સૌપ્રથમ વખત 10 ગ્રામનો ભાવ 60 હજારને પાર, ચાંદી પણ મોંઘી થઈ, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-03-20 16:41:23

મહિલાઓનું પ્રિય સોનું હવે સામાન્ય માણસની પહોંચથી દુર થઈ રહ્યું છે. વાયદા બજારમાં સોનાનો ભાવ આજે સોમવારે ઓલટાઈમ હાઇ પર પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઇટ મુજબ, 10 ગ્રામ સોનું 1,451 રૂપિયા મોંઘું થઈ 59,671 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. અગાઉ 2 ફેબ્રુઆરીના રોજ સોનું એના ઓલટાઈમ હાઈ પર હતું. ત્યારે એનો ભાવ પ્રતિ 10 ગ્રામે 58, 882 રૂપિયા હતો.


વાયદા બજારમાં સોનાનો ભાવ


વાયદા બજારમાં સોનાની કિંમત (Gold Price MCX) સોમવારે 60 હજાર રૂપિયાને પાર પહોંચી ગઈ. જૂન 2023માં ડિલિવરીવાળા સોનામાં રૂ. 411 અથવા 0.69 ટકાના વધારા સાથે રૂ. 60,377 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. અગાઉના સત્રમાં જૂન કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 59,966 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આ રીતે વાયદા બજારમાં સોનાનો ભાવ પ્રથમ વખત 60 હજાર રૂપિયાને પાર કરી ગયો.


ચાંદી પણ મોંઘી થઈ


ચાંદી પણ 68 હજારની પાર નીકળી ગઈ. સર્રાફા બજારમાં એ 1477 રૂપિયા મોંઘી થઈ 68,250 રૂપિયા પ્રતિ કિગ્રા પર પહોંચી છે. અગાઉ 17 માર્ચના રોજ એક કિગ્રા ચાંદીનો ભાવ 66,773 રૂપિયા હતો.


શેર બજારમાં મંદીના કારણે સોનામાં તેજી


વૈશ્વિક બજારમાં ઉથલપાથલ, બેન્કિંગ સંકટ અને મોટી અર્થવ્યવસ્થાઓમાં સુસ્તીના સંકેતોને કારણે સોનું સોમવારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે. સોનામાં આવેલી અચાનક તેજી પાછળનું મુખ્ય કારણ શેર બજારમાં મંદી છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં ચાલુ ઉતાર-ચઢાવના કારણે સોનાને સમર્થન મળ્યું છે. તેને કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આ વર્ષે સોનું 62,000 સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સોનાનો ભાવ 64,000 સુધી પહોંચી શકે છે.



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.