ઈઝરાયેલના જવાનો પર ગાઝામાં ગ્રેનેડ હુમલો, 21ના મોત, PM નેતન્યાહૂએ કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2024-01-23 15:48:25

ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે મધ્ય ગાઝામાં એક હુમલામાં તેના 24 જવાનના મોત થયા છે. હમાસ-ઈઝરાયેલ યુધ્ધ શરૂ થયા બાદનો ઈઝરાયેલને આ અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો છે. સેનાના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હેગારીએ મંગળવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સૈનિકો મધ્ય ગાઝામાં સોમવારે બે મકાનોને ધ્વસ્ત કરવા માટે વિસ્ફોટક લગાવવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે જ એક આતંકવાદીએ રોકેટ સંચાલિત ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેના કારણે વિસ્ફોટક ફાટ્યું અને ઈમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગના કાટમાળમાં દટાઈ જવાથી 24 જવાનોના મોત નિપજ્યા હતા. 


PM નેતન્યાહૂએ કર્યું ટ્વીટ


ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ગાઝામાં સૌથી ઘાતક હુમલામાં 24 જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. જો કે તેમણે કહ્યું કે જ્યાં સુધી સંપુર્ણપણે  જીત ના મળે ત્યાં સુધી સેના ગાઝામાં લડતી રહેશે. એક્સ પર એક પોસ્ટમાં નેતન્યાહૂએ કહ્યું યુધ્ધની શરૂઆત બાદ સોમવારનો દિવસ સૌથી મુશ્કેલ દિવસ રહ્યો છે. તેમણે કહ્યું કે સેના આ હુમલાની તપાસ કરશે. 


ગાજામાંથી 20 લાખ લોકો વિસ્થાપિત


ઈઝરાયેલની સેના દ્વારા જમીન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ ગાઝામાં ઈઝરાયેલી સેના પર આ સૌથી ભયાનક હુમલો છે. જો કે ઈઝરાયેલના હુમલા બાદ ગાઝામાં 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. જ્યારે લગભગ 25 હજારથી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે. આ યુધ્ધ ક્યારે બંધ થશે તે અંગે કોઈ સ્પષ્ટપણે કહી શકે તેમ નહીં, ઈઝરાયેલના વડાપ્રધાન આંતરરાષ્ટ્રિય દબાણને પણ ફગાવી ચુક્યા છે.  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.