એપ્રિલ 2023માં GST કલેક્શન રેકોર્ડ 1.87 લાખ કરોડે પહોંચ્યું, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ વધ્યું


  • Published By :
  • Published Date : 2023-05-01 20:35:04

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દેશમાં સૌપ્રથમ વખત 1 જુલાઈ,2017માં અમલી કરવામાં આવ્યો હતો. છેલ્લા લગભગ 6 વર્ષમાં પહેલી વખત એપ્રિલ 2023માં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. એપ્રીલમાં જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા થયું છે.  આ પહેલા સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રીલ 2022માં 1.68 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એપ્રીલ 2022ની  તુલનામાં ગત મહિને 19,495 કરોડ રૂપિયા જેટલું જીએસટી કલેક્શન થયું હતું.


સરકારી આંકડા મુજબ એપ્રીલમાં કુલ 1,87,035 કરોડ જીએસટીમાં CGST કલેક્શન 38,440 કરોડ રૂપિયા, SGST કલેક્શન 47,412 કરોડ રૂપિયા, IGST કુલ 89,158 કરોડ રૂપિયા અને સેસ સ્વરૂપમાં 12,025 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.


એપ્રિલ માં રેકોર્ડ GST કલેક્શન


જીએસટીના મોરચે મોદી સરકાર માટે નાણાકિય વર્ષ 2023-24ની શરૂઆત શાનદાર રહેશે. મહિના દર મહિનાની તુલના કરીએ તો માર્ચ-2023માં જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રહ્યું હતું. નાણાકિય વર્ષ 2022-23માં સતત ચોથા મહિને માર્ચમાં કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. પરંતું જીએટીનો અમલ થયા બાદથી અત્યાર સુધી એપ્રિલ-2023માં સૌથી વધુ કલેક્શન થયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ એપ્રિલ 2023માં જીએસટી કલેક્શન ગત વર્ષની તુલનામાં 12 ટકા વધુ છે.  


ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ વધ્યું


નાણાકીય વર્ષ 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના અંદાજ કરતાં વધુ હતું. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 16.61 લાખ કરોડ હતું. તે જ સમયે, નાણાકીય વર્ષ 2021-22માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.12 લાખ કરોડ રૂપિયા હતું. તદનુસાર, 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પાછલા વર્ષ કરતાં 17.63 ટકા વધુ હતું.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.