કર્ણાટકમાં કોંગ્રેસનું સારૂ પ્રદર્શન! ચૂંટણી પંચના વલણોમાં કોંગ્રેસ આટલી સીટો પર આગળ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-13 12:57:16

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 224 સીટો માટે વિધાનસભા ચૂંટણી  10 મેના રોજ યોજાઈ હતી. ત્યારે હાલ વલણમાં કોંગ્રેસને 128 સીટ, ભાજપને 67 સીટ મળી છે જ્યારે જેડીએસ 22 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવશે તેવી વાત એક્ઝિટ પોલમાં જોવા મળી હતી. કોંગ્રેસ આગળ ચાલી રહી છે જેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે બે ત્રણ કલાક રાહ જુઓ બધું સ્પષ્ટ થઈ જશે.


કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉજવણી!

કોંગ્રેસની તરફેણમાં પરિણામ આવતા કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ક્યાંક હવન કરવામાં આવી રહ્યો છે કે તો ક્યાંક ઢોલ નગારા વગાડી પરિણામની ઉજવણી કરવામાં  આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ તમામ ધારાસભ્યોને બેંગ્લુરૂ બોલાવ્યા છે. રવિવારે કોંગ્રેસ દ્વારા વિધાયક દળની બેઠક બોલાવામાં આવી છે. કર્ણાટકમાં 72.82 ટકા મતદાન થયું હતું. હાલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.