દુનિયાભરની ટેક કંપનીઓ શા માટે કરી રહી છે મોટાપાયે છટણીઓ? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-23 15:06:55

છેલ્લા કેટલાક મહિનાઓથી દુનિયાભરના અખબારોમાં છટણી...છટણીના સમાચારો જ વાંચવા મળી રહ્યા છે. વિશ્વની ટોચની ટેક  કંપનીઓના કર્મચારીઓ પર પણ છટણીનો ખતરો તોળાઈ રહ્યો છે. માઈક્રોસોફ્ટ, ગુગલ, અને મેટાએ પણ તાજેતરમાં જ તેના કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ છટણીના સમાચારો વાચીએ ત્યારે મગજમાં તે વિચાર આવે કે આવી સ્થીતી શા માટે સર્જાઈ તે અંગે પણ વિચારવા જેવું છે.  


કેટલા લોકોએ નોકરી ગુમાવી?


બ્લુમબર્ગની એક રિપોર્ટના અનુસાર ગત વર્ષે લગભગ એક લાખથઈ પણ વધુ લોકોએ તેમની નોકરી  ગુમાવી છે. અને વર્ષ 2023માં પણ આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગ જગતની નોકરીઓ પર નજર રાખતી વેબસાઈટ layoffs.fyiના જણાવ્યા પ્રમાણે બે ડઝનથી પણ વધુ અમેરિકન ટેક કંપનીઓએ કહ્યું કે તે તેના કર્મચારીઓની સંખ્યામાં 10 ટકા જેટલો કે તેથી વધુની છટણી કરશે.


કોવિડ બાદ પરિસ્થિતી વધુ વણસી


દુનિયાની ટેક કંપનીઓમાં છટણી શા માટે થઈ રહી છે? જવાબમાં નિષ્ણાતોનું  કહેવું છે કે કોવિડ મહામારીના સમયમાં લોકડાઉન દરમિયાન ટેક કંપનીઓમાં મોટા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. ત્યારે પરિસ્થિતી અનુકુળ હતી. પરંતું જ્યારે લોકડાઉનની મુદત પૂરી થઈ અને માર્કેટ ખુલ્યું તો ટેક સેક્ટરની સ્થિતી વધુ ખરાબ થઈ ગઈ. લોકડાઉન દરમિયાન લાખો લોકો લોકડાઉનમાં ઘરેથી કામ કરતા હતા. આ જ કારણે કંપનીઓની ટેકનોલોજી માગ વધી રહી હતી. પરંતું લોકો ઘરેથી ઓફિસ જવા લાગ્યા ત્યારે ટેક કંપનીઓની માગ ઘટી ગઈ હતી.


આર્થિક મંદીનો ભય


ટેક કંપનીઓમાં થઈ રહેલી છટણીઓ પાછળ એક દલીલ તે પણ આપવામાં આવી રહી છે કે દુનિયાભરમાં મંદીનો માહોલ છે. કંપનીઓ તેમનો ખર્ચ ઘટાડવા પર ફોકસ કરી રહી છે. છટણી કરીને કંપનીઓ એક પ્રકારે કરકસર  કરી રહી છે. ગ્લોબલ મંદીના કારણે વૈશ્વિક સ્તરે એમેઝોન, ગુગલ, ટ્વિટર અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પણ કર્મચારીઓની હકાલપટ્ટીનો નિર્ણય કર્યો છે. ભારતમાં પણ ટેક અને એડટેક કંપનીઓએ કોસ્ટ કટિંગનો માર્ગ અપનાવ્યો છે. ભારતમાં મંદી વધુ વકરે તેવું અનુમાન છે, એક રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષની તુલનામાં આ વર્ષે આઈટી કંપનીઓએ નવી નોકરીઓ માટે 10 ટકા ઓછી જાહેરાતો આપી છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .