ગુજરાત ચૂંટણી 2022: ઉચ્ચ સાક્ષરતા દર ધરાવતી બેઠકો પર પણ ઓછા મતદાનનો રેકોર્ડ


  • Published By :
  • Published Date : 2022-12-07 20:33:43

વિધાનસભાની ચૂંટણી 2022માં મતદાન પ્રત્યે શહેરી ઉદાસીનતા સૌથી મોટી ચિંતાજનક બાબત રહી છે. કારણ કે રાજ્યની લગભગ 43% વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. સાક્ષરતાની ટકાવારી સાથે મતદાનની પેટર્ન પર એક નજર કરીએ તો ચાર મુખ્ય શહેરીકૃત જિલ્લાઓ અને શહેરોમાં શહેરી મતદારોની ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી બાબત છે.


85.3%ના દર સાથે રાજ્યમાં બીજા નંબરના સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતા અમદાવાદ જિલ્લાની માત્ર 59% વસ્તીએ ચૂંટણી દરમિયાન મતદાન કર્યું હતું. સુરત જિલ્લો, 85. 53% સાથે ગુજરાતનો સૌથી વધુ સાક્ષર જિલ્લો છે જો કે ત્યાં પણ રાજ્યની સરેરાશ 64. 43% સામે સરેરાશ 62. 23% મતદાન થયું. રાજકોટ જિલ્લામાં પણ 60. 6% ઓછું મતદાન થયું હતું. જ્યારે તેનો સાક્ષરતા દર 80. 9% છે.


 ગુજરાતમાં 2017 ની સરખામણીમાં આ વર્ષે મતદાનમાં 4 ટકા પોઈન્ટનો એકંદરે ઘટાડો નોંધાયો છે. જો કે, મતદાનમાં સૌથી વધુ ઘટાડો આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો જેવી કે અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર , અને જૂનાગઢ સહિતની શહેરી બેઠકોમાં જોવા મળ્યો છે. 


8 કોર્પોરેશનો બેઠકોમાં મતદાન


આ આઠ કોર્પોરેશનોમાં 45 મતવિસ્તાર છે, જેમાં 58. 97% મતદાન નોંધાયું છે. 2017ની સરખામણીમાં આ વખતે 6 ટકા પોઈન્ટ ઓછા અને 2012ની સરખામણીમાં લગભગ 10 ટકા પોઈન્ટ ઓછું મતદાન નોંધાયું છે. અમદાવાદની 16 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાનમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. શહેરી બેઠકોમાં, જેમાં નોંધપાત્ર શહેરી વસ્તી છે, ગયા સમયની સરખામણીમાં લગભગ 4. 5 ટકા પોઈન્ટ્સનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ 45 બેઠકો પર આ વખતે સરેરાશ 65. 57% મતદાન થયું છે. જો કે, ગ્રામીણ ગુજરાતમાં મતદાનની ટકાવારી 66. 74 હતી, જે 2017 કરતાં માત્ર 2. 96 ટકા ઓછી હતી.


શહેરી શિક્ષિતો નેતાઓથી નિરાશ?


રાજ્યની આઠ કોર્પોરેશનોની 45 બેઠકો પર લોકોમાં મતદાનને લઈ ઘોર નિરાશા અંગે રાજકીય વિશ્લેષકો અને નેતાઓ પણ ચિંતિત છે. શહેરી મતદારો આટલા શિક્ષિત હોવા છતાં પણ શા માટે મતદાન કરવા બહાર નિકળતા નથી તે ચિંતાનો વિષય બન્યો છે. શિક્ષિત મતદારો તેમની રોજીંદી સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી, ખરાબ રસ્તા, શિક્ષણ ફીમાં વધારો, વધતા કરવેરા સહિતની સમસ્યાઓ માટે સત્તા પક્ષના રાજકારણીઓને જવાબદાર માને છે. જો કે રાજ્યમાં એક જ પક્ષની સરકાર છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે પણ મતદારો સંતુષ્ટ નથી વળી તેમને કોઈ યોગ્ય વૈકલ્પિક પક્ષ પણ ન જણાતા તેઓ ઉદાસીન રહ્યા છે. રાજકીય નિષ્ણાતો પણ બાબત તરફ ઈશારો કરે છે જેમ કે એક અગ્રણી વિષ્લેષકના જણાવ્યા પ્રમાણે "આ વખતે, મતદારોનો મોટો વર્ગ કે જેઓ લોકપ્રિય પક્ષને મત આપવા માંગતો ન હતા તેઓ જો કે વૈકલ્પિક પક્ષને પણ મત આપવા માંગતા ન હતા તેથી આ વખતે ઓછું મતદાન થતું જોવા મળ્યું છે."



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.