બોલિવુડ ફિલ્મો કરતા ગુજરાતી ફિલ્મો હીટ થઈ રહી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 14:17:41

એક તરફ બોલિવૂડમાં બોયકોટ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. કોરોના મહામારીની અસરમાંથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહાર આવી રહી છે. ફેસ્ટિવ વીકએન્ડ પર બોલિવૂડની ફિલ્મો કરતા ગુજરાતી ફિલ્મોની ટિકિટોનું વેચાણ વધ્યું છે.ગુજરાતી ફિલ્મોની ટિકિટોનું વેચાણ થતાં ફિલ્મ એક્ઝિબિટરો એ રાહતનો શ્વાસ લીધો છે.

બોક્સ ઓફિસ પર ગુજરાત ફિલ્મોનું સારુ પ્રદર્શન

છેલ્લા છ મહિનામાં બોલિવુડની ફિલ્મોનું પ્રદર્શન બોક્સઓફિસ પર નબળું રહ્યું છે એવામાં ગુજરાતી ફિલ્મો ધૂમ મચાવી રહ્યા છે. વધુમાં વધુ દર્શકોને આકર્ષવામાં ગુજરાતી ફિલ્મો સફળ થઈ રહી છે. કોરોના મહામારીને કારણે થયેલા નુકસાનથી ઢોલીવૂડ બહાર આવી રહ્યું છે. તહેવારોની સિઝનમાં લોકો ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કર્યું છે.

દિવાળીના તહેવારમાં મળશે વધુ દર્શકો

ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો આવ્યા હતા. રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિનની રજાઓના લીધે લોન્ગ વીકએન્ડ લોકોએ એન્જોય કર્યો હતો. મળતી માહિતી મુજબ રજાઓ દરમિયાન બોલિવુડની ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મોને વધુ દર્શકો મળ્યા હતા. હવે તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલના માલિકોને અપેક્ષા છે કે,  ગુજરાતી ફિલ્મો દિવાળીમાં વધુ સારી કમાણી કરશે.

Top 10 Gujarati Movies To Watch Online In 2022

આશ્ચર્યની વાતએ છે કે બોલિવુડના જાણીતા અભિનેતાઓની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. તેમની ફિલ્મો કરતાં પણ કેટલીક ગુજરાતી ફિલ્મોએ સારી કમાણી કરી છે. મળતા આંકડા મુજબ બોલિવુડ કરતાં ગુજરાતી ફિલ્મોની ટીકિટોમાં 35 ટકા કરતા વધારે વેચાઈ છે.

ગુજરાતી ફિલ્મ બની દર્શકોની પસંદ

કોરોના મહામારી બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરી એક વખત બેઠી થઈ રહી છે. 2022ની અનેક ગુજરાતી ફિલ્મો કહેવતલાલ પરિવાર, નાડી દોષ સહિતની ફિલ્મો દર્શકોને ગમી રહી છે. હાલમાં રિલીઝ થયેલી ફક્ત મહિલાઓ માટે ફિલ્મને દર્શકો પસંદ કરી રહ્યા છે.  



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.