Gyanvapi Case: મુસ્લિમ પક્ષને ઝટકો, શૃંગાર ગૌરી કેસમાં અલ્હાબાદ HCએ અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-05-31 20:52:15

ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સાથે સંકળાયેલા શૃંગાર ગૌરી કેસમાં અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીને મોટો આંચકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની વાંધા અરજીને ફગાવી દીધી છે. અલ્લાહબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જેજે મુનીરના નિર્ણય બાદ શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની માંગ કરતી અરજી પર સુનાવણીનો માર્ગ મોકળો થઈ ગયો છે. હવે જિલ્લા કોર્ટ વારાણસી શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે.આજે જસ્ટિસ જેજે મુનીરની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો છે. અગાઉ, દલિલો પૂર્ણ થયા બાદ કોર્ટે 23 ડિસેમ્બર, 2022ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને પડકાર્યો હતો.


મહિલાઓએ પૂજાના અધિકાર માટે કરી હતી અરજી


રાખી સિંહ અને અન્ય નવ મહિલાઓએ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પૂજા કરવાના તેમના અધિકાર અંગે સિવિલ દાવો દાખલ કર્યો હતો. અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી, વારાણસીએ પ્રતિવાદીના દાવો યથાર્થતાની સામે વાંધો ઉઠાવતી અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991ની જોગવાઈઓ હેઠળ, કોર્ટને દાવો સાંભળવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે સમિતિની અરજી ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદાર અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી વતી વરિષ્ઠ એડવોકેટ એસએફએ નકવી, ઝહીર અસગર, ફાતિમા અંજુમ તથા સામે પક્ષે એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુ જૈન, પ્રદીપ શર્મા, સૌરભ તિવારી, પ્રભાષ પાંડે, વિનીત સંકલ્પ, એડિશનલ એડવોકેટ જનરલ એમસી ચતુર્વેદી, ચીફ પરમેનન્ટ એડવોકેટ બિપિન પંથકના મુખ્ય સ્થાયી વકીલે  દલીલો કરી હતી.


હાઈકોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય


જ્ઞાનવાપી મસ્જિદ એરેન્જમેન્ટ કમિટીની અરજી ફગાવી દેવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર આ મામલામાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક નિર્ણય છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી ધ્યાનમાં લેવા યોગ્ય નથી અને તેને ફગાવી દીધી. આ નિર્ણય દેશના તમામ હિંદુઓ માટે નવી આશા લઈને આવ્યો છે.


મુસ્લિમ પક્ષની દલીલ જ ફગાવી


મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ઓર્ડર 7 નિયમ 11 હેઠળ આ અરજી સાંભળવા યોગ્ય નથી. મહિનાઓની સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશની કોર્ટે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ડિસ્ટ્રિક્ટ જજ એકે વિશ્વેશની કોર્ટે ગયા વર્ષે 12 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.