હર્ષ સંઘવીને મળી ખુબ મોટી જવાબદારી બનાવવામાં આવ્યા પ્રવક્તા મંત્રી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-29 14:24:52

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા. 

A world of opportunities awaits students @A'bad Mirror Edu Expo

આજે રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે. ડે. સીએમ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વધુ એક મહત્વની જવાબદારી આપવામાં આવી છે. હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે. આ સાથે મંત્રી જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા છે. આ પહેલા મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા. હવે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે. જીતુ વાઘાણી ભૂતકાળમાં પણ પ્રવક્તા મંત્રીની જવાબદારી સ્વીકારી ચુક્યા છે. હવે આપણે જાણીએ કે , પ્રવક્તા મંત્રીની સરકારમાં શું જવાબદારી હોય છે. પ્રવક્તા મંત્રી રાજ્યસરકારના નીતિ વિષયક નિર્ણયો અને મહત્વપૂર્ણ બાબતોની જાણકારી મીડિયા સમક્ષ રાખતા હોય છે. 

UNITED NEWS OF INDIA

વાત કરીએ , ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની તો , ઉત્તર ગુજરાતમાંથી ૪ , મધ્ય ગુજરાતમાંથી ૭ , દક્ષિણ ગુજરાતમાંથી ૬ અને સૌરાષ્ટ્ર - કચ્છ માંથી ૯ જણને મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી માત્ર જસદણના MLA કુંવરજી બાવળીયાને મંત્રી પદે યથાવત રાખવામાં આવ્યા છે. જેતપુરના MLA જયેશ રાદડિયાનું નામ છેલ્લી ઘડીએ કપાયું છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.