લ્યો બોલો! ગુજરાત યુનિવર્સિટીમાંથી 17 એસી થયા સગેવગે, કૌભાંડ બહાર આવ્યા બાદ યુનિવર્સિટીમાં હડકંપ


  • Published By :
  • Published Date : 2023-06-07 16:38:50

ગુજરાત યુનિવર્સિટી તેના ગેરવહીવટ અને છબરડાના કારણે સતત સમાચારોમાં રહેતી હોય છે. જો કે આ વખતે ગુજરાત યુનિવર્સિટીમાંથી જે કૌંભાંડ બહાર આવ્યું છે તે સૌને ચોંકાવનારૂ છે. ગુજરાત યુનિવર્સિટીમાં જૂના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ડિપાર્ટમેન્ટના 17 જેટલા AC બહાર કાઢવામાં આવ્યા હતા, જે અત્યારે ગાયબ થઈ ગયા છે. આ અંગે એસ્ટેટ વિભાગ પાસે કોઈ જ જવાબ નથી અને એનિમેશન વિભાગ પણ નિરૂત્તર છે. NSUI એ આ મામલે પોલીસ ફરિયાદ કરવા માગણી કરી છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ યુનિવર્સિટી સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે. 


રીનોવેશનની કામગીરી દરમિયયાન એસી થયા ગાયબ


ગુજરાત યુનિવર્સિટીમાં જૂના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ડિપાર્ટમેન્ટના 17 જેટલા AC બહાર કાઢવામાં આવ્યા હતા, જે અત્યારે ગાયબ થઈ ગયા છે. જોકે, એસ્ટેટ વિભાગ દ્વારા આ આખા મામલાને દબાવી દેવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. એસીને સગેવગે થાય બાદ કેટલાક કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ હતું. યુનિવર્સિટી પરિસરમાં એસી સગેવગે થયાની વાત ફેલાઇ જતાં જ આમાં સામેલ કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં ગુજરાત યૂનિવર્સિટીમાંથી સામે આવેલા આ મોટા કૌભાંડની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે.


NSUIની પોલીસ ફરિયાદની માગ


એનિમેશન ડિપાર્ટમેન્ટના 17 જેટલા એસી એસ્ટેટ વિભાગની હાજરીમાં બહાર કાઢીને સ્ટોરરૂમમાં મૂકવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસ્ટેટ વિભાગના હંગામી કર્મચારી અને એસ્ટેટ વિભાગના એક અધિકારીએ એસીનો બરોબર વહીવટ કર્યો છે. જો કે, અત્યારે એસ્ટેટ વિભાગના હંગામી કર્મચારી અને એનિમેશન વિભાગના વડા પ્રોફેસર લખતરીયા રજા પર ઉતરી ગયા છે. 17 જેટલા એસી ગાયબ થવા મામલે એસ્ટેટ વિભાગના અધિકારી શૈલેષ ગોસ્વામીએ એનિમેશન ડિપાર્ટમેન્ટ પ્રોફેસર લખતરીયાની જવાબદાર ઠરાવ્યા હતા. જ્યારે એનિમેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એસ્ટેટ વિભાગ પર આરોપ લગાવી રહ્યા છે. આ સમગ્ર મામલે  NSUIએ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટરે પોલીસ ફરિયાદની માગ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટારે પોલીસ ફરિયાદ કરીને કાર્યવાહી કરવી જોઈએ તો હકીકત બહાર આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.