સોનું બે વર્ષ બાદ ફરી ટોચ પર, ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ1800 વધીને 58,000ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 16:33:26

સોનામાં ફરી એકવાર ચમક જોવા મળી છે. પીળી ધાતુંના ભાવમાં વધારો થયો છે. અમદાવાદના બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1800 વધીને રુપિયા 58,000 પ્રતિ 10 ગ્રામના સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી બાદ સ્થાનિક સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવ વધીને 1863.18 ડોલર થયો છે.


સોનાના ભાવ હજુ વધશે


બુલિયન માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવો હજુ વધુ તેજી જોવા મળશે. તેમના અનુમાન મુજબ સ્થાનિક બજારમાં ભાવ વધીને 61,000 પ્રતિ ગ્રામની ટોચે પહોંચે તેવી સંભાવના છે. લગ્નસરાની સિઝનના કારણે સોનાની માંગ વધુ રહેવાની આશા છે. જો કે, આટલા ઉંચા ભાવ ગ્રાહકોને અનૂકુળ ન હોઈ શકે. જેના કારણે તેઓ જૂના દાગીનાઓના બદલામાં નવા દાગીના ખરીદી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2023ના પ્રારંભથી જ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું તો બે વર્ષના તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. 


સોનામાં તેજી શા માટે?
,

વિશ્વમાં ભૂ-રાજકીય પરિસ્થિતીમાં જોવા મળતી અસ્થિરતા, ચીન અને પૂર્વ એશિયાના દેશોમાં વધી રહેલું કોરોના સંક્રમણ, રશિયા-યુક્રેન યુધ્ધ, યુરોપ અને અમેરિકામાં વધી રહેલી મંદીની શક્યતા, અમેરિકામાં નોકરીઓમાં ઘટાડો, નોન ફાર્મ પેરોલ ડેટાના પરિણામે ઓછી આક્રમક ફેડની અપેક્ષાઓ વચ્ચે ભાવમાં તેજી જોવા મળી હતી. જેના કારણે ડોલર ઈન્ડેક્સ અને ટ્રેઝરી પેદાશમાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે જ્યારે પણ અનિશ્ચિતતા જોવા મળે છે ત્યારે રોકાણકારો સોનામાં રોકાણ વધારે છે. સમગ્ર દુનિયામાં સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. વળી ભારતીય રુપિયાના અવમૂલ્યનના કારણે અહીં સોનાના ભાવમાં અસરકારક વધારો થયો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.