કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં કાર અકસ્માતમાં મોત, ભારતમાં હતો મોસ્ટ વોન્ટેડ


  • Published By :
  • Published Date : 2023-07-05 22:21:34

ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના કુખ્યાત નેતા ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે. જાણકારી મળી રહી છે કે અમેરિકામાં હાઈવે 101 પર તેમની કારનો અકસ્માત થયો હતો. જોકે, તેમના મૃત્યુની ઔપચારિક પુષ્ટિ થવાની બાકી છે. એવું કહેવાય છે કે પન્નુ લાંબા સમય સુધી ભૂગર્ભમાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતો. તેને ડર હતો કે ખાલિસ્તાની આતંકવાદીઓ હરદીપ સિંહ નિઝ્ઝર, અવતાર સિંહ ખાંડાની જેમ તેને પણ નિશાન બનાવી શકાય છે. ગુરપતવંત સિંહ પન્નુ સોશિયલ મીડિયા પર સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહેતો હતો અને ખાલિસ્તાનની સ્થાપનાની બડાઈ મારતો હતો.


પન્નુને ભારતે જાહેર કર્યો છે આતંકવાદી 


ભારત સરકારે 1 જુલાઈ 2020 ના રોજ UAPA કાયદા હેઠળ તેને આતંકવાદી જાહેર કર્યો છે. જુલાઈ 2020 માં, પંજાબ પોલીસે પન્નુ વિરુદ્ધ અમૃતસર અને કપૂરથલામાં રાજદ્રોહના કેસ નોંધ્યા હતા. પન્નુ અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાલિસ્તાનને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. તેણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડને તેના કહેવાતા ખાલિસ્તાનમાં સામેલ કરવાની ધમકી પણ આપી હતી. પન્નુના કહેવા પર, તેની સંસ્થા શીખ્સ ફોર જસ્ટિસના આતંકવાદીઓએ વિશ્વભરમાં હિન્દુ મંદિરો, ભારતીય દૂતાવાસો અને નાગરિકોને નિશાન બનાવ્યા છે.


આતંકવાદી પન્નુનો જન્મ અમૃતસરમાં થયો હતો


ગુરપતવંત સિંહ પન્નુનો જન્મ અમૃતસરના ખાનકોટ ગામમાં થયો હતો. બાદમાં તે કમાણી કરવા માટે વિદેશ ગયો હતો અને ISIની મદદથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે વિદેશમાં રહેતા શીખોને ખાલિસ્તાનની તરફેણમાં ઉશ્કેર્યા હતા. એટલું જ નહીં, તેણે પાકિસ્તાની ISI પાસેથી મળેલા પૈસાથી ભારતમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર પણ રચ્યું હતું.


પૈસાની લાલચ આપી યુવાનોને ગેરમાર્ગે દોરતો હતો


પન્નુ નિર્દોષ યુવકોને પૈસાની લાલચ આપીને ગેરમાર્ગે દોરતો હતો. તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને ખાલિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પાસેથી પૈસા મેળવતો હતો. તેણે તેનો ઉપયોગ આતંક ફેલાવવા અને ખાલિસ્તાન પર નકલી જનમત યોજવા માટે કર્યો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.