હર્ષ સંઘવીને મળી ખુબ મોટી જવાબદારી બનાવવામાં આવ્યા પ્રવક્તા મંત્રી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-29 14:24:52

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા. 

A world of opportunities awaits students @A'bad Mirror Edu Expo

આજે રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે. ડે. સીએમ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વધુ એક મહત્વની જવાબદારી આપવામાં આવી છે. હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે. આ સાથે મંત્રી જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા છે. આ પહેલા મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા. હવે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે. જીતુ વાઘાણી ભૂતકાળમાં પણ પ્રવક્તા મંત્રીની જવાબદારી સ્વીકારી ચુક્યા છે. હવે આપણે જાણીએ કે , પ્રવક્તા મંત્રીની સરકારમાં શું જવાબદારી હોય છે. પ્રવક્તા મંત્રી રાજ્યસરકારના નીતિ વિષયક નિર્ણયો અને મહત્વપૂર્ણ બાબતોની જાણકારી મીડિયા સમક્ષ રાખતા હોય છે. 

UNITED NEWS OF INDIA

વાત કરીએ , ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની તો , ઉત્તર ગુજરાતમાંથી ૪ , મધ્ય ગુજરાતમાંથી ૭ , દક્ષિણ ગુજરાતમાંથી ૬ અને સૌરાષ્ટ્ર - કચ્છ માંથી ૯ જણને મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી માત્ર જસદણના MLA કુંવરજી બાવળીયાને મંત્રી પદે યથાવત રાખવામાં આવ્યા છે. જેતપુરના MLA જયેશ રાદડિયાનું નામ છેલ્લી ઘડીએ કપાયું છે. 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.