સૌપ્રથમ વખત 10 ગ્રામનો ભાવ 60 હજારને પાર, ચાંદી પણ મોંઘી થઈ, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-03-20 16:41:23

મહિલાઓનું પ્રિય સોનું હવે સામાન્ય માણસની પહોંચથી દુર થઈ રહ્યું છે. વાયદા બજારમાં સોનાનો ભાવ આજે સોમવારે ઓલટાઈમ હાઇ પર પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઇટ મુજબ, 10 ગ્રામ સોનું 1,451 રૂપિયા મોંઘું થઈ 59,671 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. અગાઉ 2 ફેબ્રુઆરીના રોજ સોનું એના ઓલટાઈમ હાઈ પર હતું. ત્યારે એનો ભાવ પ્રતિ 10 ગ્રામે 58, 882 રૂપિયા હતો.


વાયદા બજારમાં સોનાનો ભાવ


વાયદા બજારમાં સોનાની કિંમત (Gold Price MCX) સોમવારે 60 હજાર રૂપિયાને પાર પહોંચી ગઈ. જૂન 2023માં ડિલિવરીવાળા સોનામાં રૂ. 411 અથવા 0.69 ટકાના વધારા સાથે રૂ. 60,377 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉના સત્રમાં જૂન કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 59,966 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આ રીતે વાયદા બજારમાં સોનાનો ભાવ પ્રથમ વખત 60 હજાર રૂપિયાને પાર કરી ગયો.


ચાંદી પણ મોંઘી થઈ


ચાંદી પણ 68 હજારની પાર નીકળી ગઈ. સર્રાફા બજારમાં એ 1477 રૂપિયા મોંઘી થઈ 68,250 રૂપિયા પ્રતિ કિગ્રા પર પહોંચી છે. અગાઉ 17 માર્ચના રોજ એક કિગ્રા ચાંદીનો ભાવ 66,773 રૂપિયા હતો.


શેર બજારમાં મંદીના કારણે સોનામાં તેજી


વૈશ્વિક બજારમાં ઉથલપાથલ, બેન્કિંગ સંકટ અને મોટી અર્થવ્યવસ્થાઓમાં સુસ્તીના સંકેતોને કારણે સોનું સોમવારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે. સોનામાં આવેલી અચાનક તેજી પાછળનું મુખ્ય કારણ શેર બજારમાં મંદી છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં ચાલુ ઉતાર-ચઢાવના કારણે સોનાને સમર્થન મળ્યું છે. તેને કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આ વર્ષે સોનું 62,000 સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સોનાનો ભાવ 64,000 સુધી પહોંચી શકે છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.