રાહુલ ગાંધીને સજા સંભળાવનારા એચએચ વર્મા સહિત 68 જજોના પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારાયું, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-05 18:34:01

મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરનાર જસ્ટિસ એચએચ વર્મા સહિત ગુજરાતના 68 જજોની બઢતીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જસ્ટિસ એમઆર શાહની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચ 8મી મેના રોજ પ્રમોશનને પડકારતી અરજી પર સુનાવણી કરશે. 


68 જજોને 65 ટકા ક્વોટા સિસ્ટમના આધારે પ્રમોશન


ગુજરાત સરકારે આ 68 જજોને 65 ટકા ક્વોટા સિસ્ટમના આધારે પ્રમોશન આપ્યું છે. આ પછી, આ ન્યાયાધીશોને નવી જગ્યાઓ પર પોસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ બઢતી પામેલા જજો હાલમાં ગુજરાત જ્યુડિશિયલ એકેડમીમાં તાલીમ લઈ રહ્યા છે. દરમિયાન પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા આ મામલે નવો વળાંક લીધો છે.


પ્રમોશન રદ કરવાની માંગ


ગુજરાતના 68 ન્યાયાધીશોના પ્રમોશનને સિનિયર સિવિલ જજ કેડરના બે જ્યુડિશિયલ ઓફિસર રવિ કુમાર મહેતા અને સચિન મહેતા દ્વારા પડકારવામાં આવ્યું છે. તેમની અરજીમાં તેમણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 10 માર્ચે બહાર પાડવામાં આવેલી બઢતીની યાદીને રદ કરવા અને ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નિમણૂકની સૂચનાને રદ કરવાની માંગ કરી છે. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે ગુજરાત હાઈકોર્ટ મેરિટ અને સિનિયોરિટીના આધારે ન્યાયિક અધિકારીઓની નવી યાદી તૈયાર કરે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.