Gujarati Literature - સાહિત્યના સમીપમાં ખેડૂતને સમર્પિત છે રચના - છે ખજાનો ખેતરે મારો સદાએ છાંયડો


  • Published By :
  • Published Date : 2024-09-16 16:14:47

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નોનો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે.. તાપ હોય, વરસાદ હોય કે શિયાળો હોય ખેડૂતો પોતાના કામથી ક્યારેય પાછા નથી હટતા.. ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય તે અનાજ ઉગાડે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ખેડૂતને સમર્પિત રચના... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


રાખમાંથી રોજ બેઠો થાઉં એવી જાત છું

સાવ મામુલી ના ગણશો હું જગતનો તાત છું..


ભૂખને, ભૂંડી તરસમાં તો ખપાવી જીંદગી,

ધોમધખતા તાપમાં શીતલ રહું એ વાત છું


છે ખજાનો ખેતરે મારો સદાએ છાંયડો

ગોદ ધરતીની મળે નિરાંતની તો રાત છું


વાદળાની છે અદેખાઈ ને જામે માવઠું

હોઠ સુધી કોળિયો હોને મળે એ લાત છું


હોય છે ને આશ, એ તાકી રહેતી આંખમાં

પણ બજારે દામ આ મોલાત ના હું જ્ઞાત છું


વારસાઈમાં બળદ બે એક કેવળ કોશ છે

પણ મહેનતમાં જનાવર જેવડી હું નાત છું.


નીતઆમાં વાવણીનો જોગ હોવાનો નથી,

કુદરતનાં આ લખેલા નિયમે હું માત છું...



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.