ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત CM તરીકે લીધા શપથ, કયા ધારસભ્યને મળ્યું મંત્રી પદ?


  • Published By :
  • Published Date : 2022-12-12 16:43:20

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ આજે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનો શપથવિધી સમારોહ યોજાયો હતો. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શપથવિધી સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 17 ધારાસભ્યોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા.   


કોણ બન્યું કેબિનેટ મંત્રી?


ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય શપથવિધી સમારોહમાં કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, ડો. કુબેર ડિંડોર, કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, ભાનુબહેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે.  


રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ કોણે લીધા?


મુકેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનશેરિયા, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.


કોને સોંપાયો સ્વતંત્ર હવાલો?


સુરતની મજુરા બેઠકથી જીતેલા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદની નિકોલ સીટ પરથી છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા જગદીશ વિશ્વકર્માને રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.


કોની આશા અધુરી રહી?


ભૂપેન્દ્ર પટેલની સરકારના પૂર્વ મંત્રીઓ જેવા કે જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, કિરીટ પટેલ, અર્જુન સિંહ ચૌહાણ, જીતુભાઈ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, ગજેન્દ્ર પરમાર, વિનુ મોરડીયા, દેવાભાઈ માલમ, નરેશ પટેલનું આ વખતે પત્તુ કપાયું છે. તે જ પ્રકારે અલ્પેશ ઠાકોર, જયેશ રાદડિયા, ગણપત વસાવા, શંભુનાથ ટુંડિયા, અમિત ઠાકર, મોહન ઢોડિયા, જે.વી કાકડીયા, શંકર ચૌધરી, અક્ષય પટેલ, દર્શના દેશમુખની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.


કયા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા?


ભવ્ય શપથ વિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ,કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, અને પાર્ટી પ્રમુખ જે પી નડ્ડા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


7 OBC,2 ST ધારાસભ્ય બન્યા મંત્રી


મંત્રી મંડળનું જાતિગત વિશ્લેષણ કરવામાં આવે તો, ત્રણ કડવા પાટીદાર, એક લેઉઆ પાટીદાર મંત્રી, સાત OBC,બે ST,એક SC મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે મંત્રીમંડળમાં એક ક્ષત્રિય, એક જૈન, એક અનાવિલ બ્રાહ્મણને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના પાંચ MLAનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતના બે MLAનો સમાવેશ થયો છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.