Gujarat Weather - આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગે ક્યાં માટે આપ્યું એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-08-10 15:25:39

ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કોઈ વિસ્તારમાં વરસાદ હોય છે તો કોઈ વિસ્તારમાં વરસાદ નથી હોતો.. વરસાદી ઝાપટાનો અહેસાસ રાજ્યના અનેક શહેરોમાં થાય છે.. એક સમય હતો કે મોટા ભાગના વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવતું હતું.કોઈ જગ્યા માટે રેડ તો કોઈના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હતું.. પરંતુ હવે માત્ર થોડા વિસ્તારો માટે એલર્ટ આપવામાં આવે છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે આપી છે.

News18 Gujarati

આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આવનાર બે દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.  તે ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર,આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.

News18 Gujarati


News18 GujaratiNews18 Gujarati

માછીમારોને દરિયો ના ખેડવા અપાઈ સૂચના

આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.. સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.. આગામી પાંચ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં બે દિવસ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે કોરૂં છે તે અમને કમેન્ટમાં જણાવજો..  




ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી .

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.