Gyanvapi Case: મુસ્લિમ પક્ષને ઝટકો, શૃંગાર ગૌરી કેસમાં અલ્હાબાદ HCએ અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-05-31 20:52:15

ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સાથે સંકળાયેલા શૃંગાર ગૌરી કેસમાં અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીને મોટો આંચકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની વાંધા અરજીને ફગાવી દીધી છે. અલ્લાહબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જેજે મુનીરના નિર્ણય બાદ શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની માંગ કરતી અરજી પર સુનાવણીનો માર્ગ મોકળો થઈ ગયો છે. હવે જિલ્લા કોર્ટ વારાણસી શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરશે.આજે જસ્ટિસ જેજે મુનીરની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો છે. અગાઉ, દલિલો પૂર્ણ થયા બાદ કોર્ટે 23 ડિસેમ્બર, 2022ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ વારાણસીના જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને પડકાર્યો હતો.


મહિલાઓએ પૂજાના અધિકાર માટે કરી હતી અરજી


રાખી સિંહ અને અન્ય નવ મહિલાઓએ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પૂજા કરવાના તેમના અધિકાર અંગે સિવિલ દાવો દાખલ કર્યો હતો. અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટી, વારાણસીએ પ્રતિવાદીના દાવો યથાર્થતાની સામે વાંધો ઉઠાવતી અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991ની જોગવાઈઓ હેઠળ, કોર્ટને દાવો સાંભળવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે સમિતિની અરજી ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદાર અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી વતી વરિષ્ઠ એડવોકેટ એસએફએ નકવી, ઝહીર અસગર, ફાતિમા અંજુમ તથા સામે પક્ષે એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુ જૈન, પ્રદીપ શર્મા, સૌરભ તિવારી, પ્રભાષ પાંડે, વિનીત સંકલ્પ, એડિશનલ એડવોકેટ જનરલ એમસી ચતુર્વેદી, ચીફ પરમેનન્ટ એડવોકેટ બિપિન પંથકના મુખ્ય સ્થાયી વકીલે  દલીલો કરી હતી.


હાઈકોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય


જ્ઞાનવાપી મસ્જિદ એરેન્જમેન્ટ કમિટીની અરજી ફગાવી દેવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર આ મામલામાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક નિર્ણય છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજી ધ્યાનમાં લેવા યોગ્ય નથી અને તેને ફગાવી દીધી. આ નિર્ણય દેશના તમામ હિંદુઓ માટે નવી આશા લઈને આવ્યો છે.


મુસ્લિમ પક્ષની દલીલ જ ફગાવી


મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ઓર્ડર 7 નિયમ 11 હેઠળ આ અરજી સાંભળવા યોગ્ય નથી. મહિનાઓની સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશની કોર્ટે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ડિસ્ટ્રિક્ટ જજ એકે વિશ્વેશની કોર્ટે ગયા વર્ષે 12 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપ્યો હતો.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.