કર્ણાટકમાં કોંગ્રેસનું સારૂ પ્રદર્શન! ચૂંટણી પંચના વલણોમાં કોંગ્રેસ આટલી સીટો પર આગળ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-13 12:57:16

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 224 સીટો માટે વિધાનસભા ચૂંટણી  10 મેના રોજ યોજાઈ હતી. ત્યારે હાલ વલણમાં કોંગ્રેસને 128 સીટ, ભાજપને 67 સીટ મળી છે જ્યારે જેડીએસ 22 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવશે તેવી વાત એક્ઝિટ પોલમાં જોવા મળી હતી. કોંગ્રેસ આગળ ચાલી રહી છે જેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે બે ત્રણ કલાક રાહ જુઓ બધું સ્પષ્ટ થઈ જશે.


કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉજવણી!

કોંગ્રેસની તરફેણમાં પરિણામ આવતા કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ક્યાંક હવન કરવામાં આવી રહ્યો છે કે તો ક્યાંક ઢોલ નગારા વગાડી પરિણામની ઉજવણી કરવામાં  આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ તમામ ધારાસભ્યોને બેંગ્લુરૂ બોલાવ્યા છે. રવિવારે કોંગ્રેસ દ્વારા વિધાયક દળની બેઠક બોલાવામાં આવી છે. કર્ણાટકમાં 72.82 ટકા મતદાન થયું હતું. હાલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.