Gyan sahayakનો વિરોધ : AAP-Congress માટે રાજનીતિક માહોલ! ઉમેદવારો માટે નોકરી પણ બાળકોને કોણ આપશે શિક્ષણ?


  • Published By :
  • Published Date : 2023-10-21 13:27:06

 અનેક વખત જ્ઞાન સહાયકનો મુદ્દો અમે એટલે કે જમાવટ વાળાએ ઉપાડ્યો છે. જ્ઞાન સહાયકને લઈ આંદોલન થાય છે ત્યારે ત્યારે અમે એ ન્યુઝને કવર કરી છે. અમે એ લોકોનો અવાજ બન્યા છીએ જે શિક્ષણ માટે આંદોલન કરે છે કારણ કે અમને દેશના ભાવિના શિક્ષણની ચિંતા છે. ગઈકાલે જ્ઞાન સહાયકના વિરોધમાં અને ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ એક રેલી કાઢવામાં આવી હતી.

જ્યાં સુધી આંદોલન નથી થતું ત્યાં સુધી નથી ખેંચાતું લોકોનું ધ્યાન 

આવા મુદ્દાઓ રાજકીય પક્ષો માટે રાજનીતિ કરવાનું સાધન હોય છે. આ મુદ્દાઓ પર રાજનેતાઓ પોતાની રાજકીય રોટલી શેકતા હોય છે. આંદોલનમાંથી જ અનેક નેતાઓ પેદા થાય છે. અનેક નેતાઓના ઉદાહરણ આપણી સામે છે જેમાં આંદોલનને કારણે તેઓ આગળ આવ્યા અને પછી રાજનીતિમાં જોડાઈ ગયા. આમાંથી અનેક લોકો, અનેક ઉમેદવારો એવા હશે જે આગળ જતા નેતાઓ બને. આંદોલન કરવાથી પ્રશ્નનું નિરાકરણ આવે છે કે કેમ તેની ખબર નથી પરંતુ જ્યાં સુધી આંદોલન ચાલે છે ત્યાં સુધી તે મુદ્દા પર લોકોનું ધ્યાન ખેંચાતું રહે છે. રાજકીય પાર્ટીઓ માટે ભલે આ મુદ્દો ચૂંટણી લક્ષી હોઈ શકે છે, માહોલ બનાવા માટે આ મુદ્દો મદદરૂપ થઈ શકે છે પરંતુ સરકારી શાળામાં બાળકો માટે એ ચર્ચાનો વિષય નથી. 

શાળામાં બાળકોના ભવિષ્યનું થાય છે ઘડતર 

સરકારી શાળામાં શિક્ષણની શું પરિસ્થિતિ છે, સરકારી શાળાની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત એવા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં અંતરિયાળ વિસ્તારોમાં અનેક કિલોમીટર દૂર સુધી સરકારી શાળા નથી હોતી. શાળા હોય છે તો જર્જરિત હાલતમાં હોય છે. કોઈ શાળાઓ એવી હોય છે જ્યાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ આખી શાળા એક જ શિક્ષકના આધારે ચાલતી હોય છે. શિક્ષણ મેળવવું, સારું શિક્ષણ મેળવવું દરેક બાળકનો હક છે. એ બાળક ભલે ગામડામાં રહેતો હોય કે પછી શહેરોમાં. શિક્ષણ મેળવવું દરેકનો અધિકાર છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો બાળકોને શિક્ષણ નથી મળતું તે નિષ્ફળતા કહેવાય. શિક્ષણ બાળકના ઘડતરનો પાયો છે. 

અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને ખાસ જરૂર હોય છે શિક્ષકોની  

આ આંદોલન રાજકીય પાર્ટી માટે મુદ્દો હતો, ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે નોકરીનો સવાલ હતો. આ આખા પ્રકરણમાં એ વિદ્યાર્થીઓને આપણે ભૂલી ગયા છે શિક્ષા માટે ઝંખી રહ્યા છે. એ બાળકો વિશે કોણ વિચારશે જેમને ધ્યાનમાં રાખી આ આંદોલનો, આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષક વગર શાળાની કલ્પના પણ ન કરી શકાય કારણ કે શિક્ષક વગર તો શાળા ચાલવાની જ નથી. ત્યારે જમાવટ આવા મુદ્દાઓ એટલા માટે ઉઠાવે છે કારણ કે વિદ્યાર્થીઓને સારા શિક્ષણની જરૂર છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને જો સપોર્ટ મળી જાય છે તો તેઓ ક્રાંતિ લાવવા પણ સક્ષમ છે. જે બાળકો અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય છે તે લોકોને ખાસ જરૂર હોય છે સરકારી શાળાના શિક્ષકની. 


જમાવટે વિદ્યાર્થીઓ માટે બતાવે છે આંદોલનના દ્રશ્યો 

અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોને જો સારૂ શિક્ષણ નહીં મળે તો તેઓ પાછળ રહી જશે. આપણે ક્યારેય વિકાસ નહીં કરી શકીએ જો અનેક લોકો શિક્ષણથી વંચિત રહેશે. જમાવટએ વિદ્યાર્થીઓ, એ બાળકોને ધ્યાનમાં રાખી આ વિરોધને વારંવાર બતાવે છે કારણ કે તે લોકોને શિક્ષકોની જરૂર છે. ખાડામાં ગયેલા શિક્ષણને બહાર કાઢવાની જરૂર છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.