તલાટી કમ મંત્રીઓ માટે ગુડ ન્યૂઝ, સરકારે 5માંથી 4 માંગણી સ્વીકારી, ભથ્થું પણ 900થી વધારી 3 હજાર કર્યુ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 19:34:29

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કર્મચારીઓનો સરકાર સામેનો વિરોધ પણ વધી રહ્યો છે. સરકાર પણ સત્વરે નિર્ણયો લઈ કર્મચારીઓનો અસંતોષ દુર કરવાના પ્રયાસો કરી રહી છે. આજે મંગળવારે રાજ્ય સરકારે તલાટી કમ મંત્રીઓનું ભથ્થું વધારી અને  તેનો આજથી જ અમલ  કરવાનો મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. સરકારના આ પગલાથી તલાટીઓની દિવાળી સુધરી ગઈ છે. 


ભથ્થામાં કેટલો વધારો કર્યો?


રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત બાદ સરકારે આજે ભથ્થામાં વધારો કરવાનો ઠરાવ કર્યો છે. સરકારે બહાર પાડેલ ઠરાવ મુજબ તલાટી કમ મંત્રીઓનું માસિક ભથ્થું વધારીને 3000 કર્યું છે. પહેલાં તલાટી કમ મંત્રીઓને દર મહિને 900 રુપિયાનું ખાસ માસિક ભથ્થું મળતું હતું. જુના ઠરાવને પણ 10 વર્ષ જેટલો સમય વિતવાથી હવે સરકારે ભથ્થામાં 2100 રુપિયાનો વધારો કર્યો છે. આ નવો ઠરાવ આજે એટલે કે 13 સપ્ટેમ્બર 2022થી જ અમલી બનશે. ભથ્થા વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓને મળશે. 


કઈ રીતે આવ્યું પ્રશ્નોનું સમાધાન


રાજ્યના તલાટી કમ મંત્રીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી હડતાળનો માર્ગ અપનાવ્યો હતો. આ કારણે ગ્રામીણ કક્ષાએ કામગીરી ખોરવાઈ હતી. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના તલાટી કમ મંત્રીઓ રાજ્ય પંચાયત તલાટી મહામંડળને પડતર માંગણીઓ અંગે સંતોષવાની બાંહેધરી આપતા 22 ઓગસ્ટના રોજ હડતાળ સમેટી લેવામાં આવી હતી. સરકાર દ્વારા 5માંથી 4 માંગણી સ્વીકારવામાં આવી છે. વધુમાં એક માંગણી માટે સરકાર વિશેષ કમિટિની રચના કરશે. 


શું હતી તલાટીઓની પડતર માંગણીઓ?


તલાટીઓને ઉચ્ચ પગાર ધોરણના લાભ

રેવન્યુને મર્જ કરવા અથવા જોબ ચાર્ટ અલગ કરવા

પ્રથમ-દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખ મુજબ મંજૂર કરવી

2004-05 પછીના તમામ તલાટીઓની નોકરી સળંગ ગણવી

રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા 

પ્રથમ ઉચ્ચર પગાર ધોરણ માટે લેવાતી પરીક્ષા રદ કરવામાં આવે

પંચાયત વિભાગ સિવાયની કામગીરી તલાટીને નહીં આપવાની માગ




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.