Taarak Mehta શોમાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરણ 25 દિવસ બાદ આવ્યા ઘરે, આટલા દિવસ અહીંયા રોકાયા હતા સોઢી!


  • Published By :
  • Published Date : 2024-05-18 14:23:11

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરણ સિંહ ગુમ થઈ ગયા છે તેવી ચર્ચાઓ તમે સાંભળી હશે.. ગુમ થઈ ગયા હોવાની વાત સામે આવતા તેમના પરિવારજન તેમના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ પોલીસે તેમની શોધખોળ કરી પરંતુ તે ના મળ્યા હતા.. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે 17 મેના રોજ ગુરૂચરન સિંહ ઘરે પાછા આવી ગયા છે.. તે ધાર્મિક યાત્રા પર નિકળ્યા હતા તેવી વાત તેમણે કરી હતી.. 22 એપ્રિલે તે દિલ્હીથી મુંબઈ આવવા માટે નિકળ્યા હતા પંરતુ તે ના તો મુંબઈ પહોંચ્યા નાતો ઘરે પાછા આવ્યા..    

ધાર્મિક યાત્રા પર નિકળ્યા હતા તારક મહેતા શોના સોઢી! 

ઘણી વખત આપણામાંથી અનેક લોકોને થતું હોય છે કે બધુ છોડીને ક્યાંય જતા રહીએ..! દુનિયાદારીને છોડી દઈએ જેવા વિચારો આવતા હોય છે.. ત્યારે આવો જ કંઈ વિચાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન સિહને આવ્યો અને તે ધાર્મિક યાત્રા પર નિકળી પડ્યા...! અનેક દિવસોથી તે ઘરે પરત ના આવ્યા હતા જેને કારણે તેમના પરિવારજનોને ચિંતા થઈ.. પોલીસમાં ફરિયાદ થઈ અને પોલીસે શોધખોળ શરૂ કરી પરંતુ તે ક્યાં છે તેની જાણ ના થઈ..


તેમને અચાનક અહેસાસ થયો કે...  

આ બધા વચ્ચે ગુરૂચરન સિંહ ઘરે પરત આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. જેને લઈ પરિવારે રાહતનો  શ્વાસ લીધો છે... 25 દિવસોથી તે ગુમ હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું કે તે ધાર્મિક યાત્રા માટે ઘરને છોડીને જતા રહ્યા હતા. ગુરૂદ્વારામાં તે અનેક દિવસો રોકાયા.. તે અમૃતસર, લુધિયાણા જેવા શહેરોમાં ગયા અને ત્યાં આવેલા ગુરૂદ્વારામાં રોકાયા પરંતુ અચાનક તેમને અહેસાસ થયો કે તેમને ઘરે પરત ફરવું જોઈએ એટલે તે પાછા ઘરે આવી ગયા.. સોઢી ઘરે પાછા આવી જતા તેમના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. 



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.