ગૂગલને NCLATએ આપ્યો મોટો ઝટકો, 30 દિવસમાં 1337 કરોડનો દંડ ભરવાનો આદેશ કર્યો


  • Published By :
  • Published Date : 2023-03-29 19:58:25

સર્ચ એન્જિન ગૂગલને મોટો ઝટકો લાગ્યો છે, ગૂગલે 30 દિવસમાં 1337 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. ગૂગલને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLAT) તરફથી પણ રાહત મળી શકી નથી. NCLAT એ Google મામલે CCIએ આપેલા ચુકાદાને યથાવત રાખ્યો છે. આ ઝટકા બાદ ગૂગલે 30 દિવસમાં 1337.76 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. કમિશન ઓફ ઈન્ડિયા એટલે કે CCIએ ઈન્ટરનેટ કંપની પર આ દંડ લગાવ્યો હતો.


30 દિવસમાં દંડ ભરવો પડશે


NCLATની બે સભ્યોની બેન્ચે ગૂગલને નિર્દેશનો અમલ કરવા અને 30 દિવસની અંદર રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. NCLATના ચેરમેન જસ્ટિસ અશોક ભૂષણે CCIના આદેશમાં થોડો સુધારો કર્યો છે. જસ્ટિસ અશોક ભૂષણે આદેશ જાહેર કરતાં  ગૂગલની દલીલોને ફગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં CCIએ ગૂગલ પર આ દંડ લગાવ્યો હતો. એન્ડ્રોઈડ મોબાઈલ કેસમાં ગૂગલને દંડ ફટકારવામાં આવ્યો હતો. ગૂગલે આ ઓર્ડરને NCLATમાં પડકાર્યો હતો.


ગૂગલ પર મોનોપોલીનો આરોપ


ગૂગલ પર પ્લે સ્ટોરની નીતિઓ સાથે સંબંધિત તેની મોનોપોલીનો દુરુપયોગ કરવાના સંબંધમાં CCI દ્વારા ગયા વર્ષે લાદવામાં આવ્યો હતો. સ્પર્ધાને ડામવા માટે એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સેગમેન્ટમાં તેની મજબૂત હાજરીનો દુરુપયોગ કરવાના આરોપોને પગલે CCIએ Google પર દંડ લાદ્યો હતો. CCIએ ગૂગલને 1337 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગૂગલે આ દંડ સામે NCLATના દરવાજા ખખડાવ્યા હતા. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.