Gujarat Loksabha : Congressએ 40 સ્ટાર પ્રચારકોના નામની કરી જાહેરાત, જાણો ગુજરાતમાં કયા દિગ્ગજ નેતાઓ કરશે પ્રચાર?


  • Published By :
  • Published Date : 2024-04-23 13:10:43

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે.. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે... 24 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર ઘણા સમય પહેલેથી કરવામાં આવી. તે બાદ આપ દ્વારા પણ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી. અને અંતે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી છે... સ્ટાર પ્રચારકની યાદીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી. રાહુલ ગાંધી સહિત 40 નામોની જાહેરાત કરવામાં આવી છે..

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ક્યા નેતા ગુજરાતમાં કરશે પ્રચાર

લોકસભા બેઠક પર ઉમેદવારને લઈ ચિત્ર સ્પષ્ટ થયું 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં જાણે કોંગ્રેસને વધારે  રસના હોય તેવું લાગી રહ્યું છે.! કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ઉમેદવારોના પ્રચાર માટે નતા દેખાયા.. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે ગુજરાત માટે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ છે... કઈ બેઠક પર કોની કોની વચ્ચે જંગ થશે તેનું ચિત્ર ગઈકાલે સ્પષ્ટ થઈ ગયું છે... કયા કયા ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં જંગ જામવાનો છે તેનો ખ્યાલ ગઈકાલે આવી ગયો છે.. આ બધા વચ્ચે સુરતમાં જે ખેલ ખેલાયો તે આપણે જાણીએ છીએ... સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.


કોંગ્રેસે સ્ટાર પ્રચારકના નામની કરી જાહેરાત 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે.. આ બધા વચ્ચે ગુજરાત માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં દિગ્ગજ નેતાઓ છે.. 


કોણ કોણ બન્યા કોંગ્રેસના સ્ટાર પ્રચારક? 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, સચિન પાયલટ, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, જીજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા, મુમતાઝ પટેલ, શૈલેષ પરમાર, પરેશ ધાનાણી સહિત 40 નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે... 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી