ગુજરાત હાઈકોર્ટે ફગાવી રાહુલ ગાંધીની અરજી, કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કયા નેતાએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-07 14:17:47

મોદી સરનેમને લઈ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારી હતી. સુરત કોર્ટે તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. ત્યારે તે સજાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને સજામાંથી રાહત મળી શકે છે તેવી આશા કોંગ્રેસના કાર્યકર્તાઓને હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. જેને લઈ તેમની સજા યથાવત રહેશે. રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો છે. જજ હેમંત પ્રચ્છકે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. 

હાઈકોર્ટે ફગાવી રાહુલ ગાંધીની અરજી 

કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર'નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 'બધા ચોરોની સરનેમ'મોદી' કેમ હોય છે ?' તે બાદ પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. થોડા સમય પહેલા સુરતની નીચલી કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. સજાને કારણે તેમની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ થઈ ગઈ હતી. ત્યારે સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. જેને લઈ રાહુલ ગાંધીને મળેલી સજા યથાવત રહેશે.

બેનરો સાથે કોંગ્રેસના નેતાઓએ કર્યો વિરોધ 

ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત હતા. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેવા કે પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ સહિતના નેતાઓએ ટ્વિટર પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત સ્થાનિક કોંગ્રેસના નેતાઓ દ્વારા હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનરો લઈ વિરોધ દર્શાવ્યો હતો. બેનેરોમાં લખેલું હતું લોકશાહી બચાવો, સંવિધાન બચાવો, રાહુલ ગાંધીનો સાથ નહીં છોડે ગુજરાત, રાહુલજીની એક જ વાત ડરો મત. મહત્વનું છે કે ચૂકાદો આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.