ઈઝરાયેલના જવાનો પર ગાઝામાં ગ્રેનેડ હુમલો, 21ના મોત, PM નેતન્યાહૂએ કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2024-01-23 15:48:25

ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે મધ્ય ગાઝામાં એક હુમલામાં તેના 24 જવાનના મોત થયા છે. હમાસ-ઈઝરાયેલ યુધ્ધ શરૂ થયા બાદનો ઈઝરાયેલને આ અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો છે. સેનાના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હેગારીએ મંગળવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સૈનિકો મધ્ય ગાઝામાં સોમવારે બે મકાનોને ધ્વસ્ત કરવા માટે વિસ્ફોટક લગાવવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે જ એક આતંકવાદીએ રોકેટ સંચાલિત ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેના કારણે વિસ્ફોટક ફાટ્યું અને ઈમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગના કાટમાળમાં દટાઈ જવાથી 24 જવાનોના મોત નિપજ્યા હતા. 


PM નેતન્યાહૂએ કર્યું ટ્વીટ


ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ગાઝામાં સૌથી ઘાતક હુમલામાં 24 જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. જો કે તેમણે કહ્યું કે જ્યાં સુધી સંપુર્ણપણે  જીત ના મળે ત્યાં સુધી સેના ગાઝામાં લડતી રહેશે. એક્સ પર એક પોસ્ટમાં નેતન્યાહૂએ કહ્યું યુધ્ધની શરૂઆત બાદ સોમવારનો દિવસ સૌથી મુશ્કેલ દિવસ રહ્યો છે. તેમણે કહ્યું કે સેના આ હુમલાની તપાસ કરશે. 


ગાજામાંથી 20 લાખ લોકો વિસ્થાપિત


ઈઝરાયેલની સેના દ્વારા જમીન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ ગાઝામાં ઈઝરાયેલી સેના પર આ સૌથી ભયાનક હુમલો છે. જો કે ઈઝરાયેલના હુમલા બાદ ગાઝામાં 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. જ્યારે લગભગ 25 હજારથી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે. આ યુધ્ધ ક્યારે બંધ થશે તે અંગે કોઈ સ્પષ્ટપણે કહી શકે તેમ નહીં, ઈઝરાયેલના વડાપ્રધાન આંતરરાષ્ટ્રિય દબાણને પણ ફગાવી ચુક્યા છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.