લ્યો બોલો! ગુજરાત યુનિવર્સિટીમાંથી 17 એસી થયા સગેવગે, કૌભાંડ બહાર આવ્યા બાદ યુનિવર્સિટીમાં હડકંપ


  • Published By :
  • Published Date : 2023-06-07 16:38:50

ગુજરાત યુનિવર્સિટી તેના ગેરવહીવટ અને છબરડાના કારણે સતત સમાચારોમાં રહેતી હોય છે. જો કે આ વખતે ગુજરાત યુનિવર્સિટીમાંથી જે કૌંભાંડ બહાર આવ્યું છે તે સૌને ચોંકાવનારૂ છે. ગુજરાત યુનિવર્સિટીમાં જૂના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ડિપાર્ટમેન્ટના 17 જેટલા AC બહાર કાઢવામાં આવ્યા હતા, જે અત્યારે ગાયબ થઈ ગયા છે. આ અંગે એસ્ટેટ વિભાગ પાસે કોઈ જ જવાબ નથી અને એનિમેશન વિભાગ પણ નિરૂત્તર છે. NSUI એ આ મામલે પોલીસ ફરિયાદ કરવા માગણી કરી છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ યુનિવર્સિટી સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે. 


રીનોવેશનની કામગીરી દરમિયયાન એસી થયા ગાયબ


ગુજરાત યુનિવર્સિટીમાં જૂના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ડિપાર્ટમેન્ટના 17 જેટલા AC બહાર કાઢવામાં આવ્યા હતા, જે અત્યારે ગાયબ થઈ ગયા છે. જોકે, એસ્ટેટ વિભાગ દ્વારા આ આખા મામલાને દબાવી દેવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. એસીને સગેવગે થાય બાદ કેટલાક કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ હતું. યુનિવર્સિટી પરિસરમાં એસી સગેવગે થયાની વાત ફેલાઇ જતાં જ આમાં સામેલ કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં ગુજરાત યૂનિવર્સિટીમાંથી સામે આવેલા આ મોટા કૌભાંડની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે.


NSUIની પોલીસ ફરિયાદની માગ


એનિમેશન ડિપાર્ટમેન્ટના 17 જેટલા એસી એસ્ટેટ વિભાગની હાજરીમાં બહાર કાઢીને સ્ટોરરૂમમાં મૂકવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસ્ટેટ વિભાગના હંગામી કર્મચારી અને એસ્ટેટ વિભાગના એક અધિકારીએ એસીનો બરોબર વહીવટ કર્યો છે. જો કે, અત્યારે એસ્ટેટ વિભાગના હંગામી કર્મચારી અને એનિમેશન વિભાગના વડા પ્રોફેસર લખતરીયા રજા પર ઉતરી ગયા છે. 17 જેટલા એસી ગાયબ થવા મામલે એસ્ટેટ વિભાગના અધિકારી શૈલેષ ગોસ્વામીએ એનિમેશન ડિપાર્ટમેન્ટ પ્રોફેસર લખતરીયાની જવાબદાર ઠરાવ્યા હતા. જ્યારે એનિમેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એસ્ટેટ વિભાગ પર આરોપ લગાવી રહ્યા છે. આ સમગ્ર મામલે  NSUIએ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટરે પોલીસ ફરિયાદની માગ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટારે પોલીસ ફરિયાદ કરીને કાર્યવાહી કરવી જોઈએ તો હકીકત બહાર આવશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.