ડુંગળીના ઘટતા ભાવ મુદ્દે ખેડૂતોને મોટી રાહત, કેન્દ્ર સરકારે શરૂ કરી ખરીદી


  • Published By :
  • Published Date : 2023-03-08 22:02:54

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ઘટતા જતા ભાવના કારણે ખેડૂતોને પારાવારા આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. દેશભરમાં ડુંગળીના પુષ્કળ ઉત્પાદનને પગલે આ પ્રકારનો ભાવ ઘટાડો નોંધાયો છે. જો કે હવે સરકાર આ મામલે સક્રિય બની છે, ડુંગળીના ઘટતા જતા ભાવ સામે ખેડુતોને રક્ષણ આપવા માટે સરકારે એજન્સીઓને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરવાનો આદેશ કર્યો છે.  


NAFED અને NCCFને સુચના અપાઈ


સરકાર દ્વારા નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF)ને આદેશ કરી ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવા સૂચના આપી દીધી છે. આ મામલે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું કે છેલ્લા દસ દિવસની અંદર NAFED દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા 900 પ્રતિ 100 કિલોથી વધુના ભાવે લગભગ 4 000 ટન ડુંગળીની ખરીદી કરાઈ છે.


NAFEDએ શરૂ કરી ખરીદી


કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ નાફેડ  NAFEDએ દેશભરમાં લગભગ 40 કેન્દ્રો ખોલ્યા છે. આ કેન્દ્રો પર ખેડૂતો પોતાનો માલ વહેંચી શકે છે અને તેની ચુકવણી ઓનલાઇન કરવામાં આવશે. ત્યારબાદ સ્ટોકની દિલ્હી, કોલકત્તા, ગોવાહાટી, ભુવનેશ્વર,બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ અને કોચી ખાતે ખસેડવાની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો આજે અંતિમ દિવસ છે. અનેક ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવી દીધું છે જ્યારે આજે અનેક ઉમેદવારો ફોર્મ ભરવાના છે. ગાંધીનગર બઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે, નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ ફોર્મ ભરશે. પરેશ ધાનાણી પણ આજે ફોર્મ ભરવાના છે.

અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..