દુનિયાભરની ટેક કંપનીઓ શા માટે કરી રહી છે મોટાપાયે છટણીઓ? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-23 15:06:55

છેલ્લા કેટલાક મહિનાઓથી દુનિયાભરના અખબારોમાં છટણી...છટણીના સમાચારો જ વાંચવા મળી રહ્યા છે. વિશ્વની ટોચની ટેક  કંપનીઓના કર્મચારીઓ પર પણ છટણીનો ખતરો તોળાઈ રહ્યો છે. માઈક્રોસોફ્ટ, ગુગલ, અને મેટાએ પણ તાજેતરમાં જ તેના કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ છટણીના સમાચારો વાચીએ ત્યારે મગજમાં તે વિચાર આવે કે આવી સ્થીતી શા માટે સર્જાઈ તે અંગે પણ વિચારવા જેવું છે.  


કેટલા લોકોએ નોકરી ગુમાવી?


બ્લુમબર્ગની એક રિપોર્ટના અનુસાર ગત વર્ષે લગભગ એક લાખથઈ પણ વધુ લોકોએ તેમની નોકરી  ગુમાવી છે. અને વર્ષ 2023માં પણ આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગ જગતની નોકરીઓ પર નજર રાખતી વેબસાઈટ layoffs.fyiના જણાવ્યા પ્રમાણે બે ડઝનથી પણ વધુ અમેરિકન ટેક કંપનીઓએ કહ્યું કે તે તેના કર્મચારીઓની સંખ્યામાં 10 ટકા જેટલો કે તેથી વધુની છટણી કરશે.


કોવિડ બાદ પરિસ્થિતી વધુ વણસી


દુનિયાની ટેક કંપનીઓમાં છટણી શા માટે થઈ રહી છે? જવાબમાં નિષ્ણાતોનું  કહેવું છે કે કોવિડ મહામારીના સમયમાં લોકડાઉન દરમિયાન ટેક કંપનીઓમાં મોટા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. ત્યારે પરિસ્થિતી અનુકુળ હતી. પરંતું જ્યારે લોકડાઉનની મુદત પૂરી થઈ અને માર્કેટ ખુલ્યું તો ટેક સેક્ટરની સ્થિતી વધુ ખરાબ થઈ ગઈ. લોકડાઉન દરમિયાન લાખો લોકો લોકડાઉનમાં ઘરેથી કામ કરતા હતા. આ જ કારણે કંપનીઓની ટેકનોલોજી માગ વધી રહી હતી. પરંતું લોકો ઘરેથી ઓફિસ જવા લાગ્યા ત્યારે ટેક કંપનીઓની માગ ઘટી ગઈ હતી.


આર્થિક મંદીનો ભય


ટેક કંપનીઓમાં થઈ રહેલી છટણીઓ પાછળ એક દલીલ તે પણ આપવામાં આવી રહી છે કે દુનિયાભરમાં મંદીનો માહોલ છે. કંપનીઓ તેમનો ખર્ચ ઘટાડવા પર ફોકસ કરી રહી છે. છટણી કરીને કંપનીઓ એક પ્રકારે કરકસર  કરી રહી છે. ગ્લોબલ મંદીના કારણે વૈશ્વિક સ્તરે એમેઝોન, ગુગલ, ટ્વિટર અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પણ કર્મચારીઓની હકાલપટ્ટીનો નિર્ણય કર્યો છે. ભારતમાં પણ ટેક અને એડટેક કંપનીઓએ કોસ્ટ કટિંગનો માર્ગ અપનાવ્યો છે. ભારતમાં મંદી વધુ વકરે તેવું અનુમાન છે, એક રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષની તુલનામાં આ વર્ષે આઈટી કંપનીઓએ નવી નોકરીઓ માટે 10 ટકા ઓછી જાહેરાતો આપી છે.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.