ભારતના 74માં પ્રજાસત્તાક દિવસે ગુગલે તૈયાર કર્યું સુંદર ડુડલ, હેન્ડ કટ પેપર કળાને પ્રદર્શિત કરી


  • Published By :
  • Published Date : 2023-01-26 15:08:47

જગવિખ્યાત સર્ચ એન્જિન ગુગલ વિવિધ પ્રસંગોએ ગુગલ ડુડલ બનાવી તેની ઉજવણી કરતું રહે છે. ભારતના 74માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુગલે હેન્ડ કટ પેપર (હાથથી કાગળ પર બનાવામાં આવતું ચિત્ર) કળાને પ્રદર્શિત કરતું એક અદભુત ડુડલ બનાવીને દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભકામનાો પાઠવી છે. આ ડુડલમાં રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, નોર્થ અને સાઉથ બ્લોક જેવી ઐતિહાસિક ઈમારતો અને સ્મારકોની સાથે-સાથે પ્રજાસત્તાક દિવસની પરંપરાગત પરેડને પણ પ્રતિબિંબિત કરતી સેનાની ટુકડીઓ અને મોટરસાઈકલ પર કરતબ કરતા જવાનો બતાવવામાં આવ્યા છે.


શબ્દને અનોખી રીતે લખવામાં આવ્યા 


હેન્ડ-કટ પેપર કળાને પ્રદર્શિત કરતા આ ડુડલની આગળ જ ગગલના  અંગ્રેજી સ્પેલિંગના શબ્દો 'જી' 'ઓ' 'જી' 'એલ' અને 'ઈ'ને અગ્રેજીની વર્ણમાણામાં લખ્યા છે.  ત્યાંજ રાષ્ટ્રપતિ ભવનના ગુંબજની ઉપર એક વૃત સાંકેતિકરૂપે ગુગલના સ્પેલિંગના બીજા અક્ષર 'ઓ'ને પ્રતિબંધિત કરી રહ્યો છે. ગુગલની વેબસાઈટ પ્રમાણે "આજે ડુડલ ભારતનો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે. આ ડુડલને અમદાવાદના અતિથિ કલાકાર પાર્થ કોઠેકરને બનાવ્યું છે." 


એક વીડિયો પણ શેઅર કર્યો છે


ડુડલ બનાવવાનો એક વીડિયો પણ વેબસાઈટ પર શેઅર કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં કોઠેકર હાથથી ડુડલ બનાવતા જોવા મળી રહ્યા છે. કોઠેકરે કહ્યું હું ભારતનું એક ચિત્ર બતાવવા માંગતો હતો. વેબસાઈટ પર એક નિવેદનમાં કહેવામાં આવ્યું આજનું આ ડુડલ જટિલ સ્વરૂપથી એક કાગળ પર બનાવવામાં આવ્યું. પ્રજાલત્તાક દિવસ પરેડની અનેક ક્ષણોને દર્શાવવામાં આવ્યું અને મોટરસાઈકલ પર સવાર જવાન સામેલ છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.