Gujarat Weather : આગામી દિવસોમાં હવામાનમાં આવશે ફેરફાર કે રહેશે યથાવત? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-22 18:19:27

એક તરફ ગરમીનો પ્રકોપ છે તો એક તરફ ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે... ઉનાળામાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકોને થવા લાગ્યો હતો. ઘરની બહાર નીકળતા પહેલા લોકોને વિચાર કરવો પડે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તાપમાનનો પારો વધી રહ્યો હતો પરંતુ વચ્ચે કમોસમી વરસાદ આવ્યો અને તાપમાનનો પારો નીચે આવી ગયો. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આવનાર દિવસમાં આ ગરમીનું પ્રમાણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



વાદળછાયા વાતાવરણને કારણે ગરમીથી મળી રાહત

ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો જેને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગામી દિવસોમાં ભીષણ ગરમીનો અહેસાસ લોકોને થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણનો અહેસાસ થઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમીના ત્રાસથી રાહત લોકોને મળી હતી પરંતુ આ રાહત માત્ર થોડા દિવસ માટે હતી.. પરંતુ આવનાર દિવસોમાં ફરી એક વખત ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવમાં આવી છે. 



અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો પહોંચ્યો 40 ડિગ્રીને પાર 

આ વર્ષની ગરમી આકરી સાબિત થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગાહી જાણે સાચી પણ સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને હમણાંથી થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો કંટાળી ગયા છે. અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. સામાન્ય રીતે 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી જતું હોય છે પરંતુ એક બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 



ક્યાં કટેલું નોંધાયું તાપમાન? 

જો રવિવારે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી, ડીસામાં મહત્તમ તાપમાન 36.3 જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37.0 ડિગ્રી નોંધાયું હતું, તે સિવાય વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.1, સુરતનું તાપમાન 37.5, વડોદરાનું તાપમાન 37.0 ડિગ્રી નોંધાયું હતું,વલસાડનું તાપમાન 38.4, ભાવનગરનું તાપમાન 38.2 ડિગ્રી, અમરેલીનું તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે થોડા દિવસો દરમિયાન તાપમાનમાં વધારે ફેરફાર નથી આવવાનો પરંતુ તે બાદ હિટ વેવની અસર જોવા મળી શકે છે અનેક વિસ્તારોમાં..


ગરમીથી બચવા માટે આ ઉપાયો કરવા જોઈએ... 

મહત્વનું છે ગરમીને કાપણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે. હિટ સ્ટ્રોક લોકોને થઈ રહ્યો છે અને જેને કારણે બિમારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ગરમીના પ્રકોપથી આપણું રક્ષણ થાય તે માટે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ, લિક્વીડ પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ... આપણે ડિ-હાઈડ્રેશનનો શિકાર ના બનીએ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ..  




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.