Gujarat Weather : રાજ્યના મોટા ભાગમાં જામશે વરસાદી માહોલ, જાણો 29 તારીખ સુધી ક્યાં માટે કરાઈ વરસાદની આગાહી? ક્યાં કેટલો નોંધાયો વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-24 11:06:26

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. વહેલી સવારથી અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર રાજ્યમાં જાણે મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદનું આગમન થતા ઠંડક પ્રસરી છે. આ વખતે ચોમાસું અનેક દિવસો પહેલા આવી ગયું હતું પરંતુ જોઈએ તેવી રીતે વરસાદ વરસ્યો ન હતો. અનેક વિસ્તારો એવા હતા જ્યાં સારો વરસાદ વરસી રહ્યો હતો જ્યારે અનેક વિસ્તારો એવા હતા જે વરસાદની પ્રતિક્ષામાં હતા.

Image

Image


Image

મોટા ભાગના વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ

આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. મોટા ભાગના સ્થળો પર વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં અનેક વિસ્તારોમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Image

Image


આજે આ વિસ્તારોમાં થઈ શકે છે મેઘરાજાની પધરામણી 

તે સિવાય બનાસકાંઠા. પાટણ. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમદાવાદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, આણંદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છમાં છુટા છવાયા સ્થળો પર વરસાદ વરસી શકે છે જ્યારે મોરબી, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરના અમુક સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. તે સિવાય બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, તાપી, સુરત,નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા સહિતના અનેક વિસ્તારો મોટા ભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે.

Image

29 તારીખ સુધી ક્યાં વરસી શકે છે વરસાદ? 

26 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ સિવાયના તમામ જિલ્લાઓના થોડા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 27 તારીખની વાત કરીએ તો આ સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ખેડા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદનો સમાવેશ થાય છે. તે સિવાય 28 તારીખ માટે પણ રાજ્યના મોટા ભાગોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તો ઘણા સ્થળો એવા છે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 29 તારીખે પણ રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે. 


ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો જૂનાગઢના મેંદરડામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. 88 એમએમ વરસાદ ત્યાં પડ્યો છે. તે સિવાય દ્વારકાના ખંભાળિયામાં 71 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના સંખેડામાં 64 એમએમ જ્યારે ડાંગના સુબિરમાં 63 એમએમ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 130 તાલુકામાં વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે આજે પણ અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..                 




ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.