જ્ઞાનવાપી કેસમાં કોર્ટનો ચુકાદો તો આવ્યો, હવે આગળ શું થશે જાણો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 17:53:36

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે શૃંગાર ગૌરી કેસને સુનાવણી લાયક માન્યો છે. આ નિર્ણય ચુકાદા બાદ હિન્દુ પક્ષમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ, મુસ્લિમ પક્ષ આગળની વ્યૂહરચના બનાવવામાં વ્યસ્ત બન્યો છે. ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટ હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે કરશે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હવે આગળ શું થશે તે મોટો પ્રશ્ન છે. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આગળ શું થશે..


  મુસ્લિમ પક્ષ શું કરશે?    

સમાન્ય રીતે એવું માનવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ પક્ષ આ મામલે હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. જ્ઞાનવાપી મસ્જિદની દેખરેખ કરતી અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટી આ મામલે ભવિષ્યની વ્યૂહરચના ઘડી શકે છે.



ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું મોટું નિવેદન



ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રાશિદ ફિરંગી મહેલે કહ્યું છે કે કોર્ટના સમગ્ર ચુકાદાને વાંચ્યા પછી જ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમારા વકીલો આ ચુકાદો વાંચશે.


હિંદુ પક્ષ શું કરશે?                                                                                                                                                               

કેસ સુનાવણી લાયક માનવામાં આવ્યા બાદ હિંદુ પક્ષની માંગ પૂરી થઈ ગઈ છે. હવે, હિન્દુ પક્ષ શ્રૃંગાર ગૌરીમાં 1993થી પહેલાની સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી શકે છે. ભૂતકાળમાં પણ અહીં દરરોજ દર્શન પૂજા થતા રહ્યા છે. વર્ષ 1993માં બેરિકેડિંગ બનાવવામાં આવ્યું ત્યાં સુધી આ સંકુલમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા થતી હતી. એટલે કે હિન્દુ પક્ષ ફરીથી અહીં પૂજાની માંગ કરી શકે છે.


                                                                                                            


જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે થશે?


એવું માનવામાં આવે છે કે જ્યારે સુનાવણી શરૂ થશે, ત્યારે હિન્દુ પક્ષ મસ્જિદના ASI સર્વેની માંગ કરી શકે છે. સુનાવણીમાં સર્વે રિપોર્ટ પર પણ ચર્ચા થઈ શકે છે. હિંદુ પક્ષ શિવલિંગની કાર્બન ડેટિંગ પણ માંગી શકે છે.


વર્શીપ એક્ટ લાગુ નહીં થાય, તેનો અર્થ શું?


વારાણસી કોર્ટે પોતાના નિર્ણયમાં પૂજા અધિનિયમને સ્વીકાર્યો નથી. હિંદુ પક્ષે એવી દલીલ કરી હતી કે જ્યાં સુધી કોઈ સ્થળનું ધાર્મિક સ્વરૂપ નક્કી ન થઈ જાય ત્યાં સુધી પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ-1991 અસરકારક માનવામાં આવશે નહીં. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે એક પૂજા સ્થળ પર સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે આ કાયદો કાશી અને મથુરામાં ચાલી રહેલા કેસોને અસર કરતો નથી. આ કેસ ચાલશે અને સુનાવણી ચાલુ રહેશે. વારાણસી જિલ્લા અદાલતે પણ આવો જ ચુકાદો આપ્યો છે. એટલે કે જ્ઞાનવાપી કેસમાં પૂજા અધિનિયમ લાગુ નહીં થાય.


વર્શીપ એક્ટ શું છે?


1991માં ઘડવામાં આવેલો આ પ્લેસ ઓફ વર્શીપ એક્ટ કહે છે કે 15 ઓગસ્ટ 1947 પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈ પણ ધર્મના પૂજા સ્થળને અન્ય કોઈ ધર્મના પૂજા સ્થળમાં રૂપાંતરિત કરી શકાય નહીં. જે કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે છે તેને દંડ અને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.