ભારતના 74માં પ્રજાસત્તાક દિવસે ગુગલે તૈયાર કર્યું સુંદર ડુડલ, હેન્ડ કટ પેપર કળાને પ્રદર્શિત કરી


  • Published By :
  • Published Date : 2023-01-26 15:08:47

જગવિખ્યાત સર્ચ એન્જિન ગુગલ વિવિધ પ્રસંગોએ ગુગલ ડુડલ બનાવી તેની ઉજવણી કરતું રહે છે. ભારતના 74માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુગલે હેન્ડ કટ પેપર (હાથથી કાગળ પર બનાવામાં આવતું ચિત્ર) કળાને પ્રદર્શિત કરતું એક અદભુત ડુડલ બનાવીને દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભકામનાો પાઠવી છે. આ ડુડલમાં રાષ્ટ્રપતિ ભવન, ઈન્ડિયા ગેટ, નોર્થ અને સાઉથ બ્લોક જેવી ઐતિહાસિક ઈમારતો અને સ્મારકોની સાથે-સાથે પ્રજાસત્તાક દિવસની પરંપરાગત પરેડને પણ પ્રતિબિંબિત કરતી સેનાની ટુકડીઓ અને મોટરસાઈકલ પર કરતબ કરતા જવાનો બતાવવામાં આવ્યા છે.


શબ્દને અનોખી રીતે લખવામાં આવ્યા 


હેન્ડ-કટ પેપર કળાને પ્રદર્શિત કરતા આ ડુડલની આગળ જ ગગલના  અંગ્રેજી સ્પેલિંગના શબ્દો 'જી' 'ઓ' 'જી' 'એલ' અને 'ઈ'ને અગ્રેજીની વર્ણમાણામાં લખ્યા છે.  ત્યાંજ રાષ્ટ્રપતિ ભવનના ગુંબજની ઉપર એક વૃત સાંકેતિકરૂપે ગુગલના સ્પેલિંગના બીજા અક્ષર 'ઓ'ને પ્રતિબંધિત કરી રહ્યો છે. ગુગલની વેબસાઈટ પ્રમાણે "આજે ડુડલ ભારતનો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે. આ ડુડલને અમદાવાદના અતિથિ કલાકાર પાર્થ કોઠેકરને બનાવ્યું છે." 


એક વીડિયો પણ શેઅર કર્યો છે


ડુડલ બનાવવાનો એક વીડિયો પણ વેબસાઈટ પર શેઅર કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં કોઠેકર હાથથી ડુડલ બનાવતા જોવા મળી રહ્યા છે. કોઠેકરે કહ્યું હું ભારતનું એક ચિત્ર બતાવવા માંગતો હતો. વેબસાઈટ પર એક નિવેદનમાં કહેવામાં આવ્યું આજનું આ ડુડલ જટિલ સ્વરૂપથી એક કાગળ પર બનાવવામાં આવ્યું. પ્રજાલત્તાક દિવસ પરેડની અનેક ક્ષણોને દર્શાવવામાં આવ્યું અને મોટરસાઈકલ પર સવાર જવાન સામેલ છે.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?