કર્ણાટકમાં કોંગ્રેસનું સારૂ પ્રદર્શન! ચૂંટણી પંચના વલણોમાં કોંગ્રેસ આટલી સીટો પર આગળ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-13 12:57:16

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 224 સીટો માટે વિધાનસભા ચૂંટણી  10 મેના રોજ યોજાઈ હતી. ત્યારે હાલ વલણમાં કોંગ્રેસને 128 સીટ, ભાજપને 67 સીટ મળી છે જ્યારે જેડીએસ 22 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવશે તેવી વાત એક્ઝિટ પોલમાં જોવા મળી હતી. કોંગ્રેસ આગળ ચાલી રહી છે જેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે બે ત્રણ કલાક રાહ જુઓ બધું સ્પષ્ટ થઈ જશે.


કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉજવણી!

કોંગ્રેસની તરફેણમાં પરિણામ આવતા કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ક્યાંક હવન કરવામાં આવી રહ્યો છે કે તો ક્યાંક ઢોલ નગારા વગાડી પરિણામની ઉજવણી કરવામાં  આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ તમામ ધારાસભ્યોને બેંગ્લુરૂ બોલાવ્યા છે. રવિવારે કોંગ્રેસ દ્વારા વિધાયક દળની બેઠક બોલાવામાં આવી છે. કર્ણાટકમાં 72.82 ટકા મતદાન થયું હતું. હાલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.