Gujarat Weather - જાણી લો આજે કયા વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસાદ નોંધાયો


  • Published By :
  • Published Date : 2024-08-03 10:36:26

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાઓ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. વરસાદ થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે વિશેની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે... આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ

તે ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.. તે સિવાય આવતી કાલ એટલે કે ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ભાવનગર, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 




આ વિસ્તારોમાં નોંધાયો આટલા ઈંચ વરસાદ

મહત્વનું છે કે રાજ્યમં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વલસાડના વાપીમાં 7.2 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.5 ઈંચ, પારડી 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયા તેમજ નવસારીમાં 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે સિવાય રાજ્યના 10 જેટલા તાલુકા એવા છે જ્યાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.. અમદાવાદમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, વાપીમાં 7 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 2 - image




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.