Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકને સમર્પિત રચના - હું શિક્ષક છું...


  • Published By :
  • Published Date : 2024-08-02 18:28:27

મા બાપ સિવાય બાળકના ઘડતરમાં જેનો સૌથી મોટો ફાળો હોય છે તે હોય છે શિક્ષકનો.. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું યોગદાન સૌથી મોટું હોય છે.. બાળકના જીવનનું ઘડતર શિક્ષક કરે છે.. વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષક ગુસ્સો કરે છે, લડે છે પરંતુ પ્રેમ શિક્ષક વિદ્યાર્થીઓને કરતા હોય છે. બાળક આગળ વધે તેવી ઈચ્છા તેમના શિક્ષકની હોય છે. શિક્ષક વિના બાળક આગળ નથી વધી શકતું. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકને સમર્પિત એક રચના.. આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..


અહમને દરવાજા બહાર ફેંકી અંદર આવું છું

કારણ કે હું શિક્ષક છું.

ક્યારેક આવે ગુસ્સો તોયે સંયમ જાળવું છું

કારણ કે હું શિક્ષક છું..


દરરોજ પુસ્તક લઈ પહેલા ભણવા બેસું છું

કારણ કે હું શિક્ષક છું.

નથી મારી કોઈ જાત નથી કોઈ ધર્મ

કારણ કે હું શિક્ષક છું..


ક્યારેક બાળકો સાથે બાળક બની જાઉં છું,

કારણ કે હું શિક્ષક છું, 

દરરોજ કેટલાય ભાવિને એક દિશા આપું છું

કારણ કે હું શિક્ષક છું..


ક્યારેક બાળકોને ગુરૂ બનાવું છું

કારણ કે હું શિક્ષક છું

છું હું સમાજના ઘડતરનો પાયો છતાંય

ક્યાંક હું રહી જાઉં છું વેગળો

કારણ કે હું શિક્ષક છું..




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.