Gujarat Rain : વરસાદને લઈ હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપ્યું યલો એલર્ટ, છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં થઈ મેઘમહેર..


  • Published By :
  • Published Date : 2024-06-29 11:10:36

રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.. અનેક  જગ્યાઓ પર મેઘરાજાએ એટલી જોરદાર બેટિંગ કરી છે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણી પાણી થઈ ગયા.. વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ જોરદાર બેટિંગ કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નવસારીમાં નોંધાયો છે.

Image


Image

અમદાવાદમાં ગઈકાલે જામ્યો હતો વરસાદી માહોલ 

ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને વરસાદ ક્યારે આવે તેની રાહમાં હતા.. વરસાદ આવે અને આ ગરમીથી રાહત મળે. ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે મુજબ આજે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વરસાદ આવ્યો ન હતો પરંતુ ગઈકાલે અમદાવાદમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. તે સિવાય સુરત જિલ્લાના પલસાણામાં સારો વરસાદ નોંધાયો છે. 



ક્યારે અને ક્યાં આવી શકે છે વરસાદ?

આજ માટે હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી જગ્યાઓ વરસાદ સામાન્ય વરસી શકે છે. તે સિવાય આવતી કાલ માટે કરાયેલી આગાહીની વાત કરીએ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Image

Image

આ તારીખો માટે કરાયેલી આગાહી પણ જાણી લો.. 

પહેલી જુલાઈની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો નવસારીમાં 106 એમએમ વરસાદ વરસ્યો જ્યારે સુરતના પલસાણામાં 103 એમએમ વરસાદ ખાબક્યો છે. તે સિવાય જાલપોરમાં 87 એમએમ જ્યારે વલસાડના ઉમરગામમાં 86 એમએમ, ખેરગામમાં 75 એમએમ વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોદમાં 64 એમએમ વરસાદ જ્યારે બોટાદમાં 61 એમએમ વરસાદ ખાબક્યો છે. 



વરસાદને કારણે ગરમીથી મળી આંશિક રાહત

મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામતા ગરમીથી આંશિક રાહત મળી છે. જગતના તાતની ચિંતા હળવી થઈ છે.. અનેક એવી તસવીરો સામે આવી છે જેમાં બાળકો વરસાદની મજા માણતા દેખાય છે તો પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. પુલ ધરાશાયી થઈ જવાની ઘટના બને છે. પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખુલ્લી જાય છે.. ત્યારે તમારે ત્યાં કેવો વરસાદ છે તે અમને જણાવજો. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.