સોનું બે વર્ષ બાદ ફરી ટોચ પર, ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ1800 વધીને 58,000ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 16:33:26

સોનામાં ફરી એકવાર ચમક જોવા મળી છે. પીળી ધાતુંના ભાવમાં વધારો થયો છે. અમદાવાદના બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1800 વધીને રુપિયા 58,000 પ્રતિ 10 ગ્રામના સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી બાદ સ્થાનિક સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવ વધીને 1863.18 ડોલર થયો છે.


સોનાના ભાવ હજુ વધશે


બુલિયન માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવો હજુ વધુ તેજી જોવા મળશે. તેમના અનુમાન મુજબ સ્થાનિક બજારમાં ભાવ વધીને 61,000 પ્રતિ ગ્રામની ટોચે પહોંચે તેવી સંભાવના છે. લગ્નસરાની સિઝનના કારણે સોનાની માંગ વધુ રહેવાની આશા છે. જો કે, આટલા ઉંચા ભાવ ગ્રાહકોને અનૂકુળ ન હોઈ શકે. જેના કારણે તેઓ જૂના દાગીનાઓના બદલામાં નવા દાગીના ખરીદી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2023ના પ્રારંભથી જ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું તો બે વર્ષના તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. 


સોનામાં તેજી શા માટે?
,

વિશ્વમાં ભૂ-રાજકીય પરિસ્થિતીમાં જોવા મળતી અસ્થિરતા, ચીન અને પૂર્વ એશિયાના દેશોમાં વધી રહેલું કોરોના સંક્રમણ, રશિયા-યુક્રેન યુધ્ધ, યુરોપ અને અમેરિકામાં વધી રહેલી મંદીની શક્યતા, અમેરિકામાં નોકરીઓમાં ઘટાડો, નોન ફાર્મ પેરોલ ડેટાના પરિણામે ઓછી આક્રમક ફેડની અપેક્ષાઓ વચ્ચે ભાવમાં તેજી જોવા મળી હતી. જેના કારણે ડોલર ઈન્ડેક્સ અને ટ્રેઝરી પેદાશમાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે જ્યારે પણ અનિશ્ચિતતા જોવા મળે છે ત્યારે રોકાણકારો સોનામાં રોકાણ વધારે છે. સમગ્ર દુનિયામાં સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. વળી ભારતીય રુપિયાના અવમૂલ્યનના કારણે અહીં સોનાના ભાવમાં અસરકારક વધારો થયો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.