જ્ઞાનવાપી કેસમાં કોર્ટનો ચુકાદો તો આવ્યો, હવે આગળ શું થશે જાણો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 17:53:36

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે શૃંગાર ગૌરી કેસને સુનાવણી લાયક માન્યો છે. આ નિર્ણય ચુકાદા બાદ હિન્દુ પક્ષમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ, મુસ્લિમ પક્ષ આગળની વ્યૂહરચના બનાવવામાં વ્યસ્ત બન્યો છે. ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટ હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે કરશે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હવે આગળ શું થશે તે મોટો પ્રશ્ન છે. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આગળ શું થશે..


  મુસ્લિમ પક્ષ શું કરશે?    

સમાન્ય રીતે એવું માનવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ પક્ષ આ મામલે હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. જ્ઞાનવાપી મસ્જિદની દેખરેખ કરતી અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટી આ મામલે ભવિષ્યની વ્યૂહરચના ઘડી શકે છે.



ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું મોટું નિવેદન



ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રાશિદ ફિરંગી મહેલે કહ્યું છે કે કોર્ટના સમગ્ર ચુકાદાને વાંચ્યા પછી જ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમારા વકીલો આ ચુકાદો વાંચશે.


હિંદુ પક્ષ શું કરશે?                                                                                                                                                               

કેસ સુનાવણી લાયક માનવામાં આવ્યા બાદ હિંદુ પક્ષની માંગ પૂરી થઈ ગઈ છે. હવે, હિન્દુ પક્ષ શ્રૃંગાર ગૌરીમાં 1993થી પહેલાની સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી શકે છે. ભૂતકાળમાં પણ અહીં દરરોજ દર્શન પૂજા થતા રહ્યા છે. વર્ષ 1993માં બેરિકેડિંગ બનાવવામાં આવ્યું ત્યાં સુધી આ સંકુલમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા થતી હતી. એટલે કે હિન્દુ પક્ષ ફરીથી અહીં પૂજાની માંગ કરી શકે છે.


                                                                                                            


જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે થશે?


એવું માનવામાં આવે છે કે જ્યારે સુનાવણી શરૂ થશે, ત્યારે હિન્દુ પક્ષ મસ્જિદના ASI સર્વેની માંગ કરી શકે છે. સુનાવણીમાં સર્વે રિપોર્ટ પર પણ ચર્ચા થઈ શકે છે. હિંદુ પક્ષ શિવલિંગની કાર્બન ડેટિંગ પણ માંગી શકે છે.


વર્શીપ એક્ટ લાગુ નહીં થાય, તેનો અર્થ શું?


વારાણસી કોર્ટે પોતાના નિર્ણયમાં પૂજા અધિનિયમને સ્વીકાર્યો નથી. હિંદુ પક્ષે એવી દલીલ કરી હતી કે જ્યાં સુધી કોઈ સ્થળનું ધાર્મિક સ્વરૂપ નક્કી ન થઈ જાય ત્યાં સુધી પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ-1991 અસરકારક માનવામાં આવશે નહીં. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે એક પૂજા સ્થળ પર સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે આ કાયદો કાશી અને મથુરામાં ચાલી રહેલા કેસોને અસર કરતો નથી. આ કેસ ચાલશે અને સુનાવણી ચાલુ રહેશે. વારાણસી જિલ્લા અદાલતે પણ આવો જ ચુકાદો આપ્યો છે. એટલે કે જ્ઞાનવાપી કેસમાં પૂજા અધિનિયમ લાગુ નહીં થાય.


વર્શીપ એક્ટ શું છે?


1991માં ઘડવામાં આવેલો આ પ્લેસ ઓફ વર્શીપ એક્ટ કહે છે કે 15 ઓગસ્ટ 1947 પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈ પણ ધર્મના પૂજા સ્થળને અન્ય કોઈ ધર્મના પૂજા સ્થળમાં રૂપાંતરિત કરી શકાય નહીં. જે કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે છે તેને દંડ અને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .