Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે..


  • Published By :
  • Published Date : 2024-07-29 18:56:23

અનેક વખત આપણી સામે આવેલી સમસ્યા અત્યંત વિકટ બનવા લાગે છે, સમસ્યાની બહાર કેવી રીતે આવવું તેની ખબર નથી પડતી.. કયો નિર્ણય સાચો અને કયો નિર્ણય ખોટો તેની ખબર નથી પડતી. અનેક વખત એવું પણ બને કે અજાણ્યા લોકો આપણને મદદ કરે અને જાણીતા લોકો આપણી મદદ ના કરે.. સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના...  


બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,

કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.


અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,

પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.


રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,

અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.


હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?

ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !


પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,

ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.


નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?

મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.


‘ગની’,નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,

કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.


-ગની દહીંવાલા 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.