Gujarat Budget : ગુજરાતના 7 મહાનગરપાલિકાને મળ્યો નગરપાલિકાનો દરજ્જો, અમદાવાદ રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવાશે... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-02 15:29:40

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કર્યું છે. વિવિધ વિભાગો માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. વિવિધ નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થઈ જશે. જેના બાદ તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.  

રિવરફ્રેન્ટને લઈ બજેટમાં કરવામાં આવી આ જાહેરાત 

ગુજરાત રાજ્યનો વિકાસ આગળ વધે તે માટે અનેક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ સત્રની શરૂઆત થઈ તે પહેલા જ કનુ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે. ગાંધીનગરને લઈ અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં અમદાવાદના વિકાસ માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે. છેક ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને લંબાવવામાં આવનાર છે.  



રિવરફ્રન્ટની લંબાઈ થઈ જશે 38.2 કિલોમીટર!

ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે અમદાવાદ રિવરફ્રન્ટને અમદાવાદનો રિવરફ્રન્ટ હવે રાજ્યના પાટનગર સુધી લંબાવવામાં આવશે તેવી જાહેરાત વિધાનસભામાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઇન્‍દિરાબ્રિજથી ગાંધીનગર સુધીના રિવરફ્રન્ટના ભાગને  ફેઝ-4 અને ફેઝ-5 કરવામાં આવશે. આ બાદ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થઈ જશે. જેના બાદ તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.

7 નગરપાલિકાને બનાવાશે મહાનગર પાલિકા 

રિવરફ્રન્ટ ઉપરાંત 7 નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત આજના બજેટ સત્રમાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ગઈકાલથી શરૂ થયેલા બજેટ સત્રનો આજે બીજો દિવસ હતો. જે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી છે તે છે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ થાય છે. 



ખેડૂતો માટે કરાઈ આટલા કરોડની જોગવાઈ! 

વિદ્યાર્થીઓ, મહિલાઓ ઉપરાંત ખેડૂતોને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરી. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ કરી હતી. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ આ બજેટમાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.