Gujarat: આ તારીખો દરમિયાન આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની શું કહે છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-05-09 16:37:39

ગુજરાતમાં બે ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ વધી ગયો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વખતની ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે.. વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.. વરસાદની આગાહી કરાતા ધરતીપુત્રોની ચિંતા વધી છે...   

News18 Gujarati

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.. હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાતે કમોસમી વરસાદની આગાહી કરી છે.. 11થી 15 તારીખ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 11મે અને 12મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી તેમજ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. 13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આ તારીખે સાબરકાંઠા, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે

News18 Gujarati

News18 GujaratiNews18 GujaratiNews18 Gujarati

શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી?

14મી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં 15 તારીખે વરસાદ વરસી શકે છે. તે સિવાય હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે માવઠાની આગાહી. તેમની આગાહી અનુસાર પંચમહાલ, સાબરકાંઠા ,વડોદરા, ખેડા,અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.