ગૂગલને NCLATએ આપ્યો મોટો ઝટકો, 30 દિવસમાં 1337 કરોડનો દંડ ભરવાનો આદેશ કર્યો


  • Published By :
  • Published Date : 2023-03-29 19:58:25

સર્ચ એન્જિન ગૂગલને મોટો ઝટકો લાગ્યો છે, ગૂગલે 30 દિવસમાં 1337 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. ગૂગલને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLAT) તરફથી પણ રાહત મળી શકી નથી. NCLAT એ Google મામલે CCIએ આપેલા ચુકાદાને યથાવત રાખ્યો છે. આ ઝટકા બાદ ગૂગલે 30 દિવસમાં 1337.76 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. કમિશન ઓફ ઈન્ડિયા એટલે કે CCIએ ઈન્ટરનેટ કંપની પર આ દંડ લગાવ્યો હતો.


30 દિવસમાં દંડ ભરવો પડશે


NCLATની બે સભ્યોની બેન્ચે ગૂગલને નિર્દેશનો અમલ કરવા અને 30 દિવસની અંદર રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. NCLATના ચેરમેન જસ્ટિસ અશોક ભૂષણે CCIના આદેશમાં થોડો સુધારો કર્યો છે. જસ્ટિસ અશોક ભૂષણે આદેશ જાહેર કરતાં  ગૂગલની દલીલોને ફગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં CCIએ ગૂગલ પર આ દંડ લગાવ્યો હતો. એન્ડ્રોઈડ મોબાઈલ કેસમાં ગૂગલને દંડ ફટકારવામાં આવ્યો હતો. ગૂગલે આ ઓર્ડરને NCLATમાં પડકાર્યો હતો.


ગૂગલ પર મોનોપોલીનો આરોપ


ગૂગલ પર પ્લે સ્ટોરની નીતિઓ સાથે સંબંધિત તેની મોનોપોલીનો દુરુપયોગ કરવાના સંબંધમાં CCI દ્વારા ગયા વર્ષે લાદવામાં આવ્યો હતો. સ્પર્ધાને ડામવા માટે એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સેગમેન્ટમાં તેની મજબૂત હાજરીનો દુરુપયોગ કરવાના આરોપોને પગલે CCIએ Google પર દંડ લાદ્યો હતો. CCIએ ગૂગલને 1337 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગૂગલે આ દંડ સામે NCLATના દરવાજા ખખડાવ્યા હતા. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.