Gujarat Weather : આગામી દિવસોમાં હવામાનમાં આવશે ફેરફાર કે રહેશે યથાવત? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-22 18:19:27

એક તરફ ગરમીનો પ્રકોપ છે તો એક તરફ ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે... ઉનાળામાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકોને થવા લાગ્યો હતો. ઘરની બહાર નીકળતા પહેલા લોકોને વિચાર કરવો પડે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તાપમાનનો પારો વધી રહ્યો હતો પરંતુ વચ્ચે કમોસમી વરસાદ આવ્યો અને તાપમાનનો પારો નીચે આવી ગયો. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આવનાર દિવસમાં આ ગરમીનું પ્રમાણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



વાદળછાયા વાતાવરણને કારણે ગરમીથી મળી રાહત

ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો જેને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગામી દિવસોમાં ભીષણ ગરમીનો અહેસાસ લોકોને થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણનો અહેસાસ થઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમીના ત્રાસથી રાહત લોકોને મળી હતી પરંતુ આ રાહત માત્ર થોડા દિવસ માટે હતી.. પરંતુ આવનાર દિવસોમાં ફરી એક વખત ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવમાં આવી છે. 



અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો પહોંચ્યો 40 ડિગ્રીને પાર 

આ વર્ષની ગરમી આકરી સાબિત થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગાહી જાણે સાચી પણ સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને હમણાંથી થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો કંટાળી ગયા છે. અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. સામાન્ય રીતે 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી જતું હોય છે પરંતુ એક બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 



ક્યાં કટેલું નોંધાયું તાપમાન? 

જો રવિવારે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી, ડીસામાં મહત્તમ તાપમાન 36.3 જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37.0 ડિગ્રી નોંધાયું હતું, તે સિવાય વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.1, સુરતનું તાપમાન 37.5, વડોદરાનું તાપમાન 37.0 ડિગ્રી નોંધાયું હતું,વલસાડનું તાપમાન 38.4, ભાવનગરનું તાપમાન 38.2 ડિગ્રી, અમરેલીનું તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે થોડા દિવસો દરમિયાન તાપમાનમાં વધારે ફેરફાર નથી આવવાનો પરંતુ તે બાદ હિટ વેવની અસર જોવા મળી શકે છે અનેક વિસ્તારોમાં..


ગરમીથી બચવા માટે આ ઉપાયો કરવા જોઈએ... 

મહત્વનું છે ગરમીને કાપણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે. હિટ સ્ટ્રોક લોકોને થઈ રહ્યો છે અને જેને કારણે બિમારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ગરમીના પ્રકોપથી આપણું રક્ષણ થાય તે માટે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ, લિક્વીડ પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ... આપણે ડિ-હાઈડ્રેશનનો શિકાર ના બનીએ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ..  




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.