Gujarat Weather - જાણી લો આજે કયા વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસાદ નોંધાયો


  • Published By :
  • Published Date : 2024-08-03 10:36:26

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાઓ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. વરસાદ થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે વિશેની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે... આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ

તે ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.. તે સિવાય આવતી કાલ એટલે કે ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ભાવનગર, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 




આ વિસ્તારોમાં નોંધાયો આટલા ઈંચ વરસાદ

મહત્વનું છે કે રાજ્યમં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વલસાડના વાપીમાં 7.2 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.5 ઈંચ, પારડી 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયા તેમજ નવસારીમાં 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે સિવાય રાજ્યના 10 જેટલા તાલુકા એવા છે જ્યાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.. અમદાવાદમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, વાપીમાં 7 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 2 - image




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.