ગોંડલના મરચાની માગ વધી, જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં એક મણના 10 હજાર ભાવ બોલાયો


  • Published By :
  • Published Date : 2023-01-08 14:24:20

તીખાતમતા મરચાનો સ્વાદ ઘણાને પસંદ નથી હોતો, જો કે તેના ખેડૂતોને આ મરચા ગોંળ જેવા ગળ્યા લાગી રહ્યા છે. ગોંડલના ખેડ઼ૂતોના લાલ મરચાં હાઈ ક્વોલિટીના હોવાથી તે મરચાંનો 10 હજાર પ્રતિ મણનો ભાવ બોલાયો છે.હાલમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને 2500થી લઈને 10 હજાર સુધીનો ભાવ મળતા હોવાથી અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો મરચાં સાથે હાપા માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે. જીરૂમાં પણ તેજી યથાવત રહેતા ખેડૂતોને જીરૂના રૂ.6400 ભાવ ઉપજયા હતાં.


મરચાનો સારો ભાવ મળતા ખેડૂતોને બખ્ખાં


મરચાની ખેતી કરતા ખેડૂતો શનિવારે ગોંડલના  લાલ મરચા ભારીઓ લઇને હાપા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતાં. હરાજીમાં તેઓને 20 કીલો મરચાના ભાવ 10 હજાર રૂપિયા મળતા તેમની ખુશીનો પાર રહ્યો ન હતો.. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં લાલ મરચાના અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ રહ્યા હતાં. એક દિવસમાં 37319 મણ જણસ આવી હતી.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.