Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકને સમર્પિત રચના - હું શિક્ષક છું...


  • Published By :
  • Published Date : 2024-08-02 18:28:27

મા બાપ સિવાય બાળકના ઘડતરમાં જેનો સૌથી મોટો ફાળો હોય છે તે હોય છે શિક્ષકનો.. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું યોગદાન સૌથી મોટું હોય છે.. બાળકના જીવનનું ઘડતર શિક્ષક કરે છે.. વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષક ગુસ્સો કરે છે, લડે છે પરંતુ પ્રેમ શિક્ષક વિદ્યાર્થીઓને કરતા હોય છે. બાળક આગળ વધે તેવી ઈચ્છા તેમના શિક્ષકની હોય છે. શિક્ષક વિના બાળક આગળ નથી વધી શકતું. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકને સમર્પિત એક રચના.. આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..


અહમને દરવાજા બહાર ફેંકી અંદર આવું છું

કારણ કે હું શિક્ષક છું.

ક્યારેક આવે ગુસ્સો તોયે સંયમ જાળવું છું

કારણ કે હું શિક્ષક છું..


દરરોજ પુસ્તક લઈ પહેલા ભણવા બેસું છું

કારણ કે હું શિક્ષક છું.

નથી મારી કોઈ જાત નથી કોઈ ધર્મ

કારણ કે હું શિક્ષક છું..


ક્યારેક બાળકો સાથે બાળક બની જાઉં છું,

કારણ કે હું શિક્ષક છું, 

દરરોજ કેટલાય ભાવિને એક દિશા આપું છું

કારણ કે હું શિક્ષક છું..


ક્યારેક બાળકોને ગુરૂ બનાવું છું

કારણ કે હું શિક્ષક છું

છું હું સમાજના ઘડતરનો પાયો છતાંય

ક્યાંક હું રહી જાઉં છું વેગળો

કારણ કે હું શિક્ષક છું..




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.