Gujaratમાં 33 જિલ્લાઓને બદલે હવે 36 જિલ્લા થશે? અસ્તિત્વમાં આવી શકે છે આ 3 જિલ્લાઓ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-09-25 14:00:37

સામાન્ય રીતે જ્યારે આપણને કોઈ પૂછે કે ગુજરાતના જિલ્લા કેટલા તો આપણે 33 કહી દઈએ છીએ.. પરંતુ આવનાર દિવસોમાં આ સંખ્યા વધી પણ શકે છે.. એવી માહિતી સામે આવી છે, અખબારોમાં આપવામાં આવતી માહિતી અનુસાર કે નવા ત્રણથી ચાર જિલ્લાઓની રચના આવનાર સમયમાં કરવામાં કરી શકે છે.. આ અંગેની વિચારણા ચાલી રહી છે..  અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદને જિલ્લાનું બિરૂદ મળી શકે છે. ઉપરાંત નવા તાલુકા તેમજ નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે..


આ જિલ્લાઓનું થઈ શકે છે વિભાજન!

જ્યારે નવા જિલ્લા અથવા તો કોર્પોરેશનનું વિભાજન થાય છે ત્યારે તે વિસ્તારનો વિકાસ ઝડપી થાય છે.. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સરકાર 2024 પૂર્ણ થાય તેની પહેલા આ નવા જિલ્લાઓની રચના થઈ શકે છે. માહિતી પ્રમાણે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનું વિભાજન કરી વિરમગામ તરીકે નવો જિલ્લો બનાવામાં આવી શકે છે.. તે ઉપરાંત મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરી વડનગર જિલ્લો બનાવાઈ શકાય છે.. તે ઉપરાંત બનાસકાંઠા, પાટણ તેમજ કચ્છ જિલ્લાનું વિભાજન કરી રાધનપુર અથવા તો થરાદ જિલ્લાને અસ્તીત્વમાં લવાઈ શકાય છે..


2013માં આ જિલ્લાઓ આવ્યા હતા અસ્તિત્વમાં 

મહત્વનું છે કે વિસ્તાર જેટલો નાનો હશે તેમાં કામો ઝડપથી થશે... જેને કારણે આ નિર્ણય લેવાનું સરકાર વિચારી રહી હોઈ શકે છે... 2013માં રાજ્ય સરકાર દ્વારા 7 જિલ્લાઓની રચના કરવામાં આવી હતી જેમાં અરવલ્લી, ગીર-સોમનાથ, બોટાદ, છોટા ઉદેપુર, મહિસાગર, મોરબી અને દેવભૂમિ દ્વારકાને નવા જિલ્લા તરીકે જાહેર કર્યા હતા. મહત્વનું છે કે આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થઈ શકે છે તેવી શક્યતા છે. તે સિવાય ત્યારે આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.