સરકારની પહેલ! યોજના 'પ્રેરણા' અંતર્ગત દેશભરના વિદ્યાર્થીઓ કરશેએ શાળામાં અભ્યાસ જ્યાં પીએમ મોદી ભણ્યા હતા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-07 16:51:47

મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળામાં દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કર્યું હતું. ત્યારે દેશભરમાંથી ગણતરીના બાળકોને આ શાળાની મુલાકાતે લઈ જવામાં આવશે અને તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. જે શાળામાં પીએમ મોદી ભણ્યા હતા તે શાળામાં દેશના બાળકો પણ શિક્ષણ મેળવશે તેવું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.  પ્રેરણા નામના કાર્યક્રમ અંતર્ગત બાળકોને શિક્ષણ અપાશે. 


વડનગરની શાળામાં વિદ્યાર્થીઓને અપાશે ટ્રેનિંગ!

દેશના વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં અનેક વખત વડનગરનો ઉલ્લેખ કરતા હોય છે. વડનગરમાં આવેલી શાળામાં તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર દેશભરમાંથી ગણતરીના બાળકોને એ શાળામાં ટ્રેનિંગ આપવામાં આવશે જે શાળામાં પીએમ મોદીએ અભ્યાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ભારતના દરેક જિલ્લામાંથી બે બાળકોને એક અઠવાડિયાના અભ્યાસના ભાગરૂપે વડનગરની શાળામાં મોકલવામાં આવશે.  


'પ્રેરણા' યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અપાશે તાલીમ!

આ મુદ્દે એક અધિકારીએ નિવેદનમાં જણાવ્યું હતું કે 19મી સદીના અંતમાં આવેલી શાળા, જે 2018 સુધી કાર્યરત હતી, તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા વડનગર માટે મેગા પુનઃવિકાસ યોજનાના ભાગરૂપે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સરકારે 6 જૂને જાહેરાત કરી હતી કે શાળા અને યોજનાને 'પ્રેરણા' નામ આપવામાં આવ્યું છે. 30 વિદ્યાર્થીઓની બેચ હશે જેમને એક સપ્તાહ સુધી શાળામાં તાલીમ આપવામાં આવશે. તેમનો સમગ્ર ખર્ચ સાંસ્કૃતિક મંત્રાલય ઉઠાવશે. આ બેચની તાલીમ આ વર્ષ પહેલા શરૂ થઈ જશે તેવી અપેક્ષા છે.


તાલીમમાં શું થશે?

અધિકારીઓએ જણાવ્યું કે કાર્યક્રમમાં અભ્યાસ કરતાં અનુભવ પર વધુ ધ્યાન આપવામાં આવશે. તાલીમ દરમિયાન હિંમત અને કરુણા જેવા જીવન ગુણો વાસ્તવિક જીવનના હીરોની વાર્તાઓ દ્વારા સમજાવવામાં આવશે. મહત્વનું છે કે આ સ્કૂલ વર્ષ 1888માં શરૂ થઈ હતી અને સ્કૂલનું નામ વડનગર કુમાર શાળા નંબર-1 હતું. 2018માં આ સ્કૂલનું રિનોવેશન કરાવ્યા બાદ સ્કૂલને ફરી શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર શાળાનું સમારકામ આર્કિયોલોજીક સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ શાળામાં બાળકોને તાલીમ આપવામાં આવશે.  




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.