Gujarat Loksabha : Congressએ 40 સ્ટાર પ્રચારકોના નામની કરી જાહેરાત, જાણો ગુજરાતમાં કયા દિગ્ગજ નેતાઓ કરશે પ્રચાર?


  • Published By :
  • Published Date : 2024-04-23 13:10:43

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે.. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે... 24 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર ઘણા સમય પહેલેથી કરવામાં આવી. તે બાદ આપ દ્વારા પણ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી. અને અંતે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી છે... સ્ટાર પ્રચારકની યાદીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી. રાહુલ ગાંધી સહિત 40 નામોની જાહેરાત કરવામાં આવી છે..

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ક્યા નેતા ગુજરાતમાં કરશે પ્રચાર

લોકસભા બેઠક પર ઉમેદવારને લઈ ચિત્ર સ્પષ્ટ થયું 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં જાણે કોંગ્રેસને વધારે  રસના હોય તેવું લાગી રહ્યું છે.! કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ઉમેદવારોના પ્રચાર માટે નતા દેખાયા.. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે ગુજરાત માટે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ છે... કઈ બેઠક પર કોની કોની વચ્ચે જંગ થશે તેનું ચિત્ર ગઈકાલે સ્પષ્ટ થઈ ગયું છે... કયા કયા ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં જંગ જામવાનો છે તેનો ખ્યાલ ગઈકાલે આવી ગયો છે.. આ બધા વચ્ચે સુરતમાં જે ખેલ ખેલાયો તે આપણે જાણીએ છીએ... સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.


કોંગ્રેસે સ્ટાર પ્રચારકના નામની કરી જાહેરાત 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે.. આ બધા વચ્ચે ગુજરાત માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં દિગ્ગજ નેતાઓ છે.. 


કોણ કોણ બન્યા કોંગ્રેસના સ્ટાર પ્રચારક? 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, સચિન પાયલટ, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, જીજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા, મુમતાઝ પટેલ, શૈલેષ પરમાર, પરેશ ધાનાણી સહિત 40 નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.