Gujarat Budget : ગુજરાતના 7 મહાનગરપાલિકાને મળ્યો નગરપાલિકાનો દરજ્જો, અમદાવાદ રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવાશે... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-02 15:29:40

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કર્યું છે. વિવિધ વિભાગો માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. વિવિધ નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થઈ જશે. જેના બાદ તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.  

રિવરફ્રેન્ટને લઈ બજેટમાં કરવામાં આવી આ જાહેરાત 

ગુજરાત રાજ્યનો વિકાસ આગળ વધે તે માટે અનેક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ સત્રની શરૂઆત થઈ તે પહેલા જ કનુ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે. ગાંધીનગરને લઈ અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં અમદાવાદના વિકાસ માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે. છેક ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને લંબાવવામાં આવનાર છે.  



રિવરફ્રન્ટની લંબાઈ થઈ જશે 38.2 કિલોમીટર!

ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે અમદાવાદ રિવરફ્રન્ટને અમદાવાદનો રિવરફ્રન્ટ હવે રાજ્યના પાટનગર સુધી લંબાવવામાં આવશે તેવી જાહેરાત વિધાનસભામાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઇન્‍દિરાબ્રિજથી ગાંધીનગર સુધીના રિવરફ્રન્ટના ભાગને  ફેઝ-4 અને ફેઝ-5 કરવામાં આવશે. આ બાદ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થઈ જશે. જેના બાદ તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.

7 નગરપાલિકાને બનાવાશે મહાનગર પાલિકા 

રિવરફ્રન્ટ ઉપરાંત 7 નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત આજના બજેટ સત્રમાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ગઈકાલથી શરૂ થયેલા બજેટ સત્રનો આજે બીજો દિવસ હતો. જે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી છે તે છે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ થાય છે. 



ખેડૂતો માટે કરાઈ આટલા કરોડની જોગવાઈ! 

વિદ્યાર્થીઓ, મહિલાઓ ઉપરાંત ખેડૂતોને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરી. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ કરી હતી. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ આ બજેટમાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે.   



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.