Omicronના નવા સબ વેરિએન્ટ BF.7 અંગે સરકાર એક્સનમાં, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યોજી બેઠક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:26:11

Omicron ના સબ વેરિએન્ટ BF.7ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ હોવાની પુષ્ટી થયા બાદ સરકાર એક્સનમાં આવી છે. સરકારને આશંકા છે કે દેશમાં ફરીથી કોરોનાના કેસ વધી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ Omicronના સબ વેરએન્ટના ખતરાને જોતા આજે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દિવાળીથી લઈને જરૂરી સાવધાની રાખવા પર ભાર મુકવામાં આવ્યો હતો. 


ગુજરાતમાં સબ વેરિયન્ટ BF.7નો પહેલો કેસ નોંધાયો


અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં અત્યંત સંક્રામક Omicron સબ વેરિયન્ટ BF.7 મળી આવ્યો છે. BF.7 વેરિઅન્ટ પ્રથમ ચીનમાં જોવા મળ્યો હતો અને હવે તે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં સબ-વેરિઅન્ટ સૌથી પહેલો કેસ મળી આવ્યો હતો, જેને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા પુષ્ટિ આપવામાં આવી હતી અને તેને 'ઓમીક્રોન સ્પોન' તરીકે ઓળખવામાં આવ્યો હતો.


WHOએ વાયરલને અત્યંત સંક્રામક ગણાવ્યો


સમગ્ર ચીનમાં કોરોનાના નવા કેસ BF.7 વેરિઅન્ટથી શરૂ થયા છે. હકીકતમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ અત્યંત સંક્રામક BF.7 કોવિડ સબ વેરિયન્ટ અંગે ચેતવણી આપી હતી. તે સબ વેરિયન્ટનું નવું ફ્લેગશિપ વેરિઅન્ટ બનવાની પણ આશા છે. એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, "આ વેરિઅન્ટ વધુ વાયરલ થઈ રહ્યું છે કે કેમ તે જોવા માટે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ."



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે