દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઇરાદે થયેલી ગોળીબારમાં ગુજરાતીનું થયુું મોત, જંબુસરના યુવાનની થઈ હત્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-21 12:02:09

રોજગારી અર્થે અનેક ભારતીયો વિદેશ જતાં હોય છે. પંરતુ આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભારતીયોની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે આવી એક હત્યા ફરી એક વખત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. નિગ્રો દ્વારા ફોડ્સ બર્ગ ટાવરમાં લૂંટ ચલાવામાં આવી હતી. તે દરમિયાન નિગ્રો દ્વારા ભારતીય પર ગોળીબારી કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 


ગુજરાતીનું ફાયરિંગમાં થયું મોત 

અનેક ભારતીયો રોજગાર અર્થે વિદેશ જતા હોય છે. પૈસા કમાવા માટે ગયેલા ભારતીયો અનેક વખત મોતને ભેટતા હોય છે. વિદેશમાં ભારતીયો પર હુમલા થવાની ઘટના સામે આવતી રહે છે. હુમલો થવાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે ફરી એક વખત ભારતીય પર હુમલો થવાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં લૂંટ કરવા આવેલા નિગ્રોએ ગોળી મારીને ગુજરાતીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નિગ્રો દ્વારા ફોડ્સ બર્ગ ટાવરમાં લૂંટ ચલાવવામાં આવી હતી તે દરમિયાન રોજગારી અર્થે જોહનીસબર્ગ ગયેલો ભરૂચના યુવક પર હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


પરિવારમાં છવાયો માતમ 

ભરૂચ જિલ્લાના જંબુસરનો જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં ગયો હતો. ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઈલ શોપમાં તેઓ જોબ કરી રહ્યા હતા. ત્યારે સોમવારે નિગ્રો લૂંટના ઈરાદા સાથે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘૂસ્યા હતા. જ્યાં દુકાનદારો અને ગ્રાહકોને બંદૂક બતાવી ધમકી આપી હતી. હથિયારો સાથે આવી પહોંચતા ત્યાં નાસભાગ થઈ હતી. ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો અને જેમાં ગુજરાતીનું મોત થયું છે. સ્થાનિકો જુબરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું. તેમનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.           




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે