તલાટી કમ મંત્રીઓ માટે ગુડ ન્યૂઝ, સરકારે 5માંથી 4 માંગણી સ્વીકારી, ભથ્થું પણ 900થી વધારી 3 હજાર કર્યુ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 19:34:29

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કર્મચારીઓનો સરકાર સામેનો વિરોધ પણ વધી રહ્યો છે. સરકાર પણ સત્વરે નિર્ણયો લઈ કર્મચારીઓનો અસંતોષ દુર કરવાના પ્રયાસો કરી રહી છે. આજે મંગળવારે રાજ્ય સરકારે તલાટી કમ મંત્રીઓનું ભથ્થું વધારી અને  તેનો આજથી જ અમલ  કરવાનો મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. સરકારના આ પગલાથી તલાટીઓની દિવાળી સુધરી ગઈ છે. 


ભથ્થામાં કેટલો વધારો કર્યો?


રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત બાદ સરકારે આજે ભથ્થામાં વધારો કરવાનો ઠરાવ કર્યો છે. સરકારે બહાર પાડેલ ઠરાવ મુજબ તલાટી કમ મંત્રીઓનું માસિક ભથ્થું વધારીને 3000 કર્યું છે. પહેલાં તલાટી કમ મંત્રીઓને દર મહિને 900 રુપિયાનું ખાસ માસિક ભથ્થું મળતું હતું. જુના ઠરાવને પણ 10 વર્ષ જેટલો સમય વિતવાથી હવે સરકારે ભથ્થામાં 2100 રુપિયાનો વધારો કર્યો છે. આ નવો ઠરાવ આજે એટલે કે 13 સપ્ટેમ્બર 2022થી જ અમલી બનશે. ભથ્થા વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓને મળશે. 


કઈ રીતે આવ્યું પ્રશ્નોનું સમાધાન


રાજ્યના તલાટી કમ મંત્રીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી હડતાળનો માર્ગ અપનાવ્યો હતો. આ કારણે ગ્રામીણ કક્ષાએ કામગીરી ખોરવાઈ હતી. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના તલાટી કમ મંત્રીઓ રાજ્ય પંચાયત તલાટી મહામંડળને પડતર માંગણીઓ અંગે સંતોષવાની બાંહેધરી આપતા 22 ઓગસ્ટના રોજ હડતાળ સમેટી લેવામાં આવી હતી. સરકાર દ્વારા 5માંથી 4 માંગણી સ્વીકારવામાં આવી છે. વધુમાં એક માંગણી માટે સરકાર વિશેષ કમિટિની રચના કરશે. 


શું હતી તલાટીઓની પડતર માંગણીઓ?


તલાટીઓને ઉચ્ચ પગાર ધોરણના લાભ

રેવન્યુને મર્જ કરવા અથવા જોબ ચાર્ટ અલગ કરવા

પ્રથમ-દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખ મુજબ મંજૂર કરવી

2004-05 પછીના તમામ તલાટીઓની નોકરી સળંગ ગણવી

રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા 

પ્રથમ ઉચ્ચર પગાર ધોરણ માટે લેવાતી પરીક્ષા રદ કરવામાં આવે

પંચાયત વિભાગ સિવાયની કામગીરી તલાટીને નહીં આપવાની માગ




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."