Omicronના નવા સબ વેરિએન્ટ BF.7 અંગે સરકાર એક્સનમાં, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યોજી બેઠક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:26:11

Omicron ના સબ વેરિએન્ટ BF.7ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ હોવાની પુષ્ટી થયા બાદ સરકાર એક્સનમાં આવી છે. સરકારને આશંકા છે કે દેશમાં ફરીથી કોરોનાના કેસ વધી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ Omicronના સબ વેરએન્ટના ખતરાને જોતા આજે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દિવાળીથી લઈને જરૂરી સાવધાની રાખવા પર ભાર મુકવામાં આવ્યો હતો. 


ગુજરાતમાં સબ વેરિયન્ટ BF.7નો પહેલો કેસ નોંધાયો


અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં અત્યંત સંક્રામક Omicron સબ વેરિયન્ટ BF.7 મળી આવ્યો છે. BF.7 વેરિઅન્ટ પ્રથમ ચીનમાં જોવા મળ્યો હતો અને હવે તે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં સબ-વેરિઅન્ટ સૌથી પહેલો કેસ મળી આવ્યો હતો, જેને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા પુષ્ટિ આપવામાં આવી હતી અને તેને 'ઓમીક્રોન સ્પોન' તરીકે ઓળખવામાં આવ્યો હતો.


WHOએ વાયરલને અત્યંત સંક્રામક ગણાવ્યો


સમગ્ર ચીનમાં કોરોનાના નવા કેસ BF.7 વેરિઅન્ટથી શરૂ થયા છે. હકીકતમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ અત્યંત સંક્રામક BF.7 કોવિડ સબ વેરિયન્ટ અંગે ચેતવણી આપી હતી. તે સબ વેરિયન્ટનું નવું ફ્લેગશિપ વેરિઅન્ટ બનવાની પણ આશા છે. એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, "આ વેરિઅન્ટ વધુ વાયરલ થઈ રહ્યું છે કે કેમ તે જોવા માટે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ."



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.