Gujarati Literature - સાહિત્યના સમીપમાં ખેડૂતને સમર્પિત છે રચના - છે ખજાનો ખેતરે મારો સદાએ છાંયડો


  • Published By :
  • Published Date : 2024-09-16 16:14:47

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નોનો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે.. તાપ હોય, વરસાદ હોય કે શિયાળો હોય ખેડૂતો પોતાના કામથી ક્યારેય પાછા નથી હટતા.. ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય તે અનાજ ઉગાડે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ખેડૂતને સમર્પિત રચના... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


રાખમાંથી રોજ બેઠો થાઉં એવી જાત છું

સાવ મામુલી ના ગણશો હું જગતનો તાત છું..


ભૂખને, ભૂંડી તરસમાં તો ખપાવી જીંદગી,

ધોમધખતા તાપમાં શીતલ રહું એ વાત છું


છે ખજાનો ખેતરે મારો સદાએ છાંયડો

ગોદ ધરતીની મળે નિરાંતની તો રાત છું


વાદળાની છે અદેખાઈ ને જામે માવઠું

હોઠ સુધી કોળિયો હોને મળે એ લાત છું


હોય છે ને આશ, એ તાકી રહેતી આંખમાં

પણ બજારે દામ આ મોલાત ના હું જ્ઞાત છું


વારસાઈમાં બળદ બે એક કેવળ કોશ છે

પણ મહેનતમાં જનાવર જેવડી હું નાત છું.


નીતઆમાં વાવણીનો જોગ હોવાનો નથી,

કુદરતનાં આ લખેલા નિયમે હું માત છું...



અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.