ગુજરાત હાઈકોર્ટે ફગાવી રાહુલ ગાંધીની અરજી, કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કયા નેતાએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-07 14:17:47

મોદી સરનેમને લઈ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારી હતી. સુરત કોર્ટે તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. ત્યારે તે સજાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને સજામાંથી રાહત મળી શકે છે તેવી આશા કોંગ્રેસના કાર્યકર્તાઓને હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. જેને લઈ તેમની સજા યથાવત રહેશે. રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો છે. જજ હેમંત પ્રચ્છકે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. 

હાઈકોર્ટે ફગાવી રાહુલ ગાંધીની અરજી 

કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર'નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 'બધા ચોરોની સરનેમ'મોદી' કેમ હોય છે ?' તે બાદ પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. થોડા સમય પહેલા સુરતની નીચલી કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. સજાને કારણે તેમની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ થઈ ગઈ હતી. ત્યારે સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. જેને લઈ રાહુલ ગાંધીને મળેલી સજા યથાવત રહેશે.

બેનરો સાથે કોંગ્રેસના નેતાઓએ કર્યો વિરોધ 

ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત હતા. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેવા કે પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ સહિતના નેતાઓએ ટ્વિટર પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત સ્થાનિક કોંગ્રેસના નેતાઓ દ્વારા હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનરો લઈ વિરોધ દર્શાવ્યો હતો. બેનેરોમાં લખેલું હતું લોકશાહી બચાવો, સંવિધાન બચાવો, રાહુલ ગાંધીનો સાથ નહીં છોડે ગુજરાત, રાહુલજીની એક જ વાત ડરો મત. મહત્વનું છે કે ચૂકાદો આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.