ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત CM તરીકે લીધા શપથ, કયા ધારસભ્યને મળ્યું મંત્રી પદ?


  • Published By :
  • Published Date : 2022-12-12 16:43:20

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ આજે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનો શપથવિધી સમારોહ યોજાયો હતો. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શપથવિધી સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 17 ધારાસભ્યોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા.   


કોણ બન્યું કેબિનેટ મંત્રી?


ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય શપથવિધી સમારોહમાં કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, ડો. કુબેર ડિંડોર, કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, ભાનુબહેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે.  


રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ કોણે લીધા?


મુકેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનશેરિયા, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.


કોને સોંપાયો સ્વતંત્ર હવાલો?


સુરતની મજુરા બેઠકથી જીતેલા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદની નિકોલ સીટ પરથી છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા જગદીશ વિશ્વકર્માને રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.


કોની આશા અધુરી રહી?


ભૂપેન્દ્ર પટેલની સરકારના પૂર્વ મંત્રીઓ જેવા કે જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, કિરીટ પટેલ, અર્જુન સિંહ ચૌહાણ, જીતુભાઈ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, ગજેન્દ્ર પરમાર, વિનુ મોરડીયા, દેવાભાઈ માલમ, નરેશ પટેલનું આ વખતે પત્તુ કપાયું છે. તે જ પ્રકારે અલ્પેશ ઠાકોર, જયેશ રાદડિયા, ગણપત વસાવા, શંભુનાથ ટુંડિયા, અમિત ઠાકર, મોહન ઢોડિયા, જે.વી કાકડીયા, શંકર ચૌધરી, અક્ષય પટેલ, દર્શના દેશમુખની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.


કયા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા?


ભવ્ય શપથ વિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ,કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, અને પાર્ટી પ્રમુખ જે પી નડ્ડા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


7 OBC,2 ST ધારાસભ્ય બન્યા મંત્રી


મંત્રી મંડળનું જાતિગત વિશ્લેષણ કરવામાં આવે તો, ત્રણ કડવા પાટીદાર, એક લેઉઆ પાટીદાર મંત્રી, સાત OBC,બે ST,એક SC મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે મંત્રીમંડળમાં એક ક્ષત્રિય, એક જૈન, એક અનાવિલ બ્રાહ્મણને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના પાંચ MLAનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતના બે MLAનો સમાવેશ થયો છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .