Odisha: ભારે વરસાદથી બચવા શ્રમિકોએ ટ્રેનની નીચે લીધો આશરો, માલગાડી અચાનક જ ટ્રેક પર સરકી, 7ના મોત


  • Published By :
  • Published Date : 2023-06-07 22:50:55

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભીષણ રેલવે દુર્ઘટનાના પાંચ દિવસ બાદ વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. ઓડિશાના જાજપુર રોડ રેલવે સ્ટેશન પર બુધવારે માલગાડી નીચે આવી જતા ઓછામાં ઓછા 7 શ્રમિકોના મોત થયા છે અને બે શ્રમિક ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદ વચ્ચે આ શ્રમિકો ત્યા ઉભેલી ગુડ્સ ટ્રેન (માલગાડી)ની નીચે આશરો લીધેલો હતો. આ સંજોગોમાં ઓચિંતા જ એન્જીન વગરની ગાડી પાટા પર ચાલવા લાગી હતી અને શ્રમિકોને તેની નીચેથી નિકળવાની કોઈ તક મળી ન હતી.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


રેલવેના એક પ્રવક્તાએ કહ્યું કે ઓચિંતા જ આંધી આવી હતી. કેટલાક શ્રમિકો નજીકમાં આવેલી રેલવે લાઈન પર કામ કરી રહ્યા હતા. અચાનક જ હવામાન ખરાબ થતાં ગાજવીજ અને સસવાટા મારતા પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો જેથી મજુરો આંધી અને વરસાદથી બચવા માટે માલગાડી નીચે બેસી ગયા હતા. આ માલગાડીમાં એન્જિન લાગેલું નહોતું અને તેજ પવનના કારણે ટ્રેનના ડબ્બા આગળની તરફ દોડવા લાગ્યા હતા. કમનસીબે મજુરો તેની ઝપેટમાં આવી જતા તેમના મોત નિપજ્યા હતા. 


વળતરની ઘોષણા


ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મજૂરોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના નજીકના સંબંધીઓને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પાંચ લાખ રૂપિયા ની જાહેરાત કરી છે. સીએમ  નવીન પટનાયકે અકસ્માતમાં ઘાયલ બે લોકોને યોગ્ય સારવાર આપવાના આદેશ પણ આપ્યા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.