Omicronના નવા સબ વેરિએન્ટ BF.7 અંગે સરકાર એક્સનમાં, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યોજી બેઠક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:26:11

Omicron ના સબ વેરિએન્ટ BF.7ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ હોવાની પુષ્ટી થયા બાદ સરકાર એક્સનમાં આવી છે. સરકારને આશંકા છે કે દેશમાં ફરીથી કોરોનાના કેસ વધી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ Omicronના સબ વેરએન્ટના ખતરાને જોતા આજે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દિવાળીથી લઈને જરૂરી સાવધાની રાખવા પર ભાર મુકવામાં આવ્યો હતો. 


ગુજરાતમાં સબ વેરિયન્ટ BF.7નો પહેલો કેસ નોંધાયો


અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં અત્યંત સંક્રામક Omicron સબ વેરિયન્ટ BF.7 મળી આવ્યો છે. BF.7 વેરિઅન્ટ પ્રથમ ચીનમાં જોવા મળ્યો હતો અને હવે તે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં સબ-વેરિઅન્ટ સૌથી પહેલો કેસ મળી આવ્યો હતો, જેને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા પુષ્ટિ આપવામાં આવી હતી અને તેને 'ઓમીક્રોન સ્પોન' તરીકે ઓળખવામાં આવ્યો હતો.


WHOએ વાયરલને અત્યંત સંક્રામક ગણાવ્યો


સમગ્ર ચીનમાં કોરોનાના નવા કેસ BF.7 વેરિઅન્ટથી શરૂ થયા છે. હકીકતમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ અત્યંત સંક્રામક BF.7 કોવિડ સબ વેરિયન્ટ અંગે ચેતવણી આપી હતી. તે સબ વેરિયન્ટનું નવું ફ્લેગશિપ વેરિઅન્ટ બનવાની પણ આશા છે. એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, "આ વેરિઅન્ટ વધુ વાયરલ થઈ રહ્યું છે કે કેમ તે જોવા માટે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ."



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.