ગુજરાત હાઈકોર્ટે ફગાવી રાહુલ ગાંધીની અરજી, કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કયા નેતાએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-07 14:17:47

મોદી સરનેમને લઈ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારી હતી. સુરત કોર્ટે તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. ત્યારે તે સજાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને સજામાંથી રાહત મળી શકે છે તેવી આશા કોંગ્રેસના કાર્યકર્તાઓને હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. જેને લઈ તેમની સજા યથાવત રહેશે. રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો છે. જજ હેમંત પ્રચ્છકે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. 

હાઈકોર્ટે ફગાવી રાહુલ ગાંધીની અરજી 

કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર'નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 'બધા ચોરોની સરનેમ'મોદી' કેમ હોય છે ?' તે બાદ પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. થોડા સમય પહેલા સુરતની નીચલી કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. સજાને કારણે તેમની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ થઈ ગઈ હતી. ત્યારે સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. જેને લઈ રાહુલ ગાંધીને મળેલી સજા યથાવત રહેશે.

બેનરો સાથે કોંગ્રેસના નેતાઓએ કર્યો વિરોધ 

ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત હતા. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેવા કે પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ સહિતના નેતાઓએ ટ્વિટર પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત સ્થાનિક કોંગ્રેસના નેતાઓ દ્વારા હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનરો લઈ વિરોધ દર્શાવ્યો હતો. બેનેરોમાં લખેલું હતું લોકશાહી બચાવો, સંવિધાન બચાવો, રાહુલ ગાંધીનો સાથ નહીં છોડે ગુજરાત, રાહુલજીની એક જ વાત ડરો મત. મહત્વનું છે કે ચૂકાદો આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.