Gujarat Budget : ગુજરાતના 7 મહાનગરપાલિકાને મળ્યો નગરપાલિકાનો દરજ્જો, અમદાવાદ રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવાશે... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-02 15:29:40

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કર્યું છે. વિવિધ વિભાગો માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. વિવિધ નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થઈ જશે. જેના બાદ તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.  

રિવરફ્રેન્ટને લઈ બજેટમાં કરવામાં આવી આ જાહેરાત 

ગુજરાત રાજ્યનો વિકાસ આગળ વધે તે માટે અનેક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ સત્રની શરૂઆત થઈ તે પહેલા જ કનુ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે. ગાંધીનગરને લઈ અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં અમદાવાદના વિકાસ માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે. છેક ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને લંબાવવામાં આવનાર છે.  



રિવરફ્રન્ટની લંબાઈ થઈ જશે 38.2 કિલોમીટર!

ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે અમદાવાદ રિવરફ્રન્ટને અમદાવાદનો રિવરફ્રન્ટ હવે રાજ્યના પાટનગર સુધી લંબાવવામાં આવશે તેવી જાહેરાત વિધાનસભામાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઇન્‍દિરાબ્રિજથી ગાંધીનગર સુધીના રિવરફ્રન્ટના ભાગને  ફેઝ-4 અને ફેઝ-5 કરવામાં આવશે. આ બાદ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થઈ જશે. જેના બાદ તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.

7 નગરપાલિકાને બનાવાશે મહાનગર પાલિકા 

રિવરફ્રન્ટ ઉપરાંત 7 નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત આજના બજેટ સત્રમાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ગઈકાલથી શરૂ થયેલા બજેટ સત્રનો આજે બીજો દિવસ હતો. જે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી છે તે છે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ થાય છે. 



ખેડૂતો માટે કરાઈ આટલા કરોડની જોગવાઈ! 

વિદ્યાર્થીઓ, મહિલાઓ ઉપરાંત ખેડૂતોને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરી. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ કરી હતી. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ આ બજેટમાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.