Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - બની ને માણસ જીવી બતાવો....


  • Published By :
  • Published Date : 2024-02-12 15:11:51

આપણે જ્યારે ઈશ્વરને સ્મરણ કરીએ છીએ ત્યારે આપણને થાય છે કે ઈશ્વર થવું સરળ છે પરંતુ માણસ થવું અઘરૂં છે... એવું માનતા હોઈએ છીએ કે ઈશ્વરને તો માત્ર સાંભળવાનું હોય છે પરંતુ માણસને તો અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. માણસ થવા માટે લાગણીઓને સમજવી પડે છે અને અનેક વખત આંસુ પણ વહાવવા પડે છે. અનેક વખત એવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે આંસુ વગર આપણે વાતને દર્શાવી શક્તા નથી. સાહિત્યના સમીપમાં અમે કવિના નામ સાથે રચના રજૂ કરતા હોઈએ છે પરંતુ આ કવિના લેખક કોણ છે તે ખબર નથી! જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખી આપજો..સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના.... 


બની ને માણસ જીવી બતાવો....


કરી શકો તો કરી બતાવો,

ને કોરી આંખે રડી બતાવો.


ગણિત તમારું જો હોય પાકું,

વહ્યાં જે આંસુ ગણી બતાવો.


કર્યા વિના બસ હા-જી બધામાં,

વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.


દશા અમારી સમજવા માટે,

ડુમા ને ડુસકાં ગળી બતાવો.


બહાદુરીની પરીક્ષા કરવા,

લ્યો, ખુદની સાથે લડી બતાવો.


મઝા મળીતી જે સ્વપ્ન જોઈ,

પ્રભુ એ સપનું ફરી બતાવો.


સરળ છે જીવન કહો છો ઈશ્વર,

બની ને માણસ જીવી બતાવો..



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.