કુખ્યાત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં કાર અકસ્માતમાં મોત, ભારતમાં હતો મોસ્ટ વોન્ટેડ


  • Published By :
  • Published Date : 2023-07-05 22:21:34

ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના કુખ્યાત નેતા ગુરપતવંત સિંહ પન્નુનું અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે. જાણકારી મળી રહી છે કે અમેરિકામાં હાઈવે 101 પર તેમની કારનો અકસ્માત થયો હતો. જોકે, તેમના મૃત્યુની ઔપચારિક પુષ્ટિ થવાની બાકી છે. એવું કહેવાય છે કે પન્નુ લાંબા સમય સુધી ભૂગર્ભમાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતો. તેને ડર હતો કે ખાલિસ્તાની આતંકવાદીઓ હરદીપ સિંહ નિઝ્ઝર, અવતાર સિંહ ખાંડાની જેમ તેને પણ નિશાન બનાવી શકાય છે. ગુરપતવંત સિંહ પન્નુ સોશિયલ મીડિયા પર સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહેતો હતો અને ખાલિસ્તાનની સ્થાપનાની બડાઈ મારતો હતો.


પન્નુને ભારતે જાહેર કર્યો છે આતંકવાદી 


ભારત સરકારે 1 જુલાઈ 2020 ના રોજ UAPA કાયદા હેઠળ તેને આતંકવાદી જાહેર કર્યો છે. જુલાઈ 2020 માં, પંજાબ પોલીસે પન્નુ વિરુદ્ધ અમૃતસર અને કપૂરથલામાં રાજદ્રોહના કેસ નોંધ્યા હતા. પન્નુ અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાલિસ્તાનને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. તેણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડને તેના કહેવાતા ખાલિસ્તાનમાં સામેલ કરવાની ધમકી પણ આપી હતી. પન્નુના કહેવા પર, તેની સંસ્થા શીખ્સ ફોર જસ્ટિસના આતંકવાદીઓએ વિશ્વભરમાં હિન્દુ મંદિરો, ભારતીય દૂતાવાસો અને નાગરિકોને નિશાન બનાવ્યા છે.


આતંકવાદી પન્નુનો જન્મ અમૃતસરમાં થયો હતો


ગુરપતવંત સિંહ પન્નુનો જન્મ અમૃતસરના ખાનકોટ ગામમાં થયો હતો. બાદમાં તે કમાણી કરવા માટે વિદેશ ગયો હતો અને ISIની મદદથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે વિદેશમાં રહેતા શીખોને ખાલિસ્તાનની તરફેણમાં ઉશ્કેર્યા હતા. એટલું જ નહીં, તેણે પાકિસ્તાની ISI પાસેથી મળેલા પૈસાથી ભારતમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર પણ રચ્યું હતું.


પૈસાની લાલચ આપી યુવાનોને ગેરમાર્ગે દોરતો હતો


પન્નુ નિર્દોષ યુવકોને પૈસાની લાલચ આપીને ગેરમાર્ગે દોરતો હતો. તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને ખાલિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પાસેથી પૈસા મેળવતો હતો. તેણે તેનો ઉપયોગ આતંક ફેલાવવા અને ખાલિસ્તાન પર નકલી જનમત યોજવા માટે કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.