સોનું બે વર્ષ બાદ ફરી ટોચ પર, ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ1800 વધીને 58,000ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 16:33:26

સોનામાં ફરી એકવાર ચમક જોવા મળી છે. પીળી ધાતુંના ભાવમાં વધારો થયો છે. અમદાવાદના બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1800 વધીને રુપિયા 58,000 પ્રતિ 10 ગ્રામના સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી બાદ સ્થાનિક સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવ વધીને 1863.18 ડોલર થયો છે.


સોનાના ભાવ હજુ વધશે


બુલિયન માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવો હજુ વધુ તેજી જોવા મળશે. તેમના અનુમાન મુજબ સ્થાનિક બજારમાં ભાવ વધીને 61,000 પ્રતિ ગ્રામની ટોચે પહોંચે તેવી સંભાવના છે. લગ્નસરાની સિઝનના કારણે સોનાની માંગ વધુ રહેવાની આશા છે. જો કે, આટલા ઉંચા ભાવ ગ્રાહકોને અનૂકુળ ન હોઈ શકે. જેના કારણે તેઓ જૂના દાગીનાઓના બદલામાં નવા દાગીના ખરીદી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2023ના પ્રારંભથી જ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું તો બે વર્ષના તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. 


સોનામાં તેજી શા માટે?
,

વિશ્વમાં ભૂ-રાજકીય પરિસ્થિતીમાં જોવા મળતી અસ્થિરતા, ચીન અને પૂર્વ એશિયાના દેશોમાં વધી રહેલું કોરોના સંક્રમણ, રશિયા-યુક્રેન યુધ્ધ, યુરોપ અને અમેરિકામાં વધી રહેલી મંદીની શક્યતા, અમેરિકામાં નોકરીઓમાં ઘટાડો, નોન ફાર્મ પેરોલ ડેટાના પરિણામે ઓછી આક્રમક ફેડની અપેક્ષાઓ વચ્ચે ભાવમાં તેજી જોવા મળી હતી. જેના કારણે ડોલર ઈન્ડેક્સ અને ટ્રેઝરી પેદાશમાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે જ્યારે પણ અનિશ્ચિતતા જોવા મળે છે ત્યારે રોકાણકારો સોનામાં રોકાણ વધારે છે. સમગ્ર દુનિયામાં સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. વળી ભારતીય રુપિયાના અવમૂલ્યનના કારણે અહીં સોનાના ભાવમાં અસરકારક વધારો થયો છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.