UNમાં PM મોદીના નેતૃત્વમાં રચાયો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, 135 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા


  • Published By :
  • Published Date : 2023-06-21 20:35:04

આજે વિશ્વ યોગ દિવસ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના ત્રણ દિવસના  રાજકીય પ્રવાસ પર છે. આજે તેમણે UN હેડક્વાર્ટર ખાતે ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. ત્યાર બાદ UN હેડક્વાર્ટર પરીસરમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સમુહમાં યોગાભ્યાસ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીએ ભદ્રાસન, ઉષ્ટ્રાસન, ઉત્તાન શિશુનાસન, ભુજંગાસન, પવન મુક્તાસન, શવાસન કર્યા હતા. વડાપ્રધાન યોગ કરવા માટે સામાન્ય લોકો વચ્ચે બેસી ગયા હતા. મોદીના બાજુમાં જાણીતો એક્ટર રિચર્ડ ગેરે પણ હતા. યોગથી મોદી અને તમામ લોકોએ ધ્યાન લગાવ્યું હતું. લોકો એક સાથે સમુહમાં ઓમ ઉચ્ચારણ કર્યું હતું.


PM મોદીએ કહ્યું- હું તમને જોઈને ખુશ છું


આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “તમને અહીં જોઈને મને આનંદ થયો. આવવા બદલ આપ સૌનો આભાર. મને કહેવામાં આવ્યું છે કે આજે લગભગ દરેક રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા લોકો અહીં ઉપસ્થિત છે.


નવો વિશ્વ વિક્રમ સર્જાયો


સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલા યોગ કાર્યક્રમે પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે આ કાર્યક્રમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું છે. આ યોગ સેશનમાં મોટાભાગની રાષ્ટ્રીયતા (વિવિધ દેશો) ધરાવતા લોકો હાજર હતા. મતલબ કે લગભગ દરેક રાષ્ટ્રનો એક વ્યક્તિ અથવા પ્રતિનિધિ ઉપસ્થિત હતો.ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી માઈકલ એમ્પ્રીકે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના યોગ કાર્યક્રમમાં 135 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. અગાઉ 140 દેશોના પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા હતી. પરંતુ 135 દેશોના પ્રતિનિધિઓ સાથે પણ તે વિશ્વ વિક્રમ બની ગયો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.