Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે..


  • Published By :
  • Published Date : 2024-07-29 18:56:23

અનેક વખત આપણી સામે આવેલી સમસ્યા અત્યંત વિકટ બનવા લાગે છે, સમસ્યાની બહાર કેવી રીતે આવવું તેની ખબર નથી પડતી.. કયો નિર્ણય સાચો અને કયો નિર્ણય ખોટો તેની ખબર નથી પડતી. અનેક વખત એવું પણ બને કે અજાણ્યા લોકો આપણને મદદ કરે અને જાણીતા લોકો આપણી મદદ ના કરે.. સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના...  


બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,

કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.


અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,

પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.


રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,

અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.


હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?

ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !


પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,

ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.


નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?

મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.


‘ગની’,નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,

કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.


-ગની દહીંવાલા 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .