ઈઝરાયેલના જવાનો પર ગાઝામાં ગ્રેનેડ હુમલો, 21ના મોત, PM નેતન્યાહૂએ કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2024-01-23 15:48:25

ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે મધ્ય ગાઝામાં એક હુમલામાં તેના 24 જવાનના મોત થયા છે. હમાસ-ઈઝરાયેલ યુધ્ધ શરૂ થયા બાદનો ઈઝરાયેલને આ અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો છે. સેનાના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હેગારીએ મંગળવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સૈનિકો મધ્ય ગાઝામાં સોમવારે બે મકાનોને ધ્વસ્ત કરવા માટે વિસ્ફોટક લગાવવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે જ એક આતંકવાદીએ રોકેટ સંચાલિત ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેના કારણે વિસ્ફોટક ફાટ્યું અને ઈમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગના કાટમાળમાં દટાઈ જવાથી 24 જવાનોના મોત નિપજ્યા હતા. 


PM નેતન્યાહૂએ કર્યું ટ્વીટ


ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ગાઝામાં સૌથી ઘાતક હુમલામાં 24 જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. જો કે તેમણે કહ્યું કે જ્યાં સુધી સંપુર્ણપણે  જીત ના મળે ત્યાં સુધી સેના ગાઝામાં લડતી રહેશે. એક્સ પર એક પોસ્ટમાં નેતન્યાહૂએ કહ્યું યુધ્ધની શરૂઆત બાદ સોમવારનો દિવસ સૌથી મુશ્કેલ દિવસ રહ્યો છે. તેમણે કહ્યું કે સેના આ હુમલાની તપાસ કરશે. 


ગાજામાંથી 20 લાખ લોકો વિસ્થાપિત


ઈઝરાયેલની સેના દ્વારા જમીન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ ગાઝામાં ઈઝરાયેલી સેના પર આ સૌથી ભયાનક હુમલો છે. જો કે ઈઝરાયેલના હુમલા બાદ ગાઝામાં 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. જ્યારે લગભગ 25 હજારથી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે. આ યુધ્ધ ક્યારે બંધ થશે તે અંગે કોઈ સ્પષ્ટપણે કહી શકે તેમ નહીં, ઈઝરાયેલના વડાપ્રધાન આંતરરાષ્ટ્રિય દબાણને પણ ફગાવી ચુક્યા છે.  



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.