ભારતના 74માં પ્રજાસત્તાક દિવસે ગુગલે તૈયાર કર્યું સુંદર ડુડલ, હેન્ડ કટ પેપર કળાને પ્રદર્શિત કરી


  • Published By :
  • Published Date : 2023-01-26 15:08:47

જગવિખ્યાત સર્ચ એન્જિન ગુગલ વિવિધ પ્રસંગોએ ગુગલ ડુડલ બનાવી તેની ઉજવણી કરતું રહે છે. ભારતના 74માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુગલે હેન્ડ કટ પેપર (હાથથી કાગળ પર બનાવામાં આવતું ચિત્ર) કળાને પ્રદર્શિત કરતું એક અદભુત ડુડલ બનાવીને દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભકામનાો પાઠવી છે. આ ડુડલમાં રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, નોર્થ અને સાઉથ બ્લોક જેવી ઐતિહાસિક ઈમારતો અને સ્મારકોની સાથે-સાથે પ્રજાસત્તાક દિવસની પરંપરાગત પરેડને પણ પ્રતિબિંબિત કરતી સેનાની ટુકડીઓ અને મોટરસાઈકલ પર કરતબ કરતા જવાનો બતાવવામાં આવ્યા છે.


શબ્દને અનોખી રીતે લખવામાં આવ્યા 


હેન્ડ-કટ પેપર કળાને પ્રદર્શિત કરતા આ ડુડલની આગળ જ ગગલના  અંગ્રેજી સ્પેલિંગના શબ્દો 'જી' 'ઓ' 'જી' 'એલ' અને 'ઈ'ને અગ્રેજીની વર્ણમાણામાં લખ્યા છે.  ત્યાંજ રાષ્ટ્રપતિ ભવનના ગુંબજની ઉપર એક વૃત સાંકેતિકરૂપે ગુગલના સ્પેલિંગના બીજા અક્ષર 'ઓ'ને પ્રતિબંધિત કરી રહ્યો છે. ગુગલની વેબસાઈટ પ્રમાણે "આજે ડુડલ ભારતનો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે. આ ડુડલને અમદાવાદના અતિથિ કલાકાર પાર્થ કોઠેકરને બનાવ્યું છે." 


એક વીડિયો પણ શેઅર કર્યો છે


ડુડલ બનાવવાનો એક વીડિયો પણ વેબસાઈટ પર શેઅર કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં કોઠેકર હાથથી ડુડલ બનાવતા જોવા મળી રહ્યા છે. કોઠેકરે કહ્યું હું ભારતનું એક ચિત્ર બતાવવા માંગતો હતો. વેબસાઈટ પર એક નિવેદનમાં કહેવામાં આવ્યું આજનું આ ડુડલ જટિલ સ્વરૂપથી એક કાગળ પર બનાવવામાં આવ્યું. પ્રજાલત્તાક દિવસ પરેડની અનેક ક્ષણોને દર્શાવવામાં આવ્યું અને મોટરસાઈકલ પર સવાર જવાન સામેલ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.