સોનું બે વર્ષ બાદ ફરી ટોચ પર, ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ1800 વધીને 58,000ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 16:33:26

સોનામાં ફરી એકવાર ચમક જોવા મળી છે. પીળી ધાતુંના ભાવમાં વધારો થયો છે. અમદાવાદના બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1800 વધીને રુપિયા 58,000 પ્રતિ 10 ગ્રામના સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી બાદ સ્થાનિક સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવ વધીને 1863.18 ડોલર થયો છે.


સોનાના ભાવ હજુ વધશે


બુલિયન માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવો હજુ વધુ તેજી જોવા મળશે. તેમના અનુમાન મુજબ સ્થાનિક બજારમાં ભાવ વધીને 61,000 પ્રતિ ગ્રામની ટોચે પહોંચે તેવી સંભાવના છે. લગ્નસરાની સિઝનના કારણે સોનાની માંગ વધુ રહેવાની આશા છે. જો કે, આટલા ઉંચા ભાવ ગ્રાહકોને અનૂકુળ ન હોઈ શકે. જેના કારણે તેઓ જૂના દાગીનાઓના બદલામાં નવા દાગીના ખરીદી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2023ના પ્રારંભથી જ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું તો બે વર્ષના તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. 


સોનામાં તેજી શા માટે?
,

વિશ્વમાં ભૂ-રાજકીય પરિસ્થિતીમાં જોવા મળતી અસ્થિરતા, ચીન અને પૂર્વ એશિયાના દેશોમાં વધી રહેલું કોરોના સંક્રમણ, રશિયા-યુક્રેન યુધ્ધ, યુરોપ અને અમેરિકામાં વધી રહેલી મંદીની શક્યતા, અમેરિકામાં નોકરીઓમાં ઘટાડો, નોન ફાર્મ પેરોલ ડેટાના પરિણામે ઓછી આક્રમક ફેડની અપેક્ષાઓ વચ્ચે ભાવમાં તેજી જોવા મળી હતી. જેના કારણે ડોલર ઈન્ડેક્સ અને ટ્રેઝરી પેદાશમાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે જ્યારે પણ અનિશ્ચિતતા જોવા મળે છે ત્યારે રોકાણકારો સોનામાં રોકાણ વધારે છે. સમગ્ર દુનિયામાં સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. વળી ભારતીય રુપિયાના અવમૂલ્યનના કારણે અહીં સોનાના ભાવમાં અસરકારક વધારો થયો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.