સરકારની પહેલ! યોજના 'પ્રેરણા' અંતર્ગત દેશભરના વિદ્યાર્થીઓ કરશેએ શાળામાં અભ્યાસ જ્યાં પીએમ મોદી ભણ્યા હતા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-07 16:51:47

મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળામાં દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કર્યું હતું. ત્યારે દેશભરમાંથી ગણતરીના બાળકોને આ શાળાની મુલાકાતે લઈ જવામાં આવશે અને તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. જે શાળામાં પીએમ મોદી ભણ્યા હતા તે શાળામાં દેશના બાળકો પણ શિક્ષણ મેળવશે તેવું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.  પ્રેરણા નામના કાર્યક્રમ અંતર્ગત બાળકોને શિક્ષણ અપાશે. 


વડનગરની શાળામાં વિદ્યાર્થીઓને અપાશે ટ્રેનિંગ!

દેશના વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં અનેક વખત વડનગરનો ઉલ્લેખ કરતા હોય છે. વડનગરમાં આવેલી શાળામાં તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર દેશભરમાંથી ગણતરીના બાળકોને એ શાળામાં ટ્રેનિંગ આપવામાં આવશે જે શાળામાં પીએમ મોદીએ અભ્યાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ભારતના દરેક જિલ્લામાંથી બે બાળકોને એક અઠવાડિયાના અભ્યાસના ભાગરૂપે વડનગરની શાળામાં મોકલવામાં આવશે.  


'પ્રેરણા' યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અપાશે તાલીમ!

આ મુદ્દે એક અધિકારીએ નિવેદનમાં જણાવ્યું હતું કે 19મી સદીના અંતમાં આવેલી શાળા, જે 2018 સુધી કાર્યરત હતી, તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા વડનગર માટે મેગા પુનઃવિકાસ યોજનાના ભાગરૂપે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સરકારે 6 જૂને જાહેરાત કરી હતી કે શાળા અને યોજનાને 'પ્રેરણા' નામ આપવામાં આવ્યું છે. 30 વિદ્યાર્થીઓની બેચ હશે જેમને એક સપ્તાહ સુધી શાળામાં તાલીમ આપવામાં આવશે. તેમનો સમગ્ર ખર્ચ સાંસ્કૃતિક મંત્રાલય ઉઠાવશે. આ બેચની તાલીમ આ વર્ષ પહેલા શરૂ થઈ જશે તેવી અપેક્ષા છે.


તાલીમમાં શું થશે?

અધિકારીઓએ જણાવ્યું કે કાર્યક્રમમાં અભ્યાસ કરતાં અનુભવ પર વધુ ધ્યાન આપવામાં આવશે. તાલીમ દરમિયાન હિંમત અને કરુણા જેવા જીવન ગુણો વાસ્તવિક જીવનના હીરોની વાર્તાઓ દ્વારા સમજાવવામાં આવશે. મહત્વનું છે કે આ સ્કૂલ વર્ષ 1888માં શરૂ થઈ હતી અને સ્કૂલનું નામ વડનગર કુમાર શાળા નંબર-1 હતું. 2018માં આ સ્કૂલનું રિનોવેશન કરાવ્યા બાદ સ્કૂલને ફરી શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર શાળાનું સમારકામ આર્કિયોલોજીક સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ શાળામાં બાળકોને તાલીમ આપવામાં આવશે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.