Gujaratમાં 33 જિલ્લાઓને બદલે હવે 36 જિલ્લા થશે? અસ્તિત્વમાં આવી શકે છે આ 3 જિલ્લાઓ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-09-25 14:00:37

સામાન્ય રીતે જ્યારે આપણને કોઈ પૂછે કે ગુજરાતના જિલ્લા કેટલા તો આપણે 33 કહી દઈએ છીએ.. પરંતુ આવનાર દિવસોમાં આ સંખ્યા વધી પણ શકે છે.. એવી માહિતી સામે આવી છે, અખબારોમાં આપવામાં આવતી માહિતી અનુસાર કે નવા ત્રણથી ચાર જિલ્લાઓની રચના આવનાર સમયમાં કરવામાં કરી શકે છે.. આ અંગેની વિચારણા ચાલી રહી છે..  અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદને જિલ્લાનું બિરૂદ મળી શકે છે. ઉપરાંત નવા તાલુકા તેમજ નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે..


આ જિલ્લાઓનું થઈ શકે છે વિભાજન!

જ્યારે નવા જિલ્લા અથવા તો કોર્પોરેશનનું વિભાજન થાય છે ત્યારે તે વિસ્તારનો વિકાસ ઝડપી થાય છે.. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સરકાર 2024 પૂર્ણ થાય તેની પહેલા આ નવા જિલ્લાઓની રચના થઈ શકે છે. માહિતી પ્રમાણે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનું વિભાજન કરી વિરમગામ તરીકે નવો જિલ્લો બનાવામાં આવી શકે છે.. તે ઉપરાંત મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરી વડનગર જિલ્લો બનાવાઈ શકાય છે.. તે ઉપરાંત બનાસકાંઠા, પાટણ તેમજ કચ્છ જિલ્લાનું વિભાજન કરી રાધનપુર અથવા તો થરાદ જિલ્લાને અસ્તીત્વમાં લવાઈ શકાય છે..


2013માં આ જિલ્લાઓ આવ્યા હતા અસ્તિત્વમાં 

મહત્વનું છે કે વિસ્તાર જેટલો નાનો હશે તેમાં કામો ઝડપથી થશે... જેને કારણે આ નિર્ણય લેવાનું સરકાર વિચારી રહી હોઈ શકે છે... 2013માં રાજ્ય સરકાર દ્વારા 7 જિલ્લાઓની રચના કરવામાં આવી હતી જેમાં અરવલ્લી, ગીર-સોમનાથ, બોટાદ, છોટા ઉદેપુર, મહિસાગર, મોરબી અને દેવભૂમિ દ્વારકાને નવા જિલ્લા તરીકે જાહેર કર્યા હતા. મહત્વનું છે કે આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થઈ શકે છે તેવી શક્યતા છે. તે સિવાય ત્યારે આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.