારત વિશ્વમાં સૌથી વધુ સોનું આયાત કરતો દેશ છે. વર્ષ 2021માં પણ ભારત વૈશ્વિક સ્તરે સોનાના વપરાશમાં ચીન બાદ બીજા ક્રમે રહ્યું છે.  


ભારતે 611 ટન સોનાના દાગીના ખરીદ્યા


સમગ્ર વિશ્વમાં ભારત બીજા નંબરનું સૌથી મોટું ગોલ્ડ જ્વેલરી કન્ઝ્યુમર રહ્યું છે. 2021માં ભારતે 611 ટન સોનાના દાગીના ખરીદ્યા હતા જ્યારે ચીને 673 ટન પછી બીજા ક્રમે રહ્યું હતું પરંતુ અન્ય તમામ સોનાનો વપરાશ કરતા બજારો કરતાં આગળ રહ્યું છે. ભારતમાં સોનાની જ્વેલરીની નિકાસ વર્ષ 2015માં 7.6 અબજ અમેરિકી ડોલરથી વધીને વર્ષ 2019માં 12.4 અબજ અમેરિકી ડોલર થઈ હતી જે 2025 સુધીમાં વધી 20 અબજ ડોલરને આંબી જશે તેવું અનુમાન છે. ગોલ્ડ જ્વેલરીમાં બ્રાઇડલ જ્વેલરીનું સૌથી વધુ પ્રભુત્વ છે અને ભારતમાં તેનો બજાર હિસ્સો 50થી 55 ટકા જેટલો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ભારતીય વિશ્લેષણની સિરીઝના ભાગરૂપે તેનો રિપોર્ટ જ્વેલરી ડિમાન્ડ એન્ડ ટ્રેડ પ્રસિદ્ધ કર્યો છે.


દક્ષિણ ભારતમાં સોનાની સૌથી વધુ ખરીદી


દેશમાં સોનાના દાગીનાનો સૌથી વધુ વપરાશ થાય છે, દક્ષિણ ભારતમાં દેશની કુલ જ્વેલરી માંગમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2021માં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં સોનાનો હિસ્સો 23 ટકા હતો. વર્ષ 2021માં ભારતમાંથી સોનાની જ્વેલરીની નિકાસમાં સાદા સોનાના દાગીનાની નિકાસનો હિસ્સો 38 ટકા હતો. છેલ્લા એક દાયકામાં ભારતની લગભગ 90 ટકા જ્વેલરી નિકાસ માત્ર પાંચ મુખ્ય બજારોમાં થઈ છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.