લ્યો બોલો! ગુજરાત યુનિવર્સિટીમાંથી 17 એસી થયા સગેવગે, કૌભાંડ બહાર આવ્યા બાદ યુનિવર્સિટીમાં હડકંપ


  • Published By :
  • Published Date : 2023-06-07 16:38:50

ગુજરાત યુનિવર્સિટી તેના ગેરવહીવટ અને છબરડાના કારણે સતત સમાચારોમાં રહેતી હોય છે. જો કે આ વખતે ગુજરાત યુનિવર્સિટીમાંથી જે કૌંભાંડ બહાર આવ્યું છે તે સૌને ચોંકાવનારૂ છે. ગુજરાત યુનિવર્સિટીમાં જૂના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ડિપાર્ટમેન્ટના 17 જેટલા AC બહાર કાઢવામાં આવ્યા હતા, જે અત્યારે ગાયબ થઈ ગયા છે. આ અંગે એસ્ટેટ વિભાગ પાસે કોઈ જ જવાબ નથી અને એનિમેશન વિભાગ પણ નિરૂત્તર છે. NSUI એ આ મામલે પોલીસ ફરિયાદ કરવા માગણી કરી છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ યુનિવર્સિટી સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે. 


રીનોવેશનની કામગીરી દરમિયયાન એસી થયા ગાયબ


ગુજરાત યુનિવર્સિટીમાં જૂના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ડિપાર્ટમેન્ટના 17 જેટલા AC બહાર કાઢવામાં આવ્યા હતા, જે અત્યારે ગાયબ થઈ ગયા છે. જોકે, એસ્ટેટ વિભાગ દ્વારા આ આખા મામલાને દબાવી દેવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. એસીને સગેવગે થાય બાદ કેટલાક કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ હતું. યુનિવર્સિટી પરિસરમાં એસી સગેવગે થયાની વાત ફેલાઇ જતાં જ આમાં સામેલ કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં ગુજરાત યૂનિવર્સિટીમાંથી સામે આવેલા આ મોટા કૌભાંડની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે.


NSUIની પોલીસ ફરિયાદની માગ


એનિમેશન ડિપાર્ટમેન્ટના 17 જેટલા એસી એસ્ટેટ વિભાગની હાજરીમાં બહાર કાઢીને સ્ટોરરૂમમાં મૂકવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસ્ટેટ વિભાગના હંગામી કર્મચારી અને એસ્ટેટ વિભાગના એક અધિકારીએ એસીનો બરોબર વહીવટ કર્યો છે. જો કે, અત્યારે એસ્ટેટ વિભાગના હંગામી કર્મચારી અને એનિમેશન વિભાગના વડા પ્રોફેસર લખતરીયા રજા પર ઉતરી ગયા છે. 17 જેટલા એસી ગાયબ થવા મામલે એસ્ટેટ વિભાગના અધિકારી શૈલેષ ગોસ્વામીએ એનિમેશન ડિપાર્ટમેન્ટ પ્રોફેસર લખતરીયાની જવાબદાર ઠરાવ્યા હતા. જ્યારે એનિમેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એસ્ટેટ વિભાગ પર આરોપ લગાવી રહ્યા છે. આ સમગ્ર મામલે  NSUIએ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટરે પોલીસ ફરિયાદની માગ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટારે પોલીસ ફરિયાદ કરીને કાર્યવાહી કરવી જોઈએ તો હકીકત બહાર આવશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.