સરકારની પહેલ! યોજના 'પ્રેરણા' અંતર્ગત દેશભરના વિદ્યાર્થીઓ કરશેએ શાળામાં અભ્યાસ જ્યાં પીએમ મોદી ભણ્યા હતા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-07 16:51:47

મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળામાં દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કર્યું હતું. ત્યારે દેશભરમાંથી ગણતરીના બાળકોને આ શાળાની મુલાકાતે લઈ જવામાં આવશે અને તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. જે શાળામાં પીએમ મોદી ભણ્યા હતા તે શાળામાં દેશના બાળકો પણ શિક્ષણ મેળવશે તેવું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.  પ્રેરણા નામના કાર્યક્રમ અંતર્ગત બાળકોને શિક્ષણ અપાશે. 


વડનગરની શાળામાં વિદ્યાર્થીઓને અપાશે ટ્રેનિંગ!

દેશના વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં અનેક વખત વડનગરનો ઉલ્લેખ કરતા હોય છે. વડનગરમાં આવેલી શાળામાં તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર દેશભરમાંથી ગણતરીના બાળકોને એ શાળામાં ટ્રેનિંગ આપવામાં આવશે જે શાળામાં પીએમ મોદીએ અભ્યાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ભારતના દરેક જિલ્લામાંથી બે બાળકોને એક અઠવાડિયાના અભ્યાસના ભાગરૂપે વડનગરની શાળામાં મોકલવામાં આવશે.  


'પ્રેરણા' યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અપાશે તાલીમ!

આ મુદ્દે એક અધિકારીએ નિવેદનમાં જણાવ્યું હતું કે 19મી સદીના અંતમાં આવેલી શાળા, જે 2018 સુધી કાર્યરત હતી, તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા વડનગર માટે મેગા પુનઃવિકાસ યોજનાના ભાગરૂપે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સરકારે 6 જૂને જાહેરાત કરી હતી કે શાળા અને યોજનાને 'પ્રેરણા' નામ આપવામાં આવ્યું છે. 30 વિદ્યાર્થીઓની બેચ હશે જેમને એક સપ્તાહ સુધી શાળામાં તાલીમ આપવામાં આવશે. તેમનો સમગ્ર ખર્ચ સાંસ્કૃતિક મંત્રાલય ઉઠાવશે. આ બેચની તાલીમ આ વર્ષ પહેલા શરૂ થઈ જશે તેવી અપેક્ષા છે.


તાલીમમાં શું થશે?

અધિકારીઓએ જણાવ્યું કે કાર્યક્રમમાં અભ્યાસ કરતાં અનુભવ પર વધુ ધ્યાન આપવામાં આવશે. તાલીમ દરમિયાન હિંમત અને કરુણા જેવા જીવન ગુણો વાસ્તવિક જીવનના હીરોની વાર્તાઓ દ્વારા સમજાવવામાં આવશે. મહત્વનું છે કે આ સ્કૂલ વર્ષ 1888માં શરૂ થઈ હતી અને સ્કૂલનું નામ વડનગર કુમાર શાળા નંબર-1 હતું. 2018માં આ સ્કૂલનું રિનોવેશન કરાવ્યા બાદ સ્કૂલને ફરી શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર શાળાનું સમારકામ આર્કિયોલોજીક સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ શાળામાં બાળકોને તાલીમ આપવામાં આવશે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.