Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - બની ને માણસ જીવી બતાવો....


  • Published By :
  • Published Date : 2024-02-12 15:11:51

આપણે જ્યારે ઈશ્વરને સ્મરણ કરીએ છીએ ત્યારે આપણને થાય છે કે ઈશ્વર થવું સરળ છે પરંતુ માણસ થવું અઘરૂં છે... એવું માનતા હોઈએ છીએ કે ઈશ્વરને તો માત્ર સાંભળવાનું હોય છે પરંતુ માણસને તો અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. માણસ થવા માટે લાગણીઓને સમજવી પડે છે અને અનેક વખત આંસુ પણ વહાવવા પડે છે. અનેક વખત એવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે આંસુ વગર આપણે વાતને દર્શાવી શક્તા નથી. સાહિત્યના સમીપમાં અમે કવિના નામ સાથે રચના રજૂ કરતા હોઈએ છે પરંતુ આ કવિના લેખક કોણ છે તે ખબર નથી! જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખી આપજો..સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના.... 


બની ને માણસ જીવી બતાવો....


કરી શકો તો કરી બતાવો,

ને કોરી આંખે રડી બતાવો.


ગણિત તમારું જો હોય પાકું,

વહ્યાં જે આંસુ ગણી બતાવો.


કર્યા વિના બસ હા-જી બધામાં,

વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.


દશા અમારી સમજવા માટે,

ડુમા ને ડુસકાં ગળી બતાવો.


બહાદુરીની પરીક્ષા કરવા,

લ્યો, ખુદની સાથે લડી બતાવો.


મઝા મળીતી જે સ્વપ્ન જોઈ,

પ્રભુ એ સપનું ફરી બતાવો.


સરળ છે જીવન કહો છો ઈશ્વર,

બની ને માણસ જીવી બતાવો..



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.