દુનિયાભરની ટેક કંપનીઓ શા માટે કરી રહી છે મોટાપાયે છટણીઓ? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-23 15:06:55

છેલ્લા કેટલાક મહિનાઓથી દુનિયાભરના અખબારોમાં છટણી...છટણીના સમાચારો જ વાંચવા મળી રહ્યા છે. વિશ્વની ટોચની ટેક  કંપનીઓના કર્મચારીઓ પર પણ છટણીનો ખતરો તોળાઈ રહ્યો છે. માઈક્રોસોફ્ટ, ગુગલ, અને મેટાએ પણ તાજેતરમાં જ તેના કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ છટણીના સમાચારો વાચીએ ત્યારે મગજમાં તે વિચાર આવે કે આવી સ્થીતી શા માટે સર્જાઈ તે અંગે પણ વિચારવા જેવું છે.  


કેટલા લોકોએ નોકરી ગુમાવી?


બ્લુમબર્ગની એક રિપોર્ટના અનુસાર ગત વર્ષે લગભગ એક લાખથઈ પણ વધુ લોકોએ તેમની નોકરી  ગુમાવી છે. અને વર્ષ 2023માં પણ આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગ જગતની નોકરીઓ પર નજર રાખતી વેબસાઈટ layoffs.fyiના જણાવ્યા પ્રમાણે બે ડઝનથી પણ વધુ અમેરિકન ટેક કંપનીઓએ કહ્યું કે તે તેના કર્મચારીઓની સંખ્યામાં 10 ટકા જેટલો કે તેથી વધુની છટણી કરશે.


કોવિડ બાદ પરિસ્થિતી વધુ વણસી


દુનિયાની ટેક કંપનીઓમાં છટણી શા માટે થઈ રહી છે? જવાબમાં નિષ્ણાતોનું  કહેવું છે કે કોવિડ મહામારીના સમયમાં લોકડાઉન દરમિયાન ટેક કંપનીઓમાં મોટા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. ત્યારે પરિસ્થિતી અનુકુળ હતી. પરંતું જ્યારે લોકડાઉનની મુદત પૂરી થઈ અને માર્કેટ ખુલ્યું તો ટેક સેક્ટરની સ્થિતી વધુ ખરાબ થઈ ગઈ. લોકડાઉન દરમિયાન લાખો લોકો લોકડાઉનમાં ઘરેથી કામ કરતા હતા. આ જ કારણે કંપનીઓની ટેકનોલોજી માગ વધી રહી હતી. પરંતું લોકો ઘરેથી ઓફિસ જવા લાગ્યા ત્યારે ટેક કંપનીઓની માગ ઘટી ગઈ હતી.


આર્થિક મંદીનો ભય


ટેક કંપનીઓમાં થઈ રહેલી છટણીઓ પાછળ એક દલીલ તે પણ આપવામાં આવી રહી છે કે દુનિયાભરમાં મંદીનો માહોલ છે. કંપનીઓ તેમનો ખર્ચ ઘટાડવા પર ફોકસ કરી રહી છે. છટણી કરીને કંપનીઓ એક પ્રકારે કરકસર  કરી રહી છે. ગ્લોબલ મંદીના કારણે વૈશ્વિક સ્તરે એમેઝોન, ગુગલ, ટ્વિટર અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પણ કર્મચારીઓની હકાલપટ્ટીનો નિર્ણય કર્યો છે. ભારતમાં પણ ટેક અને એડટેક કંપનીઓએ કોસ્ટ કટિંગનો માર્ગ અપનાવ્યો છે. ભારતમાં મંદી વધુ વકરે તેવું અનુમાન છે, એક રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષની તુલનામાં આ વર્ષે આઈટી કંપનીઓએ નવી નોકરીઓ માટે 10 ટકા ઓછી જાહેરાતો આપી છે.  



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.