Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકને સમર્પિત રચના - હું શિક્ષક છું...


  • Published By :
  • Published Date : 2024-08-02 18:28:27

મા બાપ સિવાય બાળકના ઘડતરમાં જેનો સૌથી મોટો ફાળો હોય છે તે હોય છે શિક્ષકનો.. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું યોગદાન સૌથી મોટું હોય છે.. બાળકના જીવનનું ઘડતર શિક્ષક કરે છે.. વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષક ગુસ્સો કરે છે, લડે છે પરંતુ પ્રેમ શિક્ષક વિદ્યાર્થીઓને કરતા હોય છે. બાળક આગળ વધે તેવી ઈચ્છા તેમના શિક્ષકની હોય છે. શિક્ષક વિના બાળક આગળ નથી વધી શકતું. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકને સમર્પિત એક રચના.. આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..


અહમને દરવાજા બહાર ફેંકી અંદર આવું છું

કારણ કે હું શિક્ષક છું.

ક્યારેક આવે ગુસ્સો તોયે સંયમ જાળવું છું

કારણ કે હું શિક્ષક છું..


દરરોજ પુસ્તક લઈ પહેલા ભણવા બેસું છું

કારણ કે હું શિક્ષક છું.

નથી મારી કોઈ જાત નથી કોઈ ધર્મ

કારણ કે હું શિક્ષક છું..


ક્યારેક બાળકો સાથે બાળક બની જાઉં છું,

કારણ કે હું શિક્ષક છું, 

દરરોજ કેટલાય ભાવિને એક દિશા આપું છું

કારણ કે હું શિક્ષક છું..


ક્યારેક બાળકોને ગુરૂ બનાવું છું

કારણ કે હું શિક્ષક છું

છું હું સમાજના ઘડતરનો પાયો છતાંય

ક્યાંક હું રહી જાઉં છું વેગળો

કારણ કે હું શિક્ષક છું..




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .