ગૂગલને NCLATએ આપ્યો મોટો ઝટકો, 30 દિવસમાં 1337 કરોડનો દંડ ભરવાનો આદેશ કર્યો


  • Published By :
  • Published Date : 2023-03-29 19:58:25

સર્ચ એન્જિન ગૂગલને મોટો ઝટકો લાગ્યો છે, ગૂગલે 30 દિવસમાં 1337 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. ગૂગલને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLAT) તરફથી પણ રાહત મળી શકી નથી. NCLAT એ Google મામલે CCIએ આપેલા ચુકાદાને યથાવત રાખ્યો છે. આ ઝટકા બાદ ગૂગલે 30 દિવસમાં 1337.76 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. કમિશન ઓફ ઈન્ડિયા એટલે કે CCIએ ઈન્ટરનેટ કંપની પર આ દંડ લગાવ્યો હતો.


30 દિવસમાં દંડ ભરવો પડશે


NCLATની બે સભ્યોની બેન્ચે ગૂગલને નિર્દેશનો અમલ કરવા અને 30 દિવસની અંદર રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. NCLATના ચેરમેન જસ્ટિસ અશોક ભૂષણે CCIના આદેશમાં થોડો સુધારો કર્યો છે. જસ્ટિસ અશોક ભૂષણે આદેશ જાહેર કરતાં  ગૂગલની દલીલોને ફગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં CCIએ ગૂગલ પર આ દંડ લગાવ્યો હતો. એન્ડ્રોઈડ મોબાઈલ કેસમાં ગૂગલને દંડ ફટકારવામાં આવ્યો હતો. ગૂગલે આ ઓર્ડરને NCLATમાં પડકાર્યો હતો.


ગૂગલ પર મોનોપોલીનો આરોપ


ગૂગલ પર પ્લે સ્ટોરની નીતિઓ સાથે સંબંધિત તેની મોનોપોલીનો દુરુપયોગ કરવાના સંબંધમાં CCI દ્વારા ગયા વર્ષે લાદવામાં આવ્યો હતો. સ્પર્ધાને ડામવા માટે એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સેગમેન્ટમાં તેની મજબૂત હાજરીનો દુરુપયોગ કરવાના આરોપોને પગલે CCIએ Google પર દંડ લાદ્યો હતો. CCIએ ગૂગલને 1337 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગૂગલે આ દંડ સામે NCLATના દરવાજા ખખડાવ્યા હતા. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.