ગુજરાત ચૂંટણી 2022: ઉચ્ચ સાક્ષરતા દર ધરાવતી બેઠકો પર પણ ઓછા મતદાનનો રેકોર્ડ


  • Published By :
  • Published Date : 2022-12-07 20:33:43

વિધાનસભાની ચૂંટણી 2022માં મતદાન પ્રત્યે શહેરી ઉદાસીનતા સૌથી મોટી ચિંતાજનક બાબત રહી છે. કારણ કે રાજ્યની લગભગ 43% વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. સાક્ષરતાની ટકાવારી સાથે મતદાનની પેટર્ન પર એક નજર કરીએ તો ચાર મુખ્ય શહેરીકૃત જિલ્લાઓ અને શહેરોમાં શહેરી મતદારોની ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી બાબત છે.


85.3%ના દર સાથે રાજ્યમાં બીજા નંબરના સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતા અમદાવાદ જિલ્લાની માત્ર 59% વસ્તીએ ચૂંટણી દરમિયાન મતદાન કર્યું હતું. સુરત જિલ્લો, 85. 53% સાથે ગુજરાતનો સૌથી વધુ સાક્ષર જિલ્લો છે જો કે ત્યાં પણ રાજ્યની સરેરાશ 64. 43% સામે સરેરાશ 62. 23% મતદાન થયું. રાજકોટ જિલ્લામાં પણ 60. 6% ઓછું મતદાન થયું હતું. જ્યારે તેનો સાક્ષરતા દર 80. 9% છે.


 ગુજરાતમાં 2017 ની સરખામણીમાં આ વર્ષે મતદાનમાં 4 ટકા પોઈન્ટનો એકંદરે ઘટાડો નોંધાયો છે. જો કે, મતદાનમાં સૌથી વધુ ઘટાડો આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો જેવી કે અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર , અને જૂનાગઢ સહિતની શહેરી બેઠકોમાં જોવા મળ્યો છે. 


8 કોર્પોરેશનો બેઠકોમાં મતદાન


આ આઠ કોર્પોરેશનોમાં 45 મતવિસ્તાર છે, જેમાં 58. 97% મતદાન નોંધાયું છે. 2017ની સરખામણીમાં આ વખતે 6 ટકા પોઈન્ટ ઓછા અને 2012ની સરખામણીમાં લગભગ 10 ટકા પોઈન્ટ ઓછું મતદાન નોંધાયું છે. અમદાવાદની 16 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાનમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. શહેરી બેઠકોમાં, જેમાં નોંધપાત્ર શહેરી વસ્તી છે, ગયા સમયની સરખામણીમાં લગભગ 4. 5 ટકા પોઈન્ટ્સનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ 45 બેઠકો પર આ વખતે સરેરાશ 65. 57% મતદાન થયું છે. જો કે, ગ્રામીણ ગુજરાતમાં મતદાનની ટકાવારી 66. 74 હતી, જે 2017 કરતાં માત્ર 2. 96 ટકા ઓછી હતી.


શહેરી શિક્ષિતો નેતાઓથી નિરાશ?


રાજ્યની આઠ કોર્પોરેશનોની 45 બેઠકો પર લોકોમાં મતદાનને લઈ ઘોર નિરાશા અંગે રાજકીય વિશ્લેષકો અને નેતાઓ પણ ચિંતિત છે. શહેરી મતદારો આટલા શિક્ષિત હોવા છતાં પણ શા માટે મતદાન કરવા બહાર નિકળતા નથી તે ચિંતાનો વિષય બન્યો છે. શિક્ષિત મતદારો તેમની રોજીંદી સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી, ખરાબ રસ્તા, શિક્ષણ ફીમાં વધારો, વધતા કરવેરા સહિતની સમસ્યાઓ માટે સત્તા પક્ષના રાજકારણીઓને જવાબદાર માને છે. જો કે રાજ્યમાં એક જ પક્ષની સરકાર છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે પણ મતદારો સંતુષ્ટ નથી વળી તેમને કોઈ યોગ્ય વૈકલ્પિક પક્ષ પણ ન જણાતા તેઓ ઉદાસીન રહ્યા છે. રાજકીય નિષ્ણાતો પણ બાબત તરફ ઈશારો કરે છે જેમ કે એક અગ્રણી વિષ્લેષકના જણાવ્યા પ્રમાણે "આ વખતે, મતદારોનો મોટો વર્ગ કે જેઓ લોકપ્રિય પક્ષને મત આપવા માંગતો ન હતા તેઓ જો કે વૈકલ્પિક પક્ષને પણ મત આપવા માંગતા ન હતા તેથી આ વખતે ઓછું મતદાન થતું જોવા મળ્યું છે."



સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.