Gujarat: આ તારીખો દરમિયાન આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની શું કહે છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-09 16:37:39

ગુજરાતમાં બે ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ વધી ગયો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વખતની ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે.. વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.. વરસાદની આગાહી કરાતા ધરતીપુત્રોની ચિંતા વધી છે...   

News18 Gujarati

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.. હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાતે કમોસમી વરસાદની આગાહી કરી છે.. 11થી 15 તારીખ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 11મે અને 12મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી તેમજ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. 13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આ તારીખે સાબરકાંઠા, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે

News18 Gujarati

News18 GujaratiNews18 GujaratiNews18 Gujarati

શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી?

14મી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં 15 તારીખે વરસાદ વરસી શકે છે. તે સિવાય હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે માવઠાની આગાહી. તેમની આગાહી અનુસાર પંચમહાલ, સાબરકાંઠા ,વડોદરા, ખેડા,અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.. 



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.