ડુંગળીના ઘટતા ભાવ મુદ્દે ખેડૂતોને મોટી રાહત, કેન્દ્ર સરકારે શરૂ કરી ખરીદી


  • Published By :
  • Published Date : 2023-03-08 22:02:54

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ઘટતા જતા ભાવના કારણે ખેડૂતોને પારાવારા આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. દેશભરમાં ડુંગળીના પુષ્કળ ઉત્પાદનને પગલે આ પ્રકારનો ભાવ ઘટાડો નોંધાયો છે. જો કે હવે સરકાર આ મામલે સક્રિય બની છે, ડુંગળીના ઘટતા જતા ભાવ સામે ખેડુતોને રક્ષણ આપવા માટે સરકારે એજન્સીઓને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરવાનો આદેશ કર્યો છે.  


NAFED અને NCCFને સુચના અપાઈ


સરકાર દ્વારા નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF)ને આદેશ કરી ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવા સૂચના આપી દીધી છે. આ મામલે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું કે છેલ્લા દસ દિવસની અંદર NAFED દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા 900 પ્રતિ 100 કિલોથી વધુના ભાવે લગભગ 4 000 ટન ડુંગળીની ખરીદી કરાઈ છે.


NAFEDએ શરૂ કરી ખરીદી


કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ નાફેડ  NAFEDએ દેશભરમાં લગભગ 40 કેન્દ્રો ખોલ્યા છે. આ કેન્દ્રો પર ખેડૂતો પોતાનો માલ વહેંચી શકે છે અને તેની ચુકવણી ઓનલાઇન કરવામાં આવશે. ત્યારબાદ સ્ટોકની દિલ્હી, કોલકત્તા, ગોવાહાટી, ભુવનેશ્વર,બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ અને કોચી ખાતે ખસેડવાની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .