ગૂગલને NCLATએ આપ્યો મોટો ઝટકો, 30 દિવસમાં 1337 કરોડનો દંડ ભરવાનો આદેશ કર્યો


  • Published By :
  • Published Date : 2023-03-29 19:58:25

સર્ચ એન્જિન ગૂગલને મોટો ઝટકો લાગ્યો છે, ગૂગલે 30 દિવસમાં 1337 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. ગૂગલને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLAT) તરફથી પણ રાહત મળી શકી નથી. NCLAT એ Google મામલે CCIએ આપેલા ચુકાદાને યથાવત રાખ્યો છે. આ ઝટકા બાદ ગૂગલે 30 દિવસમાં 1337.76 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. કમિશન ઓફ ઈન્ડિયા એટલે કે CCIએ ઈન્ટરનેટ કંપની પર આ દંડ લગાવ્યો હતો.


30 દિવસમાં દંડ ભરવો પડશે


NCLATની બે સભ્યોની બેન્ચે ગૂગલને નિર્દેશનો અમલ કરવા અને 30 દિવસની અંદર રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. NCLATના ચેરમેન જસ્ટિસ અશોક ભૂષણે CCIના આદેશમાં થોડો સુધારો કર્યો છે. જસ્ટિસ અશોક ભૂષણે આદેશ જાહેર કરતાં  ગૂગલની દલીલોને ફગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં CCIએ ગૂગલ પર આ દંડ લગાવ્યો હતો. એન્ડ્રોઈડ મોબાઈલ કેસમાં ગૂગલને દંડ ફટકારવામાં આવ્યો હતો. ગૂગલે આ ઓર્ડરને NCLATમાં પડકાર્યો હતો.


ગૂગલ પર મોનોપોલીનો આરોપ


ગૂગલ પર પ્લે સ્ટોરની નીતિઓ સાથે સંબંધિત તેની મોનોપોલીનો દુરુપયોગ કરવાના સંબંધમાં CCI દ્વારા ગયા વર્ષે લાદવામાં આવ્યો હતો. સ્પર્ધાને ડામવા માટે એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સેગમેન્ટમાં તેની મજબૂત હાજરીનો દુરુપયોગ કરવાના આરોપોને પગલે CCIએ Google પર દંડ લાદ્યો હતો. CCIએ ગૂગલને 1337 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગૂગલે આ દંડ સામે NCLATના દરવાજા ખખડાવ્યા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.