UNમાં PM મોદીના નેતૃત્વમાં રચાયો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, 135 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા


  • Published By :
  • Published Date : 2023-06-21 20:35:04

આજે વિશ્વ યોગ દિવસ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના ત્રણ દિવસના  રાજકીય પ્રવાસ પર છે. આજે તેમણે UN હેડક્વાર્ટર ખાતે ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. ત્યાર બાદ UN હેડક્વાર્ટર પરીસરમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સમુહમાં યોગાભ્યાસ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીએ ભદ્રાસન, ઉષ્ટ્રાસન, ઉત્તાન શિશુનાસન, ભુજંગાસન, પવન મુક્તાસન, શવાસન કર્યા હતા. વડાપ્રધાન યોગ કરવા માટે સામાન્ય લોકો વચ્ચે બેસી ગયા હતા. મોદીના બાજુમાં જાણીતો એક્ટર રિચર્ડ ગેરે પણ હતા. યોગથી મોદી અને તમામ લોકોએ ધ્યાન લગાવ્યું હતું. લોકો એક સાથે સમુહમાં ઓમ ઉચ્ચારણ કર્યું હતું.


PM મોદીએ કહ્યું- હું તમને જોઈને ખુશ છું


આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “તમને અહીં જોઈને મને આનંદ થયો. આવવા બદલ આપ સૌનો આભાર. મને કહેવામાં આવ્યું છે કે આજે લગભગ દરેક રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા લોકો અહીં ઉપસ્થિત છે.


નવો વિશ્વ વિક્રમ સર્જાયો


સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલા યોગ કાર્યક્રમે પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે આ કાર્યક્રમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું છે. આ યોગ સેશનમાં મોટાભાગની રાષ્ટ્રીયતા (વિવિધ દેશો) ધરાવતા લોકો હાજર હતા. મતલબ કે લગભગ દરેક રાષ્ટ્રનો એક વ્યક્તિ અથવા પ્રતિનિધિ ઉપસ્થિત હતો.ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી માઈકલ એમ્પ્રીકે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના યોગ કાર્યક્રમમાં 135 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. અગાઉ 140 દેશોના પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા હતી. પરંતુ 135 દેશોના પ્રતિનિધિઓ સાથે પણ તે વિશ્વ વિક્રમ બની ગયો.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.