Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - બની ને માણસ જીવી બતાવો....


  • Published By :
  • Published Date : 2024-02-12 15:11:51

આપણે જ્યારે ઈશ્વરને સ્મરણ કરીએ છીએ ત્યારે આપણને થાય છે કે ઈશ્વર થવું સરળ છે પરંતુ માણસ થવું અઘરૂં છે... એવું માનતા હોઈએ છીએ કે ઈશ્વરને તો માત્ર સાંભળવાનું હોય છે પરંતુ માણસને તો અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. માણસ થવા માટે લાગણીઓને સમજવી પડે છે અને અનેક વખત આંસુ પણ વહાવવા પડે છે. અનેક વખત એવી પરિસ્થિતિ સર્જાય છે જ્યારે આંસુ વગર આપણે વાતને દર્શાવી શક્તા નથી. સાહિત્યના સમીપમાં અમે કવિના નામ સાથે રચના રજૂ કરતા હોઈએ છે પરંતુ આ કવિના લેખક કોણ છે તે ખબર નથી! જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખી આપજો..સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના.... 


બની ને માણસ જીવી બતાવો....


કરી શકો તો કરી બતાવો,

ને કોરી આંખે રડી બતાવો.


ગણિત તમારું જો હોય પાકું,

વહ્યાં જે આંસુ ગણી બતાવો.


કર્યા વિના બસ હા-જી બધામાં,

વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.


દશા અમારી સમજવા માટે,

ડુમા ને ડુસકાં ગળી બતાવો.


બહાદુરીની પરીક્ષા કરવા,

લ્યો, ખુદની સાથે લડી બતાવો.


મઝા મળીતી જે સ્વપ્ન જોઈ,

પ્રભુ એ સપનું ફરી બતાવો.


સરળ છે જીવન કહો છો ઈશ્વર,

બની ને માણસ જીવી બતાવો..



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .