Gujarat Rain : વરસાદને લઈ હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપ્યું યલો એલર્ટ, છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં થઈ મેઘમહેર..


  • Published By :
  • Published Date : 2024-06-29 11:10:36

રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.. અનેક  જગ્યાઓ પર મેઘરાજાએ એટલી જોરદાર બેટિંગ કરી છે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણી પાણી થઈ ગયા.. વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ જોરદાર બેટિંગ કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નવસારીમાં નોંધાયો છે.

Image


Image

અમદાવાદમાં ગઈકાલે જામ્યો હતો વરસાદી માહોલ 

ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને વરસાદ ક્યારે આવે તેની રાહમાં હતા.. વરસાદ આવે અને આ ગરમીથી રાહત મળે. ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે મુજબ આજે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વરસાદ આવ્યો ન હતો પરંતુ ગઈકાલે અમદાવાદમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. તે સિવાય સુરત જિલ્લાના પલસાણામાં સારો વરસાદ નોંધાયો છે. 



ક્યારે અને ક્યાં આવી શકે છે વરસાદ?

આજ માટે હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી જગ્યાઓ વરસાદ સામાન્ય વરસી શકે છે. તે સિવાય આવતી કાલ માટે કરાયેલી આગાહીની વાત કરીએ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Image

Image

આ તારીખો માટે કરાયેલી આગાહી પણ જાણી લો.. 

પહેલી જુલાઈની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો નવસારીમાં 106 એમએમ વરસાદ વરસ્યો જ્યારે સુરતના પલસાણામાં 103 એમએમ વરસાદ ખાબક્યો છે. તે સિવાય જાલપોરમાં 87 એમએમ જ્યારે વલસાડના ઉમરગામમાં 86 એમએમ, ખેરગામમાં 75 એમએમ વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોદમાં 64 એમએમ વરસાદ જ્યારે બોટાદમાં 61 એમએમ વરસાદ ખાબક્યો છે. 



વરસાદને કારણે ગરમીથી મળી આંશિક રાહત

મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામતા ગરમીથી આંશિક રાહત મળી છે. જગતના તાતની ચિંતા હળવી થઈ છે.. અનેક એવી તસવીરો સામે આવી છે જેમાં બાળકો વરસાદની મજા માણતા દેખાય છે તો પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. પુલ ધરાશાયી થઈ જવાની ઘટના બને છે. પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખુલ્લી જાય છે.. ત્યારે તમારે ત્યાં કેવો વરસાદ છે તે અમને જણાવજો. 



ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.