સૌપ્રથમ વખત 10 ગ્રામનો ભાવ 60 હજારને પાર, ચાંદી પણ મોંઘી થઈ, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-03-20 16:41:23

મહિલાઓનું પ્રિય સોનું હવે સામાન્ય માણસની પહોંચથી દુર થઈ રહ્યું છે. વાયદા બજારમાં સોનાનો ભાવ આજે સોમવારે ઓલટાઈમ હાઇ પર પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઇટ મુજબ, 10 ગ્રામ સોનું 1,451 રૂપિયા મોંઘું થઈ 59,671 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. અગાઉ 2 ફેબ્રુઆરીના રોજ સોનું એના ઓલટાઈમ હાઈ પર હતું. ત્યારે એનો ભાવ પ્રતિ 10 ગ્રામે 58, 882 રૂપિયા હતો.


વાયદા બજારમાં સોનાનો ભાવ


વાયદા બજારમાં સોનાની કિંમત (Gold Price MCX) સોમવારે 60 હજાર રૂપિયાને પાર પહોંચી ગઈ. જૂન 2023માં ડિલિવરીવાળા સોનામાં રૂ. 411 અથવા 0.69 ટકાના વધારા સાથે રૂ. 60,377 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉના સત્રમાં જૂન કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 59,966 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આ રીતે વાયદા બજારમાં સોનાનો ભાવ પ્રથમ વખત 60 હજાર રૂપિયાને પાર કરી ગયો.


ચાંદી પણ મોંઘી થઈ


ચાંદી પણ 68 હજારની પાર નીકળી ગઈ. સર્રાફા બજારમાં એ 1477 રૂપિયા મોંઘી થઈ 68,250 રૂપિયા પ્રતિ કિગ્રા પર પહોંચી છે. અગાઉ 17 માર્ચના રોજ એક કિગ્રા ચાંદીનો ભાવ 66,773 રૂપિયા હતો.


શેર બજારમાં મંદીના કારણે સોનામાં તેજી


વૈશ્વિક બજારમાં ઉથલપાથલ, બેન્કિંગ સંકટ અને મોટી અર્થવ્યવસ્થાઓમાં સુસ્તીના સંકેતોને કારણે સોનું સોમવારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે. સોનામાં આવેલી અચાનક તેજી પાછળનું મુખ્ય કારણ શેર બજારમાં મંદી છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં ચાલુ ઉતાર-ચઢાવના કારણે સોનાને સમર્થન મળ્યું છે. તેને કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આ વર્ષે સોનું 62,000 સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સોનાનો ભાવ 64,000 સુધી પહોંચી શકે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.