Gujarat Loksabha : Congressએ 40 સ્ટાર પ્રચારકોના નામની કરી જાહેરાત, જાણો ગુજરાતમાં કયા દિગ્ગજ નેતાઓ કરશે પ્રચાર?


  • Published By :
  • Published Date : 2024-04-23 13:10:43

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે.. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે... 24 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર ઘણા સમય પહેલેથી કરવામાં આવી. તે બાદ આપ દ્વારા પણ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી. અને અંતે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી છે... સ્ટાર પ્રચારકની યાદીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી. રાહુલ ગાંધી સહિત 40 નામોની જાહેરાત કરવામાં આવી છે..

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ક્યા નેતા ગુજરાતમાં કરશે પ્રચાર

લોકસભા બેઠક પર ઉમેદવારને લઈ ચિત્ર સ્પષ્ટ થયું 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં જાણે કોંગ્રેસને વધારે  રસના હોય તેવું લાગી રહ્યું છે.! કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ઉમેદવારોના પ્રચાર માટે નતા દેખાયા.. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે ગુજરાત માટે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ છે... કઈ બેઠક પર કોની કોની વચ્ચે જંગ થશે તેનું ચિત્ર ગઈકાલે સ્પષ્ટ થઈ ગયું છે... કયા કયા ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં જંગ જામવાનો છે તેનો ખ્યાલ ગઈકાલે આવી ગયો છે.. આ બધા વચ્ચે સુરતમાં જે ખેલ ખેલાયો તે આપણે જાણીએ છીએ... સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.


કોંગ્રેસે સ્ટાર પ્રચારકના નામની કરી જાહેરાત 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે.. આ બધા વચ્ચે ગુજરાત માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં દિગ્ગજ નેતાઓ છે.. 


કોણ કોણ બન્યા કોંગ્રેસના સ્ટાર પ્રચારક? 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, સચિન પાયલટ, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, જીજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા, મુમતાઝ પટેલ, શૈલેષ પરમાર, પરેશ ધાનાણી સહિત 40 નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે... 



ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોરદાર રીતે જામ્યો છે. તેમાં પણ આવતા મહિને જૂનના ત્રીજા સપ્તાહમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી છે. જેમાં હવે સત્તાધારી ભાજપે જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાડ્યું છે. ભાજપે પોતાના કોળી સમાજના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા અને હીરા સોલંકીને આ બેઠક જીતવા માટે જવાબદારી સોંપી છે. વિસાવદરમાં લોકતાંત્રિક પાણીપતનો જોરદાર જંગ જામવા જઈ રહ્યો છે .

આજે ગુજરાતમાં બપોરે ૩ વાગ્યે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યનું ચૂંટણી પંચ તે માટે બપોરે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ યોજશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થવામાં એટલે વિલંબ થયો કેમ કે , પાલિકા અને પંચાયતની ચૂંટણી બાદ ઓબીસી અનામતની અમલવારીમાં વિલંબના કારણે ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી . જોકે હવે માર્ગ મોકળો થતા ચૂંટણીની તારીખોનું એલાન થઇ શકે છે.

ભારતમાં કોરોનાના નવા બે વેરિયન્ટ મળી આવ્યા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ . કોરોનાના આ બે નવા વેરિયન્ટ ઓમીક્રોનના ભાગ છે. જેમાંથી NB ૧.૮.૧ વેરિઅંટ તમિલનાડુમાંથી ડિટેકટ થયો છે જયારે LF .૭ વેરિઅંટ એ ગુજરાતમાંથી ડિટેકટ થયો છે. આ બે નવા વેરિઅંટના કેસો તમિલનાડુ અને ગુજરાતમાં નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના દેશભરમાં નવા કેસોની સંખ્યા ૧૦૦૦ ને પાર પહોંચી ગઈ છે.

ભારત પાકિસ્તાન સરહદેથી સમાચાર સામે આવ્યા છે કે , ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે બોર્ડર સિક્યોરિટી ફોર્સની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો . સાથે જ આપણા બીજા સરહદી જિલ્લા બનાસકાંઠામાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. આ પાકિસ્તાનીએ ૨૩મે ની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો .