ભારતના 74માં પ્રજાસત્તાક દિવસે ગુગલે તૈયાર કર્યું સુંદર ડુડલ, હેન્ડ કટ પેપર કળાને પ્રદર્શિત કરી


  • Published By :
  • Published Date : 2023-01-26 15:08:47

જગવિખ્યાત સર્ચ એન્જિન ગુગલ વિવિધ પ્રસંગોએ ગુગલ ડુડલ બનાવી તેની ઉજવણી કરતું રહે છે. ભારતના 74માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુગલે હેન્ડ કટ પેપર (હાથથી કાગળ પર બનાવામાં આવતું ચિત્ર) કળાને પ્રદર્શિત કરતું એક અદભુત ડુડલ બનાવીને દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભકામનાો પાઠવી છે. આ ડુડલમાં રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, નોર્થ અને સાઉથ બ્લોક જેવી ઐતિહાસિક ઈમારતો અને સ્મારકોની સાથે-સાથે પ્રજાસત્તાક દિવસની પરંપરાગત પરેડને પણ પ્રતિબિંબિત કરતી સેનાની ટુકડીઓ અને મોટરસાઈકલ પર કરતબ કરતા જવાનો બતાવવામાં આવ્યા છે.


શબ્દને અનોખી રીતે લખવામાં આવ્યા 


હેન્ડ-કટ પેપર કળાને પ્રદર્શિત કરતા આ ડુડલની આગળ જ ગગલના  અંગ્રેજી સ્પેલિંગના શબ્દો 'જી' 'ઓ' 'જી' 'એલ' અને 'ઈ'ને અગ્રેજીની વર્ણમાણામાં લખ્યા છે.  ત્યાંજ રાષ્ટ્રપતિ ભવનના ગુંબજની ઉપર એક વૃત સાંકેતિકરૂપે ગુગલના સ્પેલિંગના બીજા અક્ષર 'ઓ'ને પ્રતિબંધિત કરી રહ્યો છે. ગુગલની વેબસાઈટ પ્રમાણે "આજે ડુડલ ભારતનો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે. આ ડુડલને અમદાવાદના અતિથિ કલાકાર પાર્થ કોઠેકરને બનાવ્યું છે." 


એક વીડિયો પણ શેઅર કર્યો છે


ડુડલ બનાવવાનો એક વીડિયો પણ વેબસાઈટ પર શેઅર કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં કોઠેકર હાથથી ડુડલ બનાવતા જોવા મળી રહ્યા છે. કોઠેકરે કહ્યું હું ભારતનું એક ચિત્ર બતાવવા માંગતો હતો. વેબસાઈટ પર એક નિવેદનમાં કહેવામાં આવ્યું આજનું આ ડુડલ જટિલ સ્વરૂપથી એક કાગળ પર બનાવવામાં આવ્યું. પ્રજાલત્તાક દિવસ પરેડની અનેક ક્ષણોને દર્શાવવામાં આવ્યું અને મોટરસાઈકલ પર સવાર જવાન સામેલ છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.