હર્ષ સંઘવીને મળી ખુબ મોટી જવાબદારી બનાવવામાં આવ્યા પ્રવક્તા મંત્રી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-29 14:24:52

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા. 

A world of opportunities awaits students @A'bad Mirror Edu Expo

આજે રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે. ડે. સીએમ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વધુ એક મહત્વની જવાબદારી આપવામાં આવી છે. હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે. આ સાથે મંત્રી જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા છે. આ પહેલા મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા. હવે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે. જીતુ વાઘાણી ભૂતકાળમાં પણ પ્રવક્તા મંત્રીની જવાબદારી સ્વીકારી ચુક્યા છે. હવે આપણે જાણીએ કે , પ્રવક્તા મંત્રીની સરકારમાં શું જવાબદારી હોય છે. પ્રવક્તા મંત્રી રાજ્યસરકારના નીતિ વિષયક નિર્ણયો અને મહત્વપૂર્ણ બાબતોની જાણકારી મીડિયા સમક્ષ રાખતા હોય છે. 

UNITED NEWS OF INDIA

વાત કરીએ , ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની તો , ઉત્તર ગુજરાતમાંથી ૪ , મધ્ય ગુજરાતમાંથી ૭ , દક્ષિણ ગુજરાતમાંથી ૬ અને સૌરાષ્ટ્ર - કચ્છ માંથી ૯ જણને મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી માત્ર જસદણના MLA કુંવરજી બાવળીયાને મંત્રી પદે યથાવત રાખવામાં આવ્યા છે. જેતપુરના MLA જયેશ રાદડિયાનું નામ છેલ્લી ઘડીએ કપાયું છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.