કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં કાર અકસ્માતમાં મોત, ભારતમાં હતો મોસ્ટ વોન્ટેડ


  • Published By :
  • Published Date : 2023-07-05 22:21:34

ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના કુખ્યાત નેતા ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે. જાણકારી મળી રહી છે કે અમેરિકામાં હાઈવે 101 પર તેમની કારનો અકસ્માત થયો હતો. જોકે, તેમના મૃત્યુની ઔપચારિક પુષ્ટિ થવાની બાકી છે. એવું કહેવાય છે કે પન્નુ લાંબા સમય સુધી ભૂગર્ભમાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતો. તેને ડર હતો કે ખાલિસ્તાની આતંકવાદીઓ હરદીપ સિંહ નિઝ્ઝર, અવતાર સિંહ ખાંડાની જેમ તેને પણ નિશાન બનાવી શકાય છે. ગુરપતવંત સિંહ પન્નુ સોશિયલ મીડિયા પર સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહેતો હતો અને ખાલિસ્તાનની સ્થાપનાની બડાઈ મારતો હતો.


પન્નુને ભારતે જાહેર કર્યો છે આતંકવાદી 


ભારત સરકારે 1 જુલાઈ 2020 ના રોજ UAPA કાયદા હેઠળ તેને આતંકવાદી જાહેર કર્યો છે. જુલાઈ 2020 માં, પંજાબ પોલીસે પન્નુ વિરુદ્ધ અમૃતસર અને કપૂરથલામાં રાજદ્રોહના કેસ નોંધ્યા હતા. પન્નુ અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાલિસ્તાનને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. તેણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડને તેના કહેવાતા ખાલિસ્તાનમાં સામેલ કરવાની ધમકી પણ આપી હતી. પન્નુના કહેવા પર, તેની સંસ્થા શીખ્સ ફોર જસ્ટિસના આતંકવાદીઓએ વિશ્વભરમાં હિન્દુ મંદિરો, ભારતીય દૂતાવાસો અને નાગરિકોને નિશાન બનાવ્યા છે.


આતંકવાદી પન્નુનો જન્મ અમૃતસરમાં થયો હતો


ગુરપતવંત સિંહ પન્નુનો જન્મ અમૃતસરના ખાનકોટ ગામમાં થયો હતો. બાદમાં તે કમાણી કરવા માટે વિદેશ ગયો હતો અને ISIની મદદથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે વિદેશમાં રહેતા શીખોને ખાલિસ્તાનની તરફેણમાં ઉશ્કેર્યા હતા. એટલું જ નહીં, તેણે પાકિસ્તાની ISI પાસેથી મળેલા પૈસાથી ભારતમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર પણ રચ્યું હતું.


પૈસાની લાલચ આપી યુવાનોને ગેરમાર્ગે દોરતો હતો


પન્નુ નિર્દોષ યુવકોને પૈસાની લાલચ આપીને ગેરમાર્ગે દોરતો હતો. તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને ખાલિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પાસેથી પૈસા મેળવતો હતો. તેણે તેનો ઉપયોગ આતંક ફેલાવવા અને ખાલિસ્તાન પર નકલી જનમત યોજવા માટે કર્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.