Gyan sahayakનો વિરોધ : AAP-Congress માટે રાજનીતિક માહોલ! ઉમેદવારો માટે નોકરી પણ બાળકોને કોણ આપશે શિક્ષણ?


  • Published By :
  • Published Date : 2023-10-21 13:27:06

 અનેક વખત જ્ઞાન સહાયકનો મુદ્દો અમે એટલે કે જમાવટ વાળાએ ઉપાડ્યો છે. જ્ઞાન સહાયકને લઈ આંદોલન થાય છે ત્યારે ત્યારે અમે એ ન્યુઝને કવર કરી છે. અમે એ લોકોનો અવાજ બન્યા છીએ જે શિક્ષણ માટે આંદોલન કરે છે કારણ કે અમને દેશના ભાવિના શિક્ષણની ચિંતા છે. ગઈકાલે જ્ઞાન સહાયકના વિરોધમાં અને ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ એક રેલી કાઢવામાં આવી હતી.

જ્યાં સુધી આંદોલન નથી થતું ત્યાં સુધી નથી ખેંચાતું લોકોનું ધ્યાન 

આવા મુદ્દાઓ રાજકીય પક્ષો માટે રાજનીતિ કરવાનું સાધન હોય છે. આ મુદ્દાઓ પર રાજનેતાઓ પોતાની રાજકીય રોટલી શેકતા હોય છે. આંદોલનમાંથી જ અનેક નેતાઓ પેદા થાય છે. અનેક નેતાઓના ઉદાહરણ આપણી સામે છે જેમાં આંદોલનને કારણે તેઓ આગળ આવ્યા અને પછી રાજનીતિમાં જોડાઈ ગયા. આમાંથી અનેક લોકો, અનેક ઉમેદવારો એવા હશે જે આગળ જતા નેતાઓ બને. આંદોલન કરવાથી પ્રશ્નનું નિરાકરણ આવે છે કે કેમ તેની ખબર નથી પરંતુ જ્યાં સુધી આંદોલન ચાલે છે ત્યાં સુધી તે મુદ્દા પર લોકોનું ધ્યાન ખેંચાતું રહે છે. રાજકીય પાર્ટીઓ માટે ભલે આ મુદ્દો ચૂંટણી લક્ષી હોઈ શકે છે, માહોલ બનાવા માટે આ મુદ્દો મદદરૂપ થઈ શકે છે પરંતુ સરકારી શાળામાં બાળકો માટે એ ચર્ચાનો વિષય નથી. 

શાળામાં બાળકોના ભવિષ્યનું થાય છે ઘડતર 

સરકારી શાળામાં શિક્ષણની શું પરિસ્થિતિ છે, સરકારી શાળાની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત એવા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં અંતરિયાળ વિસ્તારોમાં અનેક કિલોમીટર દૂર સુધી સરકારી શાળા નથી હોતી. શાળા હોય છે તો જર્જરિત હાલતમાં હોય છે. કોઈ શાળાઓ એવી હોય છે જ્યાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ આખી શાળા એક જ શિક્ષકના આધારે ચાલતી હોય છે. શિક્ષણ મેળવવું, સારું શિક્ષણ મેળવવું દરેક બાળકનો હક છે. એ બાળક ભલે ગામડામાં રહેતો હોય કે પછી શહેરોમાં. શિક્ષણ મેળવવું દરેકનો અધિકાર છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો બાળકોને શિક્ષણ નથી મળતું તે નિષ્ફળતા કહેવાય. શિક્ષણ બાળકના ઘડતરનો પાયો છે. 

અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને ખાસ જરૂર હોય છે શિક્ષકોની  

આ આંદોલન રાજકીય પાર્ટી માટે મુદ્દો હતો, ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે નોકરીનો સવાલ હતો. આ આખા પ્રકરણમાં એ વિદ્યાર્થીઓને આપણે ભૂલી ગયા છે શિક્ષા માટે ઝંખી રહ્યા છે. એ બાળકો વિશે કોણ વિચારશે જેમને ધ્યાનમાં રાખી આ આંદોલનો, આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષક વગર શાળાની કલ્પના પણ ન કરી શકાય કારણ કે શિક્ષક વગર તો શાળા ચાલવાની જ નથી. ત્યારે જમાવટ આવા મુદ્દાઓ એટલા માટે ઉઠાવે છે કારણ કે વિદ્યાર્થીઓને સારા શિક્ષણની જરૂર છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને જો સપોર્ટ મળી જાય છે તો તેઓ ક્રાંતિ લાવવા પણ સક્ષમ છે. જે બાળકો અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય છે તે લોકોને ખાસ જરૂર હોય છે સરકારી શાળાના શિક્ષકની. 


જમાવટે વિદ્યાર્થીઓ માટે બતાવે છે આંદોલનના દ્રશ્યો 

અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને જો સારૂ શિક્ષણ નહીં મળે તો તેઓ પાછળ રહી જશે. આપણે ક્યારેય વિકાસ નહીં કરી શકીએ જો અનેક લોકો શિક્ષણથી વંચિત રહેશે. જમાવટએ વિદ્યાર્થીઓ, એ બાળકોને ધ્યાનમાં રાખી આ વિરોધને વારંવાર બતાવે છે કારણ કે તે લોકોને શિક્ષકોની જરૂર છે. ખાડામાં ગયેલા શિક્ષણને બહાર કાઢવાની જરૂર છે. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .