વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત , આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં કેવી અસર ઉભી કરશે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-25 18:53:26

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે. 

AAP's Gopal Italia Arrives On Gujarat's Political Scene With Visavadar  Victory

તો હવે જાણીએ કે ગોપાલ ઇટાલિયાની જીતના ક્યા કારણો રહ્યા છે? પહેલું કે , ગોપાલ ઇટાલિયાને ચૂંટણી પ્રચાર કરવા માટે વધારે સમય મળ્યો કેમ કે , આમ આદમી પાર્ટીએ વેહલા ટિકિટ જાહેર કરી. સત્તા વિરોધી સ્થાનિક મિજાજનો આમ આદમી પાર્ટીને ફાયદો મળ્યો. આ ચૂંટણીઓમાં લોકલ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સ્થાનિકો સાથે તેમની શૈલીમાં કામ કર્યું. સ્પષ્ટ રણનીતિ સાથે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી. સોશ્યિલ મીડિયાને હથિયાર બનાવ્યું . આમ આદમી પાર્ટી ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓથી જ સોશ્યિલ મીડિયાને હથિયાર બનાવવામાં હોંશિયાર છે. આમ આદમી પાર્ટી પોતાની પીચ પર ભાજપને રમવા લઈ આવ્યા. ચૂંટણી દરમ્યાન ભાજપના નેતાઓ ડિફેન્સિવ દેખાયા. સાથે જ વિસાવદરમાં એવો મેસેજ આપ ક્લિક કરાવી શકી કે , એકને હરાવવા આખું ભાજપ ઉતર્યું છે. 

Visavadar By Election 2025: કોણ છે વિસાવદર બેઠક પરના ભાજપના ઉમેદવાર કિરીટ  પટેલ, જાણો તેમના વિશે બધું - Who Is Kirit Patel? BJP Candidate from  Visavadar Seat – Know His Profile, Biography ...

હવે વાત કરીએ કે , વિસાવદરમાં કિરીટ પટેલની હારના કારણો શું હતા? 10 વર્ષ સંગઠનમાં રહીને કરેલી કથિત તાનાશાહી નડી. વિસાવદરનો સત્તા વિરોધી મિજાજ નડ્યો. સહકાર કૌભાંડમાં નામ ઉછળતા છબી પર અસર થઈ. જનતા સામે તુમાખીવાળું વર્તન ના ચાલ્યું. સંગઠનનું ખુબ જોર પણ આંતરીક વિવાદ સામે ઉપરથી સીધી ટિકિટ મેનેજ કર્યાનો મેસેજ ગયો. હર્ષદ રીબડીયા જેવા નેતાઓએ સાથ ના આપ્યો. ભાજપને જનતા હરાવે તો પણ ધારાસભ્ય ખરીદવાની વૃત્તિ ઉંધી પડી. રસ્તા ભંગાર હાલતમાં અને વાત પેરિસની નડી. એટલુંજ નહિ ભાજપના નેતાઓએ જે બેફામ નિવેદનબાજીઓ કરી તેનાથી તેનું નુકશાન ભાજપને જ થયું. 

Delhi polls: Trinamool, SP to campaign for AAP; Congress left alone

વાત કરીએ , વિસાવદરની પેટાચૂંટણીના ગુજરાતની રાજનીતિ પર કેવી રીતે દૂરની અસર જન્માવી શકે છે? આવનારા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. તેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા નરેટિવ બેટલમાં આગળ રહી શકે છે કે , ભાજપને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તે સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે કેમ? તે ખુબ મોટો યક્ષપ્રશ્ર્ન છે . જો નથી થતું તો , હજુ પણ કોંગ્રેસના વોટશેરમાં આમ આદમી પાર્ટી ભાગ પડાવી શકે છે. આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે બુથ લેવલનું તે કોંગ્રેસ કરતા મજબૂત છે. તો હવે જોઈએ આગળ શું થાય છે? જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. 




ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.

મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે કે, પશુપાલકોને ભાવફેર પેટે , ૪૩૭ કરોડ આપવામાં આવશે. આ નિર્ણય દૂધસાગર ડેરીની ૬૫મી સામાન્ય સભામાં જાહેર કરવામાં આવ્યો છે . આ ઉપરાંત પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોની સ્થિતિમાં સુધારો આવે . આમ દૂધસાગર ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે .