Gujarat Weather - આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગે ક્યાં માટે આપ્યું એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-08-10 15:25:39

ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કોઈ વિસ્તારમાં વરસાદ હોય છે તો કોઈ વિસ્તારમાં વરસાદ નથી હોતો.. વરસાદી ઝાપટાનો અહેસાસ રાજ્યના અનેક શહેરોમાં થાય છે.. એક સમય હતો કે મોટા ભાગના વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવતું હતું.કોઈ જગ્યા માટે રેડ તો કોઈના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હતું.. પરંતુ હવે માત્ર થોડા વિસ્તારો માટે એલર્ટ આપવામાં આવે છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે આપી છે.

News18 Gujarati

આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આવનાર બે દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.  તે ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર,આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.

News18 Gujarati


News18 GujaratiNews18 Gujarati

માછીમારોને દરિયો ના ખેડવા અપાઈ સૂચના

આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.. સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.. આગામી પાંચ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં બે દિવસ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે કોરૂં છે તે અમને કમેન્ટમાં જણાવજો..  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.