Gujaratમાં 33 જિલ્લાઓને બદલે હવે 36 જિલ્લા થશે? અસ્તિત્વમાં આવી શકે છે આ 3 જિલ્લાઓ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-09-25 14:00:37

સામાન્ય રીતે જ્યારે આપણને કોઈ પૂછે કે ગુજરાતના જિલ્લા કેટલા તો આપણે 33 કહી દઈએ છીએ.. પરંતુ આવનાર દિવસોમાં આ સંખ્યા વધી પણ શકે છે.. એવી માહિતી સામે આવી છે, અખબારોમાં આપવામાં આવતી માહિતી અનુસાર કે નવા ત્રણથી ચાર જિલ્લાઓની રચના આવનાર સમયમાં કરવામાં કરી શકે છે.. આ અંગેની વિચારણા ચાલી રહી છે..  અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદને જિલ્લાનું બિરૂદ મળી શકે છે. ઉપરાંત નવા તાલુકા તેમજ નગરપાલિકાઓની પણ રચના થઈ શકે છે..


આ જિલ્લાઓનું થઈ શકે છે વિભાજન!

જ્યારે નવા જિલ્લા અથવા તો કોર્પોરેશનનું વિભાજન થાય છે ત્યારે તે વિસ્તારનો વિકાસ ઝડપી થાય છે.. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સરકાર 2024 પૂર્ણ થાય તેની પહેલા આ નવા જિલ્લાઓની રચના થઈ શકે છે. માહિતી પ્રમાણે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનું વિભાજન કરી વિરમગામ તરીકે નવો જિલ્લો બનાવામાં આવી શકે છે.. તે ઉપરાંત મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરી વડનગર જિલ્લો બનાવાઈ શકાય છે.. તે ઉપરાંત બનાસકાંઠા, પાટણ તેમજ કચ્છ જિલ્લાનું વિભાજન કરી રાધનપુર અથવા તો થરાદ જિલ્લાને અસ્તીત્વમાં લવાઈ શકાય છે..


2013માં આ જિલ્લાઓ આવ્યા હતા અસ્તિત્વમાં 

મહત્વનું છે કે વિસ્તાર જેટલો નાનો હશે તેમાં કામો ઝડપથી થશે... જેને કારણે આ નિર્ણય લેવાનું સરકાર વિચારી રહી હોઈ શકે છે... 2013માં રાજ્ય સરકાર દ્વારા 7 જિલ્લાઓની રચના કરવામાં આવી હતી જેમાં અરવલ્લી, ગીર-સોમનાથ, બોટાદ, છોટા ઉદેપુર, મહિસાગર, મોરબી અને દેવભૂમિ દ્વારકાને નવા જિલ્લા તરીકે જાહેર કર્યા હતા. મહત્વનું છે કે આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં વિલંબ થઈ શકે છે તેવી શક્યતા છે. તે સિવાય ત્યારે આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .