Gyan sahayakનો વિરોધ : AAP-Congress માટે રાજનીતિક માહોલ! ઉમેદવારો માટે નોકરી પણ બાળકોને કોણ આપશે શિક્ષણ?


  • Published By :
  • Published Date : 2023-10-21 13:27:06

 અનેક વખત જ્ઞાન સહાયકનો મુદ્દો અમે એટલે કે જમાવટ વાળાએ ઉપાડ્યો છે. જ્ઞાન સહાયકને લઈ આંદોલન થાય છે ત્યારે ત્યારે અમે એ ન્યુઝને કવર કરી છે. અમે એ લોકોનો અવાજ બન્યા છીએ જે શિક્ષણ માટે આંદોલન કરે છે કારણ કે અમને દેશના ભાવિના શિક્ષણની ચિંતા છે. ગઈકાલે જ્ઞાન સહાયકના વિરોધમાં અને ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ એક રેલી કાઢવામાં આવી હતી.

જ્યાં સુધી આંદોલન નથી થતું ત્યાં સુધી નથી ખેંચાતું લોકોનું ધ્યાન 

આવા મુદ્દાઓ રાજકીય પક્ષો માટે રાજનીતિ કરવાનું સાધન હોય છે. આ મુદ્દાઓ પર રાજનેતાઓ પોતાની રાજકીય રોટલી શેકતા હોય છે. આંદોલનમાંથી જ અનેક નેતાઓ પેદા થાય છે. અનેક નેતાઓના ઉદાહરણ આપણી સામે છે જેમાં આંદોલનને કારણે તેઓ આગળ આવ્યા અને પછી રાજનીતિમાં જોડાઈ ગયા. આમાંથી અનેક લોકો, અનેક ઉમેદવારો એવા હશે જે આગળ જતા નેતાઓ બને. આંદોલન કરવાથી પ્રશ્નનું નિરાકરણ આવે છે કે કેમ તેની ખબર નથી પરંતુ જ્યાં સુધી આંદોલન ચાલે છે ત્યાં સુધી તે મુદ્દા પર લોકોનું ધ્યાન ખેંચાતું રહે છે. રાજકીય પાર્ટીઓ માટે ભલે આ મુદ્દો ચૂંટણી લક્ષી હોઈ શકે છે, માહોલ બનાવા માટે આ મુદ્દો મદદરૂપ થઈ શકે છે પરંતુ સરકારી શાળામાં બાળકો માટે એ ચર્ચાનો વિષય નથી. 

શાળામાં બાળકોના ભવિષ્યનું થાય છે ઘડતર 

સરકારી શાળામાં શિક્ષણની શું પરિસ્થિતિ છે, સરકારી શાળાની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત એવા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં અંતરિયાળ વિસ્તારોમાં અનેક કિલોમીટર દૂર સુધી સરકારી શાળા નથી હોતી. શાળા હોય છે તો જર્જરિત હાલતમાં હોય છે. કોઈ શાળાઓ એવી હોય છે જ્યાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ આખી શાળા એક જ શિક્ષકના આધારે ચાલતી હોય છે. શિક્ષણ મેળવવું, સારું શિક્ષણ મેળવવું દરેક બાળકનો હક છે. એ બાળક ભલે ગામડામાં રહેતો હોય કે પછી શહેરોમાં. શિક્ષણ મેળવવું દરેકનો અધિકાર છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો બાળકોને શિક્ષણ નથી મળતું તે નિષ્ફળતા કહેવાય. શિક્ષણ બાળકના ઘડતરનો પાયો છે. 

અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને ખાસ જરૂર હોય છે શિક્ષકોની  

આ આંદોલન રાજકીય પાર્ટી માટે મુદ્દો હતો, ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે નોકરીનો સવાલ હતો. આ આખા પ્રકરણમાં એ વિદ્યાર્થીઓને આપણે ભૂલી ગયા છે શિક્ષા માટે ઝંખી રહ્યા છે. એ બાળકો વિશે કોણ વિચારશે જેમને ધ્યાનમાં રાખી આ આંદોલનો, આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષક વગર શાળાની કલ્પના પણ ન કરી શકાય કારણ કે શિક્ષક વગર તો શાળા ચાલવાની જ નથી. ત્યારે જમાવટ આવા મુદ્દાઓ એટલા માટે ઉઠાવે છે કારણ કે વિદ્યાર્થીઓને સારા શિક્ષણની જરૂર છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને જો સપોર્ટ મળી જાય છે તો તેઓ ક્રાંતિ લાવવા પણ સક્ષમ છે. જે બાળકો અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય છે તે લોકોને ખાસ જરૂર હોય છે સરકારી શાળાના શિક્ષકની. 


જમાવટે વિદ્યાર્થીઓ માટે બતાવે છે આંદોલનના દ્રશ્યો 

અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને જો સારૂ શિક્ષણ નહીં મળે તો તેઓ પાછળ રહી જશે. આપણે ક્યારેય વિકાસ નહીં કરી શકીએ જો અનેક લોકો શિક્ષણથી વંચિત રહેશે. જમાવટએ વિદ્યાર્થીઓ, એ બાળકોને ધ્યાનમાં રાખી આ વિરોધને વારંવાર બતાવે છે કારણ કે તે લોકોને શિક્ષકોની જરૂર છે. ખાડામાં ગયેલા શિક્ષણને બહાર કાઢવાની જરૂર છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .