Gujarat Weather : આગામી દિવસોમાં હવામાનમાં આવશે ફેરફાર કે રહેશે યથાવત? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-22 18:19:27

એક તરફ ગરમીનો પ્રકોપ છે તો એક તરફ ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે... ઉનાળામાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકોને થવા લાગ્યો હતો. ઘરની બહાર નીકળતા પહેલા લોકોને વિચાર કરવો પડે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તાપમાનનો પારો વધી રહ્યો હતો પરંતુ વચ્ચે કમોસમી વરસાદ આવ્યો અને તાપમાનનો પારો નીચે આવી ગયો. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આવનાર દિવસમાં આ ગરમીનું પ્રમાણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



વાદળછાયા વાતાવરણને કારણે ગરમીથી મળી રાહત

ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો જેને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગામી દિવસોમાં ભીષણ ગરમીનો અહેસાસ લોકોને થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણનો અહેસાસ થઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમીના ત્રાસથી રાહત લોકોને મળી હતી પરંતુ આ રાહત માત્ર થોડા દિવસ માટે હતી.. પરંતુ આવનાર દિવસોમાં ફરી એક વખત ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવમાં આવી છે. 



અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો પહોંચ્યો 40 ડિગ્રીને પાર 

આ વર્ષની ગરમી આકરી સાબિત થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગાહી જાણે સાચી પણ સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને હમણાંથી થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો કંટાળી ગયા છે. અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. સામાન્ય રીતે 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી જતું હોય છે પરંતુ એક બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 



ક્યાં કટેલું નોંધાયું તાપમાન? 

જો રવિવારે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી, ડીસામાં મહત્તમ તાપમાન 36.3 જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37.0 ડિગ્રી નોંધાયું હતું, તે સિવાય વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.1, સુરતનું તાપમાન 37.5, વડોદરાનું તાપમાન 37.0 ડિગ્રી નોંધાયું હતું,વલસાડનું તાપમાન 38.4, ભાવનગરનું તાપમાન 38.2 ડિગ્રી, અમરેલીનું તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે થોડા દિવસો દરમિયાન તાપમાનમાં વધારે ફેરફાર નથી આવવાનો પરંતુ તે બાદ હિટ વેવની અસર જોવા મળી શકે છે અનેક વિસ્તારોમાં..


ગરમીથી બચવા માટે આ ઉપાયો કરવા જોઈએ... 

મહત્વનું છે ગરમીને કાપણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે. હિટ સ્ટ્રોક લોકોને થઈ રહ્યો છે અને જેને કારણે બિમારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ગરમીના પ્રકોપથી આપણું રક્ષણ થાય તે માટે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ, લિક્વીડ પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ... આપણે ડિ-હાઈડ્રેશનનો શિકાર ના બનીએ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ..  




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.