દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઇરાદે થયેલી ગોળીબારમાં ગુજરાતીનું થયુું મોત, જંબુસરના યુવાનની થઈ હત્યા


  • Published By :
  • Published Date : 2023-02-21 12:02:09

રોજગારી અર્થે અનેક ભારતીયો વિદેશ જતાં હોય છે. પંરતુ આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભારતીયોની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે આવી એક હત્યા ફરી એક વખત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. નિગ્રો દ્વારા ફોડ્સ બર્ગ ટાવરમાં લૂંટ ચલાવામાં આવી હતી. તે દરમિયાન નિગ્રો દ્વારા ભારતીય પર ગોળીબારી કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 


ગુજરાતીનું ફાયરિંગમાં થયું મોત 

અનેક ભારતીયો રોજગાર અર્થે વિદેશ જતા હોય છે. પૈસા કમાવા માટે ગયેલા ભારતીયો અનેક વખત મોતને ભેટતા હોય છે. વિદેશમાં ભારતીયો પર હુમલા થવાની ઘટના સામે આવતી રહે છે. હુમલો થવાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે ફરી એક વખત ભારતીય પર હુમલો થવાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં લૂંટ કરવા આવેલા નિગ્રોએ ગોળી મારીને ગુજરાતીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નિગ્રો દ્વારા ફોડ્સ બર્ગ ટાવરમાં લૂંટ ચલાવવામાં આવી હતી તે દરમિયાન રોજગારી અર્થે જોહનીસબર્ગ ગયેલો ભરૂચના યુવક પર હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


પરિવારમાં છવાયો માતમ 

ભરૂચ જિલ્લાના જંબુસરનો જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં ગયો હતો. ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઈલ શોપમાં તેઓ જોબ કરી રહ્યા હતા. ત્યારે સોમવારે નિગ્રો લૂંટના ઈરાદા સાથે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘૂસ્યા હતા. જ્યાં દુકાનદારો અને ગ્રાહકોને બંદૂક બતાવી ધમકી આપી હતી. હથિયારો સાથે આવી પહોંચતા ત્યાં નાસભાગ થઈ હતી. ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો અને જેમાં ગુજરાતીનું મોત થયું છે. સ્થાનિકો જુબરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું. તેમનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.           




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.