Odisha: ભારે વરસાદથી બચવા શ્રમિકોએ ટ્રેનની નીચે લીધો આશરો, માલગાડી અચાનક જ ટ્રેક પર સરકી, 7ના મોત


  • Published By :
  • Published Date : 2023-06-07 22:50:55

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભીષણ રેલવે દુર્ઘટનાના પાંચ દિવસ બાદ વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. ઓડિશાના જાજપુર રોડ રેલવે સ્ટેશન પર બુધવારે માલગાડી નીચે આવી જતા ઓછામાં ઓછા 7 શ્રમિકોના મોત થયા છે અને બે શ્રમિક ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદ વચ્ચે આ શ્રમિકો ત્યા ઉભેલી ગુડ્સ ટ્રેન (માલગાડી)ની નીચે આશરો લીધેલો હતો. આ સંજોગોમાં ઓચિંતા જ એન્જીન વગરની ગાડી પાટા પર ચાલવા લાગી હતી અને શ્રમિકોને તેની નીચેથી નિકળવાની કોઈ તક મળી ન હતી.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


રેલવેના એક પ્રવક્તાએ કહ્યું કે ઓચિંતા જ આંધી આવી હતી. કેટલાક શ્રમિકો નજીકમાં આવેલી રેલવે લાઈન પર કામ કરી રહ્યા હતા. અચાનક જ હવામાન ખરાબ થતાં ગાજવીજ અને સસવાટા મારતા પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો જેથી મજુરો આંધી અને વરસાદથી બચવા માટે માલગાડી નીચે બેસી ગયા હતા. આ માલગાડીમાં એન્જિન લાગેલું નહોતું અને તેજ પવનના કારણે ટ્રેનના ડબ્બા આગળની તરફ દોડવા લાગ્યા હતા. કમનસીબે મજુરો તેની ઝપેટમાં આવી જતા તેમના મોત નિપજ્યા હતા. 


વળતરની ઘોષણા


ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મજૂરોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના નજીકના સંબંધીઓને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પાંચ લાખ રૂપિયા ની જાહેરાત કરી છે. સીએમ  નવીન પટનાયકે અકસ્માતમાં ઘાયલ બે લોકોને યોગ્ય સારવાર આપવાના આદેશ પણ આપ્યા છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.