અલ્લાહબાદ હાઈકોર્ટે સર્વેમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કરાવવાનો આપ્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-12 18:44:08

અલ્લાહબાદ હાઈકોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વચ્ચેના વિવાદમાં મહત્વો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કરાવવામાં આવે. કોર્ટે જિલ્લાના જજના આદેશનો પણ રદ્દ કર્યો હતો. ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર મિશ્રાની બેંચે ASIની રિપોર્ટના આધારે કથિત શિવલિંગનું સાયન્ટિફિક સર્વેની તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આર્કિયોલોજીકલ સર્વેને પણ કહ્યું છે કે શિવલિંગને કોઈ પણ પ્રકારે ખંડિત કર્યા વગર જ તેની વૈજ્ઞાનિક તપાસ કરે"


કાર્બન ડેટિંગ શું છે?


કાર્બન ડેટિંગ એ પ્રક્રિયાનું નામ છે જેનો ઉપયોગ કરીને કોઈ પણ ચીજની ઉંમર જાણી શકાય છે. આ પ્રક્રિયા દ્વારા લાકડું, પથ્થર,બીજાણું, ચામડું, વાળ, કંકાલ, વગેરેની વય જાણી શકાય છે. એટલે કે કોઈ પણ ચીજ જેમાં કાર્બનિક અવશેષ હોય છે, તેની લગભગ ઉંમર આ સિસ્ટમ દ્વારા જાણી શકાય છે. આ જ કારણે ફરિયાદી પક્ષની ચાર મહિલાઓએ જ્ઞાનવાપી પરિસરમાં સર્વેમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કે કોઈ અન્ય આધુનિક સિસ્ટમ દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી.


વિવાદનું કારણ અને કાર્બન ડેટિંગનો ઉપયોગ જાણો 


જ્ઞાનવાપી વિવાદ અંગે, હિન્દુ પક્ષનો દાવો છે કે તેની નીચે આદિ વિશ્વેશ્વરનું 100 ફૂટ ઊંચું સ્વયં-પ્રદર્શિત જ્યોતિર્લિંગ છે. કાશી વિશ્વનાથ મંદિર લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ મુગલ સમ્રાટ ઔરંગઝેબે વર્ષ 1664માં મંદિરને તોડી પાડ્યું હતું. ફરિયાદી પક્ષના દાવામાં કહેવામાં આવ્યું છે કે મંદિર તોડીને તેની જમીન પર મસ્જિદ બનાવવામાં આવી હતી, જે હવે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે. જો કાર્બન ડેટિંગમાં કથિત શિવલિંગ તે સમયની આસપાસ મળી આવે તો આ બાબતમાં તેને મોટી સફળતા કહેવાશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.