ગુજરાતની રાજનીતિનું અતથી ઈતિ...અધ્યાય પહેલો - કેમ બોમ્બે રાજ્ય બે ભાગમાં વહેંચાયું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 10:52:35

ગુજરાતની રાજનીતિનો ઈતિહાસ

અધ્યાય - 1

BY - DEVANSHI JOSHI

1947માં ધર્મના આધારે દેશનું બે ટુકડાઓમાં વિભાજન થયું, ભારત નામે મહાન દેશ સત્તાવાર અસ્તિત્વમાં આવ્યો પછી અનેક રાજ્યો બન્યા, મોટાભાગના રાજ્યોના ભાગલા ભાષાના આધારે થયા, પણ એક સવાલ આજે પણ મનમાં થાય કે બોમ્બે જેવા વિશાળ રાજ્યના માત્ર ભાષાના આધારે બે ટુકડા કેવી રીતે થઈ ગયા!

જ્યારે બોમ્બેના 17 ઉત્તરી જિલ્લાઓ અલગ જ રાજ્ય બની ગયા

દેશ આઝાદ થયો, સરદાર પટેલે રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કર્યુ, દખ્ખણનો કેટલોક હિસ્સો, ગુજરાત, વડોદરાનું ગાયકવાડી રાજ, પશ્ચિમી ભારતનો કેટલોક હિસ્સો ભેગો થયો અને બોમ્બે રાજ્ય બન્યું, વર્ષ 1956માં સૌરાષ્ટ્ર અને કચ્છ પણ બોમ્બે રાજ્યનો ભાગ બની ગયા,દેશમાં લોકશાહી ઢબે ચૂંટણીઓ થઈ, લોકોએ પોતાની સરકાર ચૂંટી અને ત્યારે દેશના સૌથી વિશાળતમ રાજ્યમાં સતત કૉંગ્રેસ જીતતી આવી, પણ 1960ના વર્ષમાં ભાષાના આધારે આંદોલનો થયો અને એક વિશાળ રાજ્યનું વિભાજન થઈને બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા – મહારાષ્ટ્ર અને ગુજરાત


કોણ ઈચ્છતું હતુ કે બોમ્બે રાજ્યના ભાગલા પડી જાય?

વર્ષ 1947માં દેશ આઝાદ થયો ત્યારે સ્વતંત્રતા સંગ્રામમાં લડેલા અનેક નેતાઓ આ દેશના લીડર થવા માટે દાવેદાર હતા, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા, સ્વાભાવિક રીતે જ એના પછી વારો સરદાર પટેલનો હતો, પણ એવુ શક્ય બને અને વલ્લભભાઈની કુનેહનો લાભ આખા દેશને મળે એ પહેલા જ 15 ડીસેમ્બર, 1950એ સરદાર પટેલનું મૃત્યુ થયું, નહેરુ પછી સૌથી મોટા દાવેદાર ત્યારે મોરારજીભાઈ દેસાઈ બની શકે એમ હતા, કારણ કે જવાહરલાલ ઉત્તરપ્રદેશથી હતા અને મોરારજી દેસાઈ બોમ્બે રાજ્યથી, બોમ્બે રાજ્ય દરેક રીતે સક્ષમ હતુ અને આટલા વિશાળ રાજ્યની રાજનીતિ પર જો મોરારજી દેસાઈનો અંકુશ રહે તો એ ખુબ મોટા હરીફ બનીને જવાહર નહેરુની સત્તાને પડકારવાની ક્ષમતા ધરાવતા હતા, એટલે જ ભાષાના આધારે શરૂ થયેલી વાત વિભાજન સુધી પહોંચી અને બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, જો બોમ્બે સ્ટેટનું અસ્તિત્વ હોત તો રાજકીય ગણિત સાવ અલગ હોત, વર્ષ 1952માં બોમ્બે વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની જીત પછી મોરારજી દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા, છેલ્લે વર્ષ 1957માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં લગભગ 396 જેટલી વિધાનસભાની બેઠકો હતી અને કૉંગ્રેસે 234 બેઠકો જીતીને સરકાર બનાવી હતી, યશવંતરાવ બળવંતરાવ ચૌહાણ ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા હતા, અને મોરારજી દેસાઈ રાષ્ટ્રીય ફલક પર કદ્દાવર નેતા બનતા જતા હતા, પણ પછી એવી ઘટનાઓએ આકાર લીધો જે કહી રહી હતી કે વલસાડના આ અનાવિલ બ્રાહ્મણ મોરારજી દેસાઈની રાજનીતિમાં એમને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચવામાં ઘણી વાર છે... TO BE CONTINUED



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.