Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - બની ને માણસ જીવી બતાવો....


  • Published By :
  • Published Date : 2024-02-12 15:11:51

આપણે જ્યારે ઈશ્વરને સ્મરણ કરીએ છીએ ત્યારે આપણને થાય છે કે ઈશ્વર થવું સરળ છે પરંતુ માણસ થવું અઘરૂં છે... એવું માનતા હોઈએ છીએ કે ઈશ્વરને તો માત્ર સાંભળવાનું હોય છે પરંતુ માણસને તો અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. માણસ થવા માટે લાગણીઓને સમજવી પડે છે અને અનેક વખત આંસુ પણ વહાવવા પડે છે. અનેક વખત એવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે આંસુ વગર આપણે વાતને દર્શાવી શક્તા નથી. સાહિત્યના સમીપમાં અમે કવિના નામ સાથે રચના રજૂ કરતા હોઈએ છે પરંતુ આ કવિના લેખક કોણ છે તે ખબર નથી! જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખી આપજો..સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના.... 


બની ને માણસ જીવી બતાવો....


કરી શકો તો કરી બતાવો,

ને કોરી આંખે રડી બતાવો.


ગણિત તમારું જો હોય પાકું,

વહ્યાં જે આંસુ ગણી બતાવો.


કર્યા વિના બસ હા-જી બધામાં,

વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.


દશા અમારી સમજવા માટે,

ડુમા ને ડુસકાં ગળી બતાવો.


બહાદુરીની પરીક્ષા કરવા,

લ્યો, ખુદની સાથે લડી બતાવો.


મઝા મળીતી જે સ્વપ્ન જોઈ,

પ્રભુ એ સપનું ફરી બતાવો.


સરળ છે જીવન કહો છો ઈશ્વર,

બની ને માણસ જીવી બતાવો..



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.