Taarak Mehta શોમાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરણ 25 દિવસ બાદ આવ્યા ઘરે, આટલા દિવસ અહીંયા રોકાયા હતા સોઢી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-18 14:23:11

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરણ સિંહ ગુમ થઈ ગયા છે તેવી ચર્ચાઓ તમે સાંભળી હશે.. ગુમ થઈ ગયા હોવાની વાત સામે આવતા તેમના પરિવારજન તેમના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ પોલીસે તેમની શોધખોળ કરી પરંતુ તે ના મળ્યા હતા.. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે 17 મેના રોજ ગુરૂચરન સિંહ ઘરે પાછા આવી ગયા છે.. તે ધાર્મિક યાત્રા પર નિકળ્યા હતા તેવી વાત તેમણે કરી હતી.. 22 એપ્રિલે તે દિલ્હીથી મુંબઈ આવવા માટે નિકળ્યા હતા પંરતુ તે ના તો મુંબઈ પહોંચ્યા નાતો ઘરે પાછા આવ્યા..    

ધાર્મિક યાત્રા પર નિકળ્યા હતા તારક મહેતા શોના સોઢી! 

ઘણી વખત આપણામાંથી અનેક લોકોને થતું હોય છે કે બધુ છોડીને ક્યાંય જતા રહીએ..! દુનિયાદારીને છોડી દઈએ જેવા વિચારો આવતા હોય છે.. ત્યારે આવો જ કંઈ વિચાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન સિહને આવ્યો અને તે ધાર્મિક યાત્રા પર નિકળી પડ્યા...! અનેક દિવસોથી તે ઘરે પરત ના આવ્યા હતા જેને કારણે તેમના પરિવારજનોને ચિંતા થઈ.. પોલીસમાં ફરિયાદ થઈ અને પોલીસે શોધખોળ શરૂ કરી પરંતુ તે ક્યાં છે તેની જાણ ના થઈ..


તેમને અચાનક અહેસાસ થયો કે...  

આ બધા વચ્ચે ગુરૂચરન સિંહ ઘરે પરત આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. જેને લઈ પરિવારે રાહતનો  શ્વાસ લીધો છે... 25 દિવસોથી તે ગુમ હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું કે તે ધાર્મિક યાત્રા માટે ઘરને છોડીને જતા રહ્યા હતા. ગુરૂદ્વારામાં તે અનેક દિવસો રોકાયા.. તે અમૃતસર, લુધિયાણા જેવા શહેરોમાં ગયા અને ત્યાં આવેલા ગુરૂદ્વારામાં રોકાયા પરંતુ અચાનક તેમને અહેસાસ થયો કે તેમને ઘરે પરત ફરવું જોઈએ એટલે તે પાછા ઘરે આવી ગયા.. સોઢી ઘરે પાછા આવી જતા તેમના ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.