એપ્રિલ 2023માં GST કલેક્શન રેકોર્ડ 1.87 લાખ કરોડે પહોંચ્યું, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ વધ્યું


  • Published By :
  • Published Date : 2023-05-01 20:35:04

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દેશમાં સૌપ્રથમ વખત 1 જુલાઈ,2017માં અમલી કરવામાં આવ્યો હતો. છેલ્લા લગભગ 6 વર્ષમાં પહેલી વખત એપ્રિલ 2023માં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. એપ્રીલમાં જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા થયું છે.  આ પહેલા સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રીલ 2022માં 1.68 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એપ્રીલ 2022ની  તુલનામાં ગત મહિને 19,495 કરોડ રૂપિયા જેટલું જીએસટી કલેક્શન થયું હતું.


સરકારી આંકડા મુજબ એપ્રીલમાં કુલ 1,87,035 કરોડ જીએસટીમાં CGST કલેક્શન 38,440 કરોડ રૂપિયા, SGST કલેક્શન 47,412 કરોડ રૂપિયા, IGST કુલ 89,158 કરોડ રૂપિયા અને સેસ સ્વરૂપમાં 12,025 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.


એપ્રિલ માં રેકોર્ડ GST કલેક્શન


જીએસટીના મોરચે મોદી સરકાર માટે નાણાકિય વર્ષ 2023-24ની શરૂઆત શાનદાર રહેશે. મહિના દર મહિનાની તુલના કરીએ તો માર્ચ-2023માં જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રહ્યું હતું. નાણાકિય વર્ષ 2022-23માં સતત ચોથા મહિને માર્ચમાં કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. પરંતું જીએટીનો અમલ થયા બાદથી અત્યાર સુધી એપ્રિલ-2023માં સૌથી વધુ કલેક્શન થયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ એપ્રિલ 2023માં જીએસટી કલેક્શન ગત વર્ષની તુલનામાં 12 ટકા વધુ છે.  


ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ વધ્યું


નાણાકીય વર્ષ 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના અંદાજ કરતાં વધુ હતું. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 16.61 લાખ કરોડ હતું. તે જ સમયે, નાણાકીય વર્ષ 2021-22માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.12 લાખ કરોડ રૂપિયા હતું. તદનુસાર, 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પાછલા વર્ષ કરતાં 17.63 ટકા વધુ હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.