ગોંડલના મરચાની માગ વધી, જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં એક મણના 10 હજાર ભાવ બોલાયો


  • Published By :
  • Published Date : 2023-01-08 14:24:20

તીખાતમતા મરચાનો સ્વાદ ઘણાને પસંદ નથી હોતો, જો કે તેના ખેડૂતોને આ મરચા ગોંળ જેવા ગળ્યા લાગી રહ્યા છે. ગોંડલના ખેડ઼ૂતોના લાલ મરચાં હાઈ ક્વોલિટીના હોવાથી તે મરચાંનો 10 હજાર પ્રતિ મણનો ભાવ બોલાયો છે.હાલમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને 2500થી લઈને 10 હજાર સુધીનો ભાવ મળતા હોવાથી અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો મરચાં સાથે હાપા માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે. જીરૂમાં પણ તેજી યથાવત રહેતા ખેડૂતોને જીરૂના રૂ.6400 ભાવ ઉપજયા હતાં.


મરચાનો સારો ભાવ મળતા ખેડૂતોને બખ્ખાં


મરચાની ખેતી કરતા ખેડૂતો શનિવારે ગોંડલના  લાલ મરચા ભારીઓ લઇને હાપા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતાં. હરાજીમાં તેઓને 20 કીલો મરચાના ભાવ 10 હજાર રૂપિયા મળતા તેમની ખુશીનો પાર રહ્યો ન હતો.. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં લાલ મરચાના અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ રહ્યા હતાં. એક દિવસમાં 37319 મણ જણસ આવી હતી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.