Taarak Mehta શોમાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરણ 25 દિવસ બાદ આવ્યા ઘરે, આટલા દિવસ અહીંયા રોકાયા હતા સોઢી!


  • Published By :
  • Published Date : 2024-05-18 14:23:11

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરણ સિંહ ગુમ થઈ ગયા છે તેવી ચર્ચાઓ તમે સાંભળી હશે.. ગુમ થઈ ગયા હોવાની વાત સામે આવતા તેમના પરિવારજન તેમના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ પોલીસે તેમની શોધખોળ કરી પરંતુ તે ના મળ્યા હતા.. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે 17 મેના રોજ ગુરૂચરન સિંહ ઘરે પાછા આવી ગયા છે.. તે ધાર્મિક યાત્રા પર નિકળ્યા હતા તેવી વાત તેમણે કરી હતી.. 22 એપ્રિલે તે દિલ્હીથી મુંબઈ આવવા માટે નિકળ્યા હતા પંરતુ તે ના તો મુંબઈ પહોંચ્યા નાતો ઘરે પાછા આવ્યા..    

ધાર્મિક યાત્રા પર નિકળ્યા હતા તારક મહેતા શોના સોઢી! 

ઘણી વખત આપણામાંથી અનેક લોકોને થતું હોય છે કે બધુ છોડીને ક્યાંય જતા રહીએ..! દુનિયાદારીને છોડી દઈએ જેવા વિચારો આવતા હોય છે.. ત્યારે આવો જ કંઈ વિચાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન સિહને આવ્યો અને તે ધાર્મિક યાત્રા પર નિકળી પડ્યા...! અનેક દિવસોથી તે ઘરે પરત ના આવ્યા હતા જેને કારણે તેમના પરિવારજનોને ચિંતા થઈ.. પોલીસમાં ફરિયાદ થઈ અને પોલીસે શોધખોળ શરૂ કરી પરંતુ તે ક્યાં છે તેની જાણ ના થઈ..


તેમને અચાનક અહેસાસ થયો કે...  

આ બધા વચ્ચે ગુરૂચરન સિંહ ઘરે પરત આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. જેને લઈ પરિવારે રાહતનો  શ્વાસ લીધો છે... 25 દિવસોથી તે ગુમ હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું કે તે ધાર્મિક યાત્રા માટે ઘરને છોડીને જતા રહ્યા હતા. ગુરૂદ્વારામાં તે અનેક દિવસો રોકાયા.. તે અમૃતસર, લુધિયાણા જેવા શહેરોમાં ગયા અને ત્યાં આવેલા ગુરૂદ્વારામાં રોકાયા પરંતુ અચાનક તેમને અહેસાસ થયો કે તેમને ઘરે પરત ફરવું જોઈએ એટલે તે પાછા ઘરે આવી ગયા.. સોઢી ઘરે પાછા આવી જતા તેમના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .