Gujarat: આ તારીખો દરમિયાન આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની શું કહે છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-05-09 16:37:39

ગુજરાતમાં બે ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ વધી ગયો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વખતની ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે.. વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.. વરસાદની આગાહી કરાતા ધરતીપુત્રોની ચિંતા વધી છે...   

News18 Gujarati

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.. હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાતે કમોસમી વરસાદની આગાહી કરી છે.. 11થી 15 તારીખ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 11મે અને 12મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી તેમજ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. 13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આ તારીખે સાબરકાંઠા, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે

News18 Gujarati

News18 GujaratiNews18 GujaratiNews18 Gujarati

શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી?

14મી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં 15 તારીખે વરસાદ વરસી શકે છે. તે સિવાય હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે માવઠાની આગાહી. તેમની આગાહી અનુસાર પંચમહાલ, સાબરકાંઠા ,વડોદરા, ખેડા,અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે