611 ટન સાથે ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ગોલ્ડ જ્વેલરી ગ્રાહક: WGC રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-20 14:57:37

ભારતમાં પ્રાચીન સમયથી સોના પ્રત્યે લોકોને ગજબનું આકર્ષણ રહ્યું છે. દેશમાં લગ્ન કે અન્ય સામાજીક પ્રસંગોએ સોનાના દાગીના ભેટમાં આપવાનો રિવાજ રહ્યો છે. ભારત વિશ્વમાં સૌથી વધુ સોનું આયાત કરતો દેશ છે. વર્ષ 2021માં પણ ભારત વૈશ્વિક સ્તરે સોનાના વપરાશમાં ચીન બાદ બીજા ક્રમે રહ્યું છે.  


ભારતે 611 ટન સોનાના દાગીના ખરીદ્યા


સમગ્ર વિશ્વમાં ભારત બીજા નંબરનું સૌથી મોટું ગોલ્ડ જ્વેલરી કન્ઝ્યુમર રહ્યું છે. 2021માં ભારતે 611 ટન સોનાના દાગીના ખરીદ્યા હતા જ્યારે ચીને 673 ટન પછી બીજા ક્રમે રહ્યું હતું પરંતુ અન્ય તમામ સોનાનો વપરાશ કરતા બજારો કરતાં આગળ રહ્યું છે. ભારતમાં સોનાની જ્વેલરીની નિકાસ વર્ષ 2015માં 7.6 અબજ અમેરિકી ડોલરથી વધીને વર્ષ 2019માં 12.4 અબજ અમેરિકી ડોલર થઈ હતી જે 2025 સુધીમાં વધી 20 અબજ ડોલરને આંબી જશે તેવું અનુમાન છે. ગોલ્ડ જ્વેલરીમાં બ્રાઇડલ જ્વેલરીનું સૌથી વધુ પ્રભુત્વ છે અને ભારતમાં તેનો બજાર હિસ્સો 50થી 55 ટકા જેટલો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ભારતીય વિશ્લેષણની સિરીઝના ભાગરૂપે તેનો રિપોર્ટ જ્વેલરી ડિમાન્ડ એન્ડ ટ્રેડ પ્રસિદ્ધ કર્યો છે.


દક્ષિણ ભારતમાં સોનાની સૌથી વધુ ખરીદી


દેશમાં સોનાના દાગીનાનો સૌથી વધુ વપરાશ થાય છે, દક્ષિણ ભારતમાં દેશની કુલ જ્વેલરી માંગમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2021માં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં સોનાનો હિસ્સો 23 ટકા હતો. વર્ષ 2021માં ભારતમાંથી સોનાની જ્વેલરીની નિકાસમાં સાદા સોનાના દાગીનાની નિકાસનો હિસ્સો 38 ટકા હતો. છેલ્લા એક દાયકામાં ભારતની લગભગ 90 ટકા જ્વેલરી નિકાસ માત્ર પાંચ મુખ્ય બજારોમાં થઈ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.